SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યકસૂત્રના કર્તા કોણ? - ૧૩પ આધારે જ વાચકશ્રીએ પોતાના તત્ત્વાર્થસૂત્રના ભાગ્યમાં અંગપ્રવિષ્ટ અને અંગબાહ્યનો વિવેક કરેલો હોવા જોઈએ, અથવા તો ઓછામાં ઓછું એ વિવેક કરતી વખતે આવશ્યકનિર્યુક્તિની એ ગાથાનો અર્થ એમના ધ્યાન બહાર ન જ હોવો જોઈએ. એટલે વાચકશ્રીએ અંગબાહ્યનું જ સ્વરૂપ બતાવ્યું છે અને જેને મેં પ્રમાણ તરીકે ઉપર પ્રથમ જ ટાંકેલ છે તે સ્વરૂપ ઉક્ત આવશ્યકનિયુક્તિની મૂલગાથાની અર્થપરંપરાને અનુસરતું જ હોવું જોઈએ, એમ માનવામાં જરાયે અસ્વાભાવિકતા નથી. આ ઉપરથી જે કહેવાનું છે તે એ કે આવશ્યકનિર્યુક્તિની એ ગાથામાં નિર્દિષ્ટ થયેલ અંગબાહ્ય શ્રતના સ્વરૂપનો નિર્ણય કરવામાં જૂનામાં જૂનો આધાર આપણી પાસે તત્ત્વાર્થભાષ્ય સિવાય બીજો એકે નથી, અને તત્ત્વાર્થભાષ્ય તો સ્પષ્ટ રીતે અંગબાહ્ય શ્રતને ગણધરપથાભાવી આચાર્યપ્રણીત કહે છે અને અંગબાહ્ય શ્રતમાં સૌથી પ્રથમ આવશ્યકનાં છ અધ્યયનને ગણાવે છે, જે પહેલાં બતાવવામાં આવ્યું છે. તેથી અંગબાહ્યની વ્યાખ્યા સંબંધીનો આવશ્યકનિર્યુક્તિની ગાથાનો ઉપયોગ કરવો જ હોય તો તે તત્ત્વાર્થભાષ્યના વક્તવ્ય કરતાં બીજું કાંઈ વધારે અથવા ભિન્ન સૂચવી શકે તેમ નથી. હવે લઈએ એ નિર્યુક્તિ-ગાથા ઉપરનું વિશેષાવશ્યકભાષ્ય. આ ભાષ્ય જ અત્યારે આપણી સામે નિર્યુક્તિની જૂનામાં જૂની અને મોટામાં મોટી વ્યાખ્યા છે. ભાષ્યમાં અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય શ્રતનો સ્પષ્ટ વિવેક કરવામાં આવ્યો છે. આ વિવેક ત્રણ પ્રકારે કરવામાં આવ્યો છે; અર્થાત્ ક્ષમાશ્રમણશ્રીએ અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય શ્રુતનો ભેદ સૂચવતી ત્રણ વ્યાખ્યાઓ આપી છે. આ ત્રણે વ્યાખ્યાઓ આપ્યા છતાં મૂલ ભાષ્યમાં ભાષ્યકારો અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય શ્રતના ઉદાહરણ તરીકે કોઈ ગ્રંથનો નિર્દેશ કર્યો નથી. ઉદાહરણ તરીકેના ગ્રંથોનો નિર્દેશ ભાષ્યના ટીકાકાર માલધારી શ્રી હેમચંદ્ર પોતાની ટીકામાં કર્યો છે. સામાન્ય રીતે ભારતીય ટીકાકારોની અને ખાસ કરીને જૈન આચાર્યોની પ્રકૃતિપરંપરા જોતાં એમ માનવામાં કશી અડચણ નથી કે મલધારીએ જે ઉદાહરણો ટાંક્યા છે તે પોતાની પૂર્વવર્તી ભાષ્યની ટીકાઓને અનુસરતાં જ હોવાં જોઈએ. મલધારીશ્રીની ટીકા પહેલાં ભાષ્ય ઉપર જે ટીકાઓ હોવાનાં પ્રમાણો મળે છે તેમાં એક તો સ્વોપજ્ઞ અર્થાત્ ક્ષમાશ્રમણશ્રીની પોતાની અને બીજી કોટ્યાચાર્યની. તત્ત્વાર્થભાષ્યના ટીકાકાર શ્રી સિદ્ધસેન ગણિ મલધારીશ્રીના પૂર્વવર્તી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy