SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ ૦ અનેકાન્ત ચિંતન છે. તેમની સામે ઓછામાં ઓછું વિશેષાવશ્યકભાષ્ય અને તેની સ્વોપજ્ઞ ટીકા એ બે તો અવશ્ય હોવાં જ જોઈએ. તેથી શ્રી સિદ્ધસેન ગણિની અંગબાહ્યના કર્તત્વબોધક “જળધરનતવિધિઃ' એ તત્ત્વાર્થભાષ્યગત પદની વ્યાખ્યા, જે પહેલાં ઉપર ટાંકી છે તે પ્રાચીન પરંપરાની વિરુદ્ધ હોય એમ ન માની શકાય, અને શ્રી સિદ્ધસેનગણિત તો એ પદનો અર્થ ગણધરવંશજ શ્રી અંબૂસ્વામી, શ્રી પ્રભવસ્વામી વગેરે આચાર્ય એવો સ્પષ્ટ કરે છે. તે ઉપરથી વિશેષાવશ્યકભાષ્ય અને તેની સ્વોપણ ટીકાનો અંગબાહ્યના કર્તા વિશે આશય કાઢવો જ હોય તો એ જ કાઢી શકાય કે ગણધરભિન્ન શ્રી જંબૂ, પ્રભવ વગેરે સ્થવિરોએ જે શ્રુત રચ્યું તે જ અંગબાહ્ય. વિશેષાવશ્યકભાષ્યની ઉપલબ્ધ અને અતિવિસ્તૃત ટીકા મલધારીકૃત છે. એ ટીકામાં ભાષ્યગત ત્રણ વ્યાખ્યાઓનાં ઉદાહરણો પણ આપેલાં છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી અને સેનપ્રશ્નના પ્રણેતા સામે મૂલનિર્યુક્તિ, તે ઉપરનું વિશેષાવશ્યકભાષ્ય અને એ ભાષ્યની મલધારીકૃત ટીકા એટલાં તો ઓછામાં ઓછાં હતાં જ. તેથી ઉપાધ્યાયશ્રીની તત્ત્વાર્થભાષ્ય ઉપરની ટીકામાં તથા સેનપ્રશ્નમાં અંગબાહ્ય શ્રુતના કર્તા સંબંધે જે વિચાર છે અને જેને ઉપર ટાંક્યો છે તે પ્રાચીન ગ્રંથકારોના અભિપ્રાયને લક્ષમાં રાખ્યા સિવાય તો લખાયેલ ન જ હોવો જોઈએ. ઉપાધ્યાયશ્રીની વૃત્તિ અને સેનપ્રશ્ન તો સ્પષ્ટ રીતે અંગબાહ્યને ગણધરભિન્ન આચાર્યપ્રણીત સૂચવે છે, જે ઉપર બતાવવામાં આવ્યું છે. પૂર્વાપર આચાર્યોના વિચારસામ્યની કલ્પના ઉપર ઊભી કરેલ અનુમાનાત્મક દલીલને છોડી હવે સીધી રીતે માલધારીકૃત ટીકાને લઈ તેના ઉપર વિચાર કરીએ. ભાષ્યની પ્રસ્તુત ગા. ૫૫૦ મીની મલધારીકૃત ટીકા નીચે પ્રમાણે છે : .... अंगाऽनंगप्रविष्टश्रुतयोरिदं नानात्वमेतद् भेदकारणम् । किम् ? इत्याह गणधरा गौतमस्वाम्यादयः, तत्कृतं श्रुत द्वादशांगरूपमंगप्रविष्टमुच्यते । स्थविरास्तु भद्रबाहुस्वाम्यादयः, तत्कृतं श्रुतमावश्यकनियुक्त्यादिकमनंगप्रविष्टमंगबाह्यमुच्यते । अथवा वारत्रयं गणधरपृष्टस्य तीर्थकरस्य संबन्धी य आदेश: प्रतिवचनमुत्पादव्यय-ध्रौव्यवाचकं पदत्रयमित्यर्थः, तस्माद् यन्निष्पन्नं तदंग-प्रविष्टं द्वादशांगमेव, मुत्कं मुत्कलमप्रश्नपूर्वकं च यद् व्याकरणमर्थप्रतिपादनं, तस्मानिष्पन्नमंगबाह्यमभिधीयते, तच्चावश्यकादिकम् । वा शब्दोंऽगाऽनंगप्रविष्टत्वे पूर्वोक्तभेदकारणादन्यत्वसूचकः । तृतीयभेदकारणमाह 'धुव-चलविसेसओ व त्ति' ध्रुवं सर्वतीर्थकरतीर्थेषु नियतं निश्चयभावि श्रुतमंगप्रविष्टमुच्यते द्वादशांगमिति । यत् Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy