SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ હેતુબિંદુનો પરિચય - ૧૮૭ ઘણું કરી દુર્વેક મિશ્રના હોવાં જોઈએ. જો તેમ ઠરે તો એમ માનવું જોઈએ કે ગમે ત્યારે કોઈ ને કોઈ જૈન વિદ્વાને દુર્વેકના લખાણને ભારતમાં સંઘરવા ને તેનો ઉપયોગ કરવા પ્રયત્ન કરેલો. દુર્વેકનું પાંડિત્ય એક દાર્શનિક મૈથિલ બ્રાહ્મણને શોભા આપે એવું છે. તે બહુશ્રુત છે અને વૈયાકરણ પણ. આની પ્રતીતિ તેની વ્યાખ્યામાં પદે પદે થાય છે. તેની વ્યાખ્યા અર્ચટની વિવૃતિને અનુરૂપ જ છે. તે જયારે જ્યારે અર્ચટનાં પ્રતીકો લઈ તેનું વ્યાખ્યાન કરે છે ત્યારે બહુધા પૂર્વપક્ષરૂપે કે ઉત્થાનરૂપે અર્ઘટના વક્તવ્યનું હાર્દ પૂર્ણપણે વ્યક્ત કરતો લાગે છે. તે વિચારમાં સ્વતંત્ર છે. કેટલેક સ્થળે અર્ઘટના મંતવ્યથી તે જુદો પડી પોતાનું સ્વતંત્ર મંતવ્ય દર્શાવે છે. આ ઉપરથી એક એ બાબત ફલિત થાય છે કે બૌદ્ધ વિદ્યાપીઠોમાં વિચારસ્વતંત્ર્યનું વાતાવરણ અવશ્ય હતું. જે અચંટને તે ગુરુરૂપે નિર્દેશે છે તેના જ મંતવ્યથી તે જુદો પણ પડે છે, એ જ વિચાર સ્વાતંત્ર્યની ભૂમિ સૂચવે છે. - દુર્વેકનો સમય ઈ. સ. દશમા સૈકાના અંતિમ ચરણથી અગિયારમાં સૈકાના પૂર્વાર્ધ સુધી તો માનવો જ જોઈએ, કેમકે તે દીપકર જ્ઞાનશ્રીના ગુરુ જિતારિનો વિદ્યાશિષ્ય હતો અને જિતારિ તેમ જ જ્ઞાનશ્રી બન્ને દશમ શતકના અંતિમ પાદમાં તો હતા જ. વળી દુર્વેક મિશ્રની અનેક કૃતિઓ અને તેનું બહુમુખી પાંડિત્ય પણ તેના જીવનની લાંબી અવધિ સૂચવે છે. [૩] ગ્રંથ પરિચય ૧. હેતુબિંદુ પ્રસ્તુત હેતુબિંદુનો પરિચય કરીએ તે પહેલા એ જાણવું જરૂરી છે કે ધર્મકીર્તિએ હેતુબિંદુ અને બીજા ગ્રંથો રચ્યા તે તેણે વારસામાં મળેલ કેવા પ્રકારના વિચાર અને સાહિત્યને આધારે રચ્યા ? ધર્મકીર્તિના ગ્રંથોમાં પ્રતિપાદિત થયેલા વિચાર અને વપરાયેલી પરિભાષા આદિનો ઐતિહાસિક પરિચય પૂર્ણપણે તો કરાવવો અસંભવિત છે, તેથી અહીં એનું ટૂંકમાં દિગ્દર્શન કરાવવા ધારીએ છીએ. આ કારણથી અમે આ સ્થળે મુખ્યપણે બે મુદ્દા પૂરતી જ ચર્ચા કરવા ધારી છે. તે મુદ્દા છે– (૧) પ્રમાણવિચાર અને તેનો અંગભૂત ન્યાયવિચાર તેમ જ ન્યાયના ૧. હેતુબિંદુટીકાલોક પૃ. ૨૪૩, ૨૬૨, ૨૭૧, ૩૦૩, ૩૬૩, ૩૯૩ આદિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy