SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યકસૂત્રના કર્તા કોણ? • ૧૨૯ ટકી શકે છે તે પણ જોઈએ. (ક) જો વાચકશ્રીને સામાયિકાદિ પદોથી સામાયિક અધ્યયન આદિની નિર્યુક્તિ જ વિવક્ષિત હોય તો તેઓશ્રી પોતે જ નિર્યુક્તિનું સ્પષ્ટ કથન ન કરતાં લાક્ષણિક પ્રયોગ શા માટે કરે ? (ખ) કોઈ પણ શબ્દનો લાક્ષણિક અર્થ કરવામાં મૂળ અર્થનો બાધ હોવો જ જોઈએ. જ્યાં સુધી શબ્દનો મૂળ અર્થ બાધિત ન થતો હોય ત્યાં સુધી તેનો લાક્ષણિક અર્થ માનવો એ શબ્દશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર અને ન્યાયશાસ્ત્રના નિયમોનું ઉત્થાપન કરવા જેવું છે. (ગ) ઘડીવાર મૂળ અર્થના બાધ વિના પણ લાક્ષણિક અર્થ કરવાની ધૃષ્ટતા કરી લઈએ, તોપણ એ પ્રશ્ન તો થાય જ છે કે શ્રી સિદ્ધસેનગણિ, જેઓ પોતાના પૂર્વ ટીકાકારોને અનુસર્યા છે તેઓ, શું તેવા લાક્ષણિક અર્થ કરવાનું નહોતા જાણતા અથવા બીજી કોઈ પણ રીતે ભાષ્યના એ શબ્દો નિર્યુક્તિબોધક છે એવું સાબિત કરી શકતા ન હતા? (ધ) ઘડીવાર એમ પણ માની લઈએ કે વાચકશ્રી શબ્દપ્રયોગકુશળ ન હતા, ટીકાકાર શ્રી સિદ્ધસેનગણિ પણ ભૂલ્યા, પરંતુ એટલું બધું માન્યા પછી પણ સામાયિક આદિ પદોનો નિર્યુક્તિપરક અર્થ કાઢવા જતાં એક મહાન વિરોધ ઉપસ્થિત થાય છે જે નિર્યુક્તિના લાક્ષણિક અર્થની દલીલને ક્ષણમાત્ર પણ ટકવા દેતો જ નથી. તે વિરોધ તે આ : અંગબાહ્યમાં વાચકશ્રીએ “આવશ્યક' પ્રથમ ગણાવ્યું છે, અને આવશ્યકનો અર્થ વિરોધી ટીકાકારો “નિર્યુક્તિ કરે છે, એટલે તેઓના કથન પ્રમાણે અંગબાહ્યમાં પ્રથમ આવશ્યકનિર્યુક્તિ આવે છે. હવે અંગબાધના રચયિતા તરીકે ભાષ્યકાર અને ટીકાકાર બને “ધરીનન્તવિધિઃ' એ પદથી શ્રી જંબૂસ્વામી તથા શ્રી પ્રભવસ્વામીનો નિર્દેશ કરે છે; એટલે અંગબાહ્યમાં પ્રથમ ગણાવેલ આવશ્યકનિર્યુક્તિ એ શ્રી જંબૂસ્વામી કે શ્રી પ્રભવસ્વામીકૃત હોય એવું ભાન થાય છે કે જે અસંગત છે, કારણ કે નિયુક્તિકાર તો શ્રી ભદ્રબાહુસ્વામી જ છે, એ વાત જાણીતી જ છે. એટલે આવશ્યક પદથી આવશ્યકનિર્યુક્તિ વિવક્ષિત હોય તો શ્રી ભદ્રબાહસ્વામીનું નામ છેવટે ટીકામાં તો આવવું જ જોઈએ, કે જે ક્યાંય પણ નિર્દિષ્ટ નથી. (૩) ભાષ્ય અને તેની ટીકા એ બન્નેનાં ઉપર ટાંકેલાં પ્રમાણો જે મત દર્શાવે છે તે જ મત ભાષ્યના છેલ્લામાં છેલ્લા અને મોટામાં મોટા ટીકાકાર ઉપાધ્યાય શ્રી યશોવિજયજી પણ સ્વીકારે છે, એ તેઓની ભાષ્ય ઉપરથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy