SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ ૦ અનેકાન્ત ચિંતન અંગભૂત હેતુ આદિ પ્રમેયનો વિચાર કયા લક્ષ્યની સિદ્ધિ અર્થે ઉત્પન્ન થયો અને વિકસ્યો ? (૨) આ વિચારોને સંઘરતું અને વિકસાવતું સાહિત્ય કેવી રીતે પલટા લેતું ગયું અને ધીરે ધીરે છતાં અખંડપણે ધર્મકીર્તિ સુધી આવ્યું ? તત્ત્વ અને સત્યશોધનનો પ્રયત્ન ભારતમાં હજારો વર્ષ પહેલાં શરૂ થવાની વાત હવે કોઈથી અજાણી નથી. સત્યશોધનનો પ્રયત્ન બે રીતે ચાલતો : કેટલાક વિરલ પુરુષો માત્ર આધ્યાત્મિક દૃષ્ટિએ તત્ત્વશોધન ભણી પ્રેરાતા, તો બીજા કેટલાક ભૌતિક અને બાહ્ય દૃષ્ટિએ એ દિશામાં વળતા. આવા શોધકોમાં જે જે વ્યક્તિઓ એક કે બીજી બાબતમાં પોતાનો કાંઈક પણ નવો ફાળો આપે તેવી પ્રતીતિકાર શોધ કરતી તે વ્યક્તિઓની આસપાસ શિષ્યમંડળ અને અનુયાયીમંડળ જામતું અને તેમાંથી તેથી પરંપરા સ્થિર થતી. ઘણી વાર એક જ બાબત પરત્વે જુદા જુદા બે કે તેથી વધારે શોધકોની શોધ પરસ્પર જુદી પડતી અને પરસ્પર અથડાતી પણ ખરી. મૂળ શોધક પોતાની શોધને જ યથાર્થરૂપે પ્રતીતિકર થાય તે રીતે રજૂ કરતો, જ્યારે એનું શિષ્યમંડળ એ જ વસ્તુને વધારે તર્કપુરસ્કર સ્થાપિત કરવા અને તેનો પ્રચાર કરવા મથતું. અનુયાયીમંડળ મુખ્ય શોધક અને તેના શિષ્યપરિવારમાં શ્રદ્ધા કેળવીને જ મુખ્યપણે તે શોધને પોષતું. આમ શોધ, પછી તે મુખ્યપણે પ્રમેય વસ્તુને લગતી હોય કે ચરિત્રને લગતી હોય, તેનું રક્ષણ, સંવર્ધન અને પલ્લવન થતું. આવી પ્રવૃત્તિ જ્યાં એક જ પ્રદેશમાં અનેકવિધ ચાલતી હોય ત્યાં શોધકોના વિચારો વચ્ચે અથડામણી થાય એ સ્વાભાવિક છે. આવી અથડામણીઓ મુખ્યપણે બે પ્રકારની જોવામાં આવે છે : એક સ્વપરંપરા પૂરતી અને બીજી અન્ય પરંપરાઓ સાથે. જ્યારે જ્યારે સ્વપરંપરા પૂરતી શોધને લગતી બાબતમાં ગુરુશિષ્ય વચ્ચે કે સબ્રહ્મચારી શિષ્યો વચ્ચે ચર્ચા થતી ત્યારે ત્યારે તે ચર્ચા જય કે પરાજયમાં ન પરિણમતાં માત્ર તત્ત્વજિજ્ઞાસાની તૃપ્તિમાં જ પરિણમતી, પણ જ્યારે જ્યારે બીજી પરંપરાઓ સાથે આવી ચર્ચા થતી ત્યારે ત્યારે ઘણી વા૨ તે જય-પરાજયમાં જ પરિણામ પામતી, અને તે તત્ત્વબુભુત્તુની કથા મટી વિજિગીષુની કથા બનતી. કથા ગમે તે હોય, પણ તે જો અમુક નિયમોથી સીમિત હોય તો જ ફળદાયી નીવડે, એટલે સત્યશોધના ઉમેદવારોની ચર્ચામાંથી આપોઆપ તેમ ૧. વિશેષ માટે જુઓ પ્રમાણમીમાંસા ભાષાટિપ્પણ, પૃ. ૧૦૮-૨૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy