SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ ૦ અનેકાન્ત ચિંતન અલ્પજ્ઞો જે કાંઈ થોડું જાણી શકે છે તે જ આશ્ચર્ય માનવું જોઈએ. ૨૧. પામર જનોનાં ચિત્તને ભરમાવવા માટે પિશાચ જેવા અને કઠોર વચન બોલવા માટે જ જેઓનાં મુખ તત્પર હોય છે એવા ધૂર્તજનોએ કલહને મીમાંસાના નામમાં બદલી નાંખ્યું છે. ૨૪. બીજાઓને નિગ્રહ આપવાના નિશ્ચયથી વાદી ચિત્તની જે એકાગ્રતા મેળવે છે તેવી જો વૈરાગ્યમાં મેળવે તો તે વાદી વગરવિલંબે મુક્તિ પામે. ૨૫. અહીં આ લોકમાં જ્યારે મનુષ્ય સર્વ અંશોથી નિર્વચન કરવાયોગ્ય એવી એક વસ્તુને પૂરી જાણી શકતો નથી તો પછી કે “મારા પ્રત્યે !” એવા પ્રકારનો ગર્વ કરવો કયા સ્વસ્થ પુરુષને યોગ્ય હોઈ શકે? ૨૬. ન્યાયાત્રિશિકા મોટું દૈવે ખોવું છે (બનાવી રાખ્યું છે) અને વાડ્મય પોતાને અધીન છે. જે કાંઈ પણ કહેવામાં આવે તેને સાંભળનાર પણ મળી જ આવે છે. એવી સ્થિતિમાં કયો નિર્લજ્જ પંડિત ન બની શકે? ૧. સર્વે કથા (વાદ)-માર્ગો પરપક્ષના ઘાત માટે જ રચાયેલા હોય છે, છતાં શબ્દ અને અર્થમાં બ્રાંત થયેલા વાદીઓ અંદરોઅંદર વિપ્રલાપ કર્યા જ કરે છે. ૭. જલ્પરૂપ વચનયંત્રમાં પીડિત થયેલી બુદ્ધિ એક પક્ષમાં હણાઈ જાય છે; અને શાસ્ત્રસંભાવના (બહુમાનની) શત્રુ બની નીરસપણું પ્રાપ્ત કરે છે. ૧૬. ઉપપત્તિ(યુક્તિ)થી કાંઈ બળવાન કે દુર્બળ છે જ નહિ. વક્તાની વિશિષ્ટ શક્તિને લીધે જ તે તેમ બને અથવા ન બને. ૨૮. સામ આદિ ઉપાયો સમાન હોવા છતાં જેવી રીતે શક્તિશાળી વિજયેચ્છ ચઢી જાય છે તેવી રીતે વક્તા પણ શાસ કરતાં શક્તિના યોગે ચઢી જાય છે. ૨૯. સભ્ય અને સભાપતિનો અભાવ, ધારણાશક્તિ અને આક્ષેપશક્તિનું કૌશલ, સહનશીલતા અને પરમધૃષ્ટતા_આ છ વાદચ્છલ કહેવાય છે. ૩૧. वादोपनिषद्-द्वात्रिंशिका धर्मार्थकीर्त्यधिकृतान्यपि शासनानि न ह्वानमात्रनियमात् प्रतिभान्ति लम्या । संपादयेन्नृपसभासु विगृह्य तानि येनाध्वना तमभिधातुमविघ्नमस्तु ॥१॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy