SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ સન્મતિતર્ક અને તેનું મહત્વ • ૧૬૧ વાચિક કર્મ તેવું નથી, એવો કર્મવિભાગ દ્વારા કર્મવિજ્ઞાનમાં નથી. તે શરણ્ય ! તારા કર્મવિજ્ઞાનમાં તો માનસિક, વાચિક અને કાયિક એ ત્રણે કર્મોને યથોચિત સ્થાન છે. તેથી જ એટલે કર્મવિજ્ઞાનને લગતી તારી આવી અભુત વિચારશૈલીથી જ મુગ્ધ થયેલા વિચારક પુરુષો તારા તરફ જ નજર કરી રહ્યા છે.” ૧, ૨૭. એક કુશળ કૃષિકારની પેઠે ભગવાનનું બોધિબીજવપનનું અદ્ભુત કૌશલ છતાંય કેટલાંક ક્ષેત્રો અણખેડાયેલાં જ રહ્યાનું કારણ બતાવતાં કહે “હે લોકબાંધવ! સદ્ધર્મરૂપ બીજના વપન માટે તારું અમોઘ કૌશલ છતાંય કેટલાંય ક્ષેત્રો અફળ નીવડ્યાં તે કાંઈ આશ્ચર્યનું કારણ નથી, કારણ કે સૂર્યનાં કિરણો તો ઘણાંય જાજ્વલ્યમાન છે, છતાંય અંધકારપ્રિય ઘૂવડના કુલને માટે તો તે સહજ પીળા જેવા જ લાગે છે, એ કાંઈ આશ્ચર્ય ન કહેવાય.” ૨, ૧૩. પાપ અને પુણ્ય વિશેની લોકોની અજ્ઞાનતાનો ઉલ્લેખ કરતાં તેઓ જણાવે છે કે – ' “માણસ જે પાપને વાંછતો નથી તે પાપનું સ્વરૂપ પણ સમજતો નથી અને જે પુણ્યને વાંછે છે તેને પણ સમજવાની તેને દરકાર નથી. આવી સ્થિતિમાં પડેલો મનુષ્ય હેયોપાદેયનો વિવેક શી રીતે કરે ? ત્યારે તે સુગત ! તેં તો હિતાહિતના ફુટ નિર્ણય સાથે પાપની પેઠે પુણ્યને પણ કહી નાખ્યું છે; અર્થાત્ ઘણા લોકો પુણ્યને જ પોતાનું હિતકર સમજીને સકામપ્રવૃત્તિ કર્યા કરે છે, છતાંય અંતે તે પુણ્ય જ તેઓના આત્માને સુવર્ણપંજરની પેઠે બાંધી રાખે છે, એ હકીકત તેઓની જાણમાં નથી હોતી. ત્યારે તે તો પાપપુણ્યનું સ્વરૂપ બરાબર સમજી એ બન્નેને બાળી નાખ્યાં છે.” ૨, ૧૯. ઇંદ્ર અને સૂર્ય કરતાં પણ ભગવાનનો અધિક મહિમા વર્ણવતાં કહે છે કે : જગતના જે અંધકારનો નાશ સહસ્રલોચન-ઇંદ્રનું વજ પણ ન કરી શક્યું, સહસ્રકિરણવાળો સૂર્ય પણ ન કરી શક્યો, હે ભગવનું ! તે જ અંધકારને તેં ભેદી નાખ્યો.” ૪, ૩ વાસનાથી ભરેલો માનવ ભગવાનની મુદ્રાને જોઈને સંતોષ પામે કે કેમ ? એ વિશે જણાવે છે કે (હે ભગવન્! તું તો સ્થિતપ્રજ્ઞ છે, વિષય અને કષાયોથી પર છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy