SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યકસૂત્રના કર્તા કોણ? • ૧૩૭ पुनश्चलमनियतभावि तत् तन्दुलवैकालिक-प्रकरणादिश्रुतमंगबाह्यम् । वा शब्दोऽत्रापि भेदकारणान्तरत्वसूचकः । इदमुक्तं भवति-गणधरकृतं, पदत्रयलक्षणतीर्थकरादेशनिष्पन्नं, ध्रुवं च यच्छुतं तदंगप्रविष्टमुच्यते, तच्च द्वादशांगीरूपमेव । यत्पुनः स्थविरकृतं, मुत्कलार्थाभिधानं, चलं च तदावश्यकप्रकीर्णादिश्रुतमंगबाह्यमिति । આ ટીકામાં અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય શ્રુતના ભાષ્યકારે કરેલ વિવેકના સ્પષ્ટીકરણ ઉપરાંત ત્રણે વ્યાખ્યાઓનાં જુદાં જુદાં ત્રણ ઉદાહરણો છે, જે ખાસ ધ્યાન ખેંચે છે. (ક) પહેલી વ્યાખ્યામાં અંગપ્રવિષ્ટને શ્રી ગૌતમ આદિ ગણધરકૃત તરીકે ઓળખાવી તેના ઉદાહરણ તરીકે દ્વાદશાંગ ગ્રુતને મૂક્યું છે, અને અંગબાહ્ય શ્રી ભદ્રબાહુ આદિ સ્થવિરકૃત તરીકે ઓળખાવી તેના ઉદાહરણરૂપે આવશ્યકનિર્યુક્તિ વગેરે શ્રુત દર્શાવ્યું છે. (ખ) બીજી વ્યાખ્યામાં ગણધરના પ્રશ્નના ઉત્તરમાં તીર્થકર દ્વારા ઉપદેશાવેલ ત્રિપદી ઉપરથી રચાયેલ શ્રતને અંગપ્રવિષ્ટ તરીકે ઓળખાવી તેનું ઉદાહરણ આપતાં એ શ્રુત તે દ્વાદશાંગી રૂપ જ છે એવો ખાસ ભાર મૂકી મલધારીએ માત્ર દ્વાદશાંગીને અંગપ્રવિષ્ટ કહ્યું છે અને છૂટું છવાયું તેમ જ પ્રશ્ન વિના જે અર્થપ્રતિપાદન થયું હોય તેના ઉપરથી રચાયેલ શ્રતને અંગબાહ્ય તરીકે ઓળખાવી તેના ઉદાહરણમાં આવશ્યક આદિ શ્રત અંગબાહ્ય છે એમ કહેવામાં આવ્યું છે. “ " (ગ) ત્રીજી વ્યાખ્યામાં દરેક તીર્થકરોના તીર્થમાં અવશ્યભાવી તરીકે બતાવીને જ અંગપ્રવિષ્ટ કહેવામાં આવ્યું છે અને દરેક તીર્થમાં નિયમથી ન હોનાર શ્રતને અંગબાહ્ય તરીકે ઓળખાવી તેના ઉદાહરણમાં તન્દુલવૈકાલિક આદિને મૂક્યું છે. પહેલી વ્યાખ્યાના ઉદાહરણમાં શ્રી ભદ્રબાહુસ્વામી આદિ અને આવશ્યકનિયુક્તિ આદિ એ બે પદો ખાસ ધ્યાન ખેંચે છે. જયાં સુધી સંપૂર્ણ આવશ્યકસૂત્ર શ્રી ભદ્રબાહુસ્વામીકૃત છે એ મતલબનું સાધક પ્રમાણ ન મળે ત્યાં સુધી આવશ્યકનિયુક્તિ એ સામાસિકપદનો દ્વન્દ્રસમાસને બદલે સામા પક્ષને અનુકૂલ એવો તપુરુષ સમાસ જ લેવો જોઈએ; અને એ સમાસ લેતાં તેનો અર્થ એટલો જ થાય કે આવશ્યકનિયુક્તિ વગેરે જે શ્રુત શ્રી ભદ્રબાહુ વગેરેનું બનાવેલું છે તેને અંગબાહ્ય સમજવું. નિયુક્તિ શ્રી ભદ્રબાહુસ્વામીની હોવાથી પ્રસિદ્ધિ આબાલવૃદ્ધ જાણીતી છે, તેથી જ તેનું ઉદાહરણ આપ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy