SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ ૦ અનેકાન્ત ચિંતન બાકી રહે છે. જેમ કે ભગવાન મહાવીરના સમયમાં કયાં કયાં આવશ્યકને લગતાં સૂત્રો વ્યવહારમાં આવતાં અને કયાં કયાં તે વખતે રચાયેલાં, તેમ જ તે પ્રાચીન સૂત્રો ચાલુ રહીને નવીન સૂત્રો કયાં કયાં ક્યારે ઉમેરાયાં, તેમ જ નવીન સૂત્રો દાખલ થતાં કયાં અને કેટલાં પ્રાચીન સૂત્રો વ્યવહારમાંથી અદૃશ્ય થયાં અગર તો રૂપાંતર પામ્યાં; તેમ જ પ્રત્યેક પ્રાચીન કે ઉત્તરકાલીન સૂત્રો કોની કોની કૃતિ છે ?—આ અને આના જેવા અનેક વિચારણીય પ્રશ્નો છે. તેનો ઊહાપોહ કરવાનું મન નથી એમ તો નહિ જ, પણ અત્યારે એ કામ કરવા સાવકાશ ન હોવાથી વિચારક અને ઐતિહાસિક વિદ્વાનોનું આ બાબત તરફ લક્ષ ખેંચું છું. આશા છે કે વિદ્યારસિકો આ બાબતમાં વધારે મહેનત કરી નવું ઘણું જાણવા જેવું ઉપસ્થિત કરશે. —જૈન સાહિત્ય સંશોધક ખંડ ૩, અંક ૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy