SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ · અનેકાન્ત ચિંતન અવ્યવહારરાશીય જીવો અને મુક્ત જીવોમાં ખાસ હાસ અને વિકાસ કયો છે ? વિકાસ અને હૃાસ શબ્દ સાપેક્ષ છે; જેમાં બ્રાસ હોય તેમાં વિકાસ પણ હોય છે. મુક્તિમાં બ્રાસ નથી, તેથી તેમાં વિકાસનો પણ અવસર નથી. અવ્યવહાર-રાશિમાં શું હ્રાસ હોઈ શકે છે? ના. તેથી જ તેમાં વિકાસ હોય એમ પણ કહી શકાય નહીં. આત્માની સ્વાભાવિક શક્તિનો વિકાસ (વૃદ્ધિ) તે જ વૈભાવિક શક્તિનો હ્રાસ (હાનિ) છે, અને વૈભાવિકતાનો વિકાસ તે જ સ્વાભાવિકતાનો હ્રાસ છે. અવ્યવહાર–રાશિના જીવોમાં સ્વાભાવિક શક્તિનો વિકાસ હોત તો જરૂર કાષાયિક (વભાવિક) સ્થિતિનો હ્રાસ હોત, પરંતુ અવ્યવહાર-રાશિના જીવોમાં સ્વાભાવિક શક્તિનો અંશે પણ વિકાસ હોતો નથી, તેથી તેમનામાં કષાયની માત્રા (પ્રમાણ કે માપ) સંજ્ઞી પંચેન્દ્રિય જીવોની અપેક્ષાએ ન્યૂન હોવા છતાં પણ વૈભાવિક શક્તિનો હ્રાસ સમજવાનો નથી. સૂતેલા અથવા તો મૂછ પામેલા મનુષ્યમાં ક્રોધ, લોભ આદિ કાષાયિક પરિણામનો સ્પષ્ટ પ્રાદુર્ભાવ (આવિર્ભાવ કે પ્રકટતા) નથી, તેથી શું તે મનુષ્યને જાગ્રત મનુષ્યની અપેક્ષાએ વધારે વિકસિત કહેવો? અર્થાત્ જેમ ગાઢ નિદ્રામાં સૂતેલા અથવા તો સખત મૂછને પામેલા મનુષ્યને કાષાયિક પ્રવૃત્તિ ન કરી શકવા માત્રથી મન્દકષાયી કે વિકસિત કહી શકાય નહીં, તે જ પ્રકારે અવ્યવહાર-રાશિગત જીવો સંજ્ઞી પંચેન્દ્રિય જીવો પ્રમાણે કાષાયિક પરિણામ ન કરી શકવા માત્રથી વિકસિત કહી શકાય નહીં. મૂળમાં તેમનામાં જે કાષાયિક પરિણતિની માત્રા ઓછી છે તેનું કારણ આત્મિક અશુદ્ધિની ન્યૂનતા નહીં, પરંતુ સાધનની અપૂર્ણતા અથવા તો નિર્બળતા માત્ર છે. સંજ્ઞી પંચેન્દ્રિય જીવોમાં કષાયની માત્રા વધારે છે અને અવ્યવહારરાશિના જીવોમાં ઓછી છે, કારણ કે અવ્યવહાર-રાશિના જીવો એક કોટાકોટી સાગરોપમની સ્થિતિ પણ બાંધી શકતા નથી અને રસબંધ પણ બહુ જ થોડો કરી શકે છે, જ્યારે સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય સિત્તેર કોટાકોટી સાગરોપમની સ્થિતિ અને વધારેમાં વધારે રસબંધ કરી શકે છે. ભાષાયિક માત્રામાં આટલો ફરક હોવા છતાં પણ અવ્યવહાર-રાશિના જીવો નિકૃષ્ટ જ છે. તેનું કારણ એ છે કે તેમની આત્મિક અશુદ્ધિ અનાદિકાળથી અત્યન્ત અધિક છે; અને સાધનના અભાવે અથવા તો શક્તિની ન્યૂનતાને કારણે અધિક માત્રામાં કષાયબંધ કરી શકતા નથી-સૂતેલા અને મૂછિત મનુષ્યની જેમ. પરંતુ જો તેમને સાધનો અને શક્તિનો લાભ મળી જાય તો તે જ જીવો For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy