SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યકસૂત્રના કર્તા કોણ? - ૧૨૭ कल्पव्यवहारौ, निशीथ मृषिभाषितानीत्येवमादि । -द० ला० पु० प्रकाशित तत्त्वार्थभाष्य, पल. ९० ત્યાર બાદ તેઓશ્રી પોતે જ અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય એ બને પ્રકારના શ્રુતની ભિન્નતાના કારણ વિશે પ્રશ્ન ઉઠાવી કહે છે કે જે તીર્થંકર ભગવાનના ઉપદેશને આધારે તેઓના સાક્ષાત્ શિષ્ય ગણધરોએ રચ્યું તે અંગપ્રવિષ્ટ અને જે ગણધર-અંતરભાવી વગેરે અર્થાતુ ગણધરવંશજ પરમ મેધાવી આચાર્યોએ રચ્યું તે અંગબાહ્ય. આ મતલબનો ભાષ્યનો પાઠ આ પ્રમાણે છે. अथ श्रुतज्ञानस्य द्विविधमनेकं द्वादशविधमिति किं कृतः मतावशेष इति ? वक्तृविशेषाद् द्वैविध्यम् । यद् भगवद्भिः सर्वज्ञैः सर्वदर्शिभिः परमर्षिभिरर्हद्भिस्तत्स्वाभाव्यात् परमशुभस्य च प्रवचनप्रतिष्ठापनफलस्य तीर्थंकरनामकर्मणोऽनुभावादुक्तं भगवच्छिष्यैरतिशयवद्भिरुतमातिशयवाग्बुद्धिसम्पन्नैर्गणधरैदृब्धं तदङ्गप्रविष्टम् । गणधरानन्तर्यादिभिस्त्वत्यन्तविशुद्धागमैः परमप्रकृष्टवाङ्मतिबुद्धिशक्तिभिराचार्यैः कालसंहननायुर्दोषादल्पशक्तीनां शिष्याणामनुग्रहाय यत् प्रोक्तं तदङ्गबाह्यमिति ॥ –તે તત્વાર્થમાણ, પર ૧૨-૧૨ વાચકશ્રીનો આ ઉલ્લેખ બીજા બધા ઉલ્લેખો કરતાં વધારે પ્રાચીન અને મહત્ત્વનો છે. અન્ય પ્રમાણોનું બળાબળ તપાસતી વખતે પણ એટલું તો ધ્યાનમાં રાખવું જ જોઈએ કે વાચકથી પોતે જો આવશ્યકને ગણધરકૃત માનતા હોત અગર ગણધર તથા અન્ય સ્થવિર એમ ઉભયકૃત માનતા હોત તો તેઓ માત્ર “ધરપશ્ચામાવી' વગેરે આચાર્યકત કદી કહેત નહિ. અંગબાહ્યમાં ગણાતા આવશ્યક, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન આદિ સૂત્રોના કર્તા સંબંધી બીજા બધા કરતાં તેઓશ્રીને જ વધારે સ્પષ્ટ માહિતી હોવાનો સંભવ છે; કેમ કે (૧) તેઓશ્રી આગમના ખાસ અભ્યાસી હતા, (૨) તેઓથી અને ભગવાન મહાવીર વચ્ચે બહુ લાંબું અંતર નહિ, અને (૩) જૈન પરંપરામાં તે વખતે જૈન શાસ્ત્રના કર્તા સંબંધી જે માન્યતા ચાલી આવતી તેથી જરા પણ આડુંઅવળું લખવાને તેમને કશું જ કારણ સંભવતું નથી. આ કારણોથી વાચકશ્રીનો જરા પણ સંદેહ વિનાનો ઉલ્લેખ અને મારો અભિપ્રાય બાંધવામાં પ્રથમ નિમિત્તભૂત થયો છે. (૨) વાચકશ્રીના ઉપર ટાંકેલ ભાષ્ય ઉપર શ્રીસિદ્ધસેન ગણિની મોટી ટકા છે, જે હજાર કરતાં વધારે વર્ષ જેટલી જૂની તો છે જ. તે ટીકા પહેલાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy