SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦૦ અનેકાન્ત ચિંતન ઉપયોગપૂર્વક તે જ કાષાયિક માત્રા ન્યૂન કરવાનો અને તેને અત્યંત નિર્મૂલ કરવાનો સંભવ સંજ્ઞી જીવોમાં છે, અને આ પ્રકારનો જે સંભવ તે જ વિકાસ છે. તેથી એકેન્દ્રિય જીવોમાં વિકાસનો પ્રશ્ન જ નથી. વિકાસનો આરંભ જ્ઞાન અને વીર્યની વૃદ્ધિની સાથે હોય છે; અને આ વૃદ્ધિ વૈભાવિક વિકાસની સહચારિણી હોય તો પણ તેવી અવસ્થામાં કોઈ ને કોઈ વખત પણ સ્વાભાવિક વિકાસનો સંભવ છે. ૨. પ્રશ્ન : અવ્યવહાર-રાશિના નિગોદ જીવોને તીવ્ર કષાયનો ઉદય અનાદિકાળથી આજ સુધી અસંભવ હોવા છતાં તેઓએ નિગોદમાં જઈ જ્ઞાન તેમ જ વીર્યની આત્યંતિક અભાવગ્રસ્ત અવસ્થા કેવી રીતે પ્રાપ્ત કરી ? જો તેનો ઉત્તર એ જ હોય કે અનાદિકાળથી તે જીવો એ જ સ્થિતિમાં છે તો તે મારી મુદ્ર બુદ્ધિને ઠીક લાગતો નથી, કારણ કે કર્મ તો સ્વકૃત જ છે. જીવરાશિની હીનતમ અવસ્થામાં જવાનું અને રહેવાનો માટે જ્ઞાનાવરણીય અને વીર્યાન્તરાય કર્મનો જેટલો રસ અને સ્થિતિનો બંધ કરવાની જરૂર છે તેટલો બંધ કરવાનો અવસર તે જીવોને અત્યાર લગી પ્રાપ્ત થયો નથી, કેમ કે તે જીવો હજી સુધી વ્યવહાર-રાશિમાં આવ્યા જ નથી. જ્યારે તે જીવોને અવ્યવહાર-રાશિનું નામ આપ્યું છે ત્યારે આટલું તો માની લીધેલું જ છે કે તે જીવોએ સંજ્ઞી જીવોના ભવને પ્રાપ્ત કર્યો નથી. તો પછી આવા ચીકણાં કર્મ તે જીવોએ કયારે બાંધ્યાં ? જો એમ કહેવામાં આવ્યું હોત કે નિગોદમાં જતાં પહેલાં તે જીવોએ અચાન્ય ભવોમાં ઘોર ચીકણાં કર્મનો બંધ કરી લીધેલો, જેથી નિગોદમાં હીનતમરૂપે રહેવું પડે છે, તો તે કહેવું ઠીક ગણાત. પરંતુ જ્યારે આપણે કહીએ છીએ કે અનાદિ કાળથી તે જીવો નિગોદમાં જ છે તો પ્રશ્ન એ ઉભવે છે કે તેમણે એ ગાઢ ચીકણાં કર્મનો ક્યારે બંધ કર્યો ? જો તેને અવ્યવહાર-રાશિની સંજ્ઞા ન હોત તો એમ પણ કહી શકાત કે તેઓએ અનાદિકાળમાં કોઈ ને કોઈ વખતે તીવ્ર કષાયના ઉદયને લઈને ચીકણાં કર્મનો બંધ કર્યો હશે; પરંતુ જ્યારે તેમને અવ્યવહાર-રાશિ જ કહ્યા છે— અનાદિકાળથી વર્તમાનકાળ સુધી તેઓ વ્યવહાર-રાશિમાં આવ્યા જ નથી– ત્યારે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે તેઓએ એવાં કર્મનો બંધ ક્યારે કર્યો ? આટલી આત્મિક અશુદ્ધિ કયાંથી આવી? શું કોઈ સૃષ્ટિકર્તાએ ઘોર કર્મ સહિત જીવોને ઉત્પન્ન કરી નિગોદમાં ભરી દીધા ? અદ્વૈતવાદીએ બ્રહ્મમાં માયા(કર્મ ?)ની ઉત્પત્તિ અર્થાત્ માયાયુક્ત બ્રહ્મમાં સંસારની ઉત્પત્તિ માનેલી છે, તે મતની કાંઈ સમાનતા જૈન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy