SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ - અનેકાન્ત ચિંતન પણ તત્ત્વાર્થભાષ્ય પર બીજી ટીકાઓ હતી; તેનાં પ્રમાણો મળે છે. પ્રાચીન ટીકાઓને આધારે જ ઉક્ત ભાષ્યની વ્યાખ્યા તેઓશ્રીએ કરેલી હોવી જોઈએ. જો પ્રાચીન ટીકાઓ કરતાં તેમનો મત જુદો હોત તો જેમ તત્ત્વાર્થભાષ્યનાં અનેક સ્થળોમાં પ્રાચીન મત બતાવી પછી પોતાનો મતભેદ બતાવે છે તેમ પ્રસ્તુત ભાષ્યની ટીકામાં પણ તેઓ પ્રાચીન ટીકાકારોનો મતભેદ ટાંકત; પણ તેઓએ તેમ કર્યું નથી. તે ઉપરથી એ તો સ્પષ્ટ છે કે શ્રીસિદ્ધસેનગુણિને પ્રસ્તુત ભાષ્ય ઉપરની પ્રાચીન ટીકાઓમાં પોતે વ્યાખ્યા કરવા ધારે છે. તે કરતાં કાંઈ પણ મતભેદવાળું જણાયેલું નહિ. આજ કારણથી શ્રી સિદ્ધસેનગણિનું પ્રસ્તુત ભાષ્યનું વિવેચન એ એમના વખત સુધીની અંગપ્રવિષ્ટ અને અંગબાહ્યના ભેદ સંબંધી ચાલતી જૈન પરંપરાનું સ્પષ્ટ નિર્દેશક છે, એમ કબૂલ કર્યા વિના ચાલતું નથી. શ્રી સિદ્ધસેનગણિ ભાષ્યગત સામાયિક...પ્રત્યાખ્યાન' આદિ શબ્દોનો અર્થ સ્પષ્ટ રીતે “સામાયિક અધ્યયન...પ્રત્યાખ્યાન અધ્યયન' એ પ્રમાણે જ કરે છે; અને “પધરીનન્તલિપિ' એ પદનો અર્થ સ્પષ્ટપણે ગણધરશિષ્ય જંબુ, પ્રભાવ વગેરે એટલો જ કરે છે. અને તે દ્વારા તેઓશ્રી પોતાનું ખાસ મંતવ્ય સૂચવે છે કે અંગબાહ્ય, જેમાં સમગ્ર આવશ્યક પણ સમ્મિલિત છે તે, ગણધરકૃત નહિ, પણ ગણધરશિષ્ય જંબૂ તથા પ્રભવ આદિ અન્ય આચાર્યકત છે. તેઓની પ્રસ્તુત ભાષ્યની ટીકા આ પ્રમાણે છે : समभावो यत्राध्ययने वर्ण्यते तत्तेन वर्ण्यमानेनार्थेन निर्दिशतिसामायिकमिति । एवं सर्वेषु वक्ष्यमाणेष्वर्थसम्बन्धाद् व्यपदेशो दृश्यः । चतुर्विंशतीनां पूरणस्यारादुपकारिणो यत्र स्तवः शेषाणां च तीर्थकृतां वर्ण्यते स चतुर्विंशतिस्तव इति । वन्दनम्-प्रणामः, स कस्मै कार्यः कस्मै च नेति यत्र वर्ण्यते तत् वन्दनम् । असंयमस्थानं प्राप्तस्य यतेस्तस्मात् प्रतिनिवर्तनं यत्र वर्ण्यते तत् प्रतिक्रमणम् । कृतस्य पापस्य यत्र कायपरित्यागेन क्रियमाणेन विशुद्धिव्याख्यायते स कायव्युत्सर्गः । प्रत्याख्यानं यत्र मूलगुणा उत्तरगुणाश्च धारणीया इत्ययमर्थः ख्याप्यते तत् प्रत्याख्यानम् । -दे० ला० पु० प्रकाशित तत्त्वार्थभाष्यटीका, पल. ९० • કેટલાક એવી દલીલ કરે છે કે ભાષ્યમાં જે “સામાયિક, ચતુર્વિશતિસ્તવ...પ્રત્યાખાત' આદિ શબ્દો છે તે આવશ્યકના અધ્યયનબોધક નહિ, પરંતુ તે તે અધ્યયનની નિયુક્તિના બોધક છે; અર્થાત્ અંગબાહ્યમાં આવશ્યકનિયુક્તિ જ ગણવી જોઈએ. તેઓની આ દલીલ કેટલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy