SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ નિગોદ જાતિના જીવસમૂહ વિષયક પ્રશ્નોત્તરો • ૧૧૭ જીવની પ્રાથમિક સ્થિતિ અને અંતિમ સ્થિતિ અત્યંત ભિન્ન હોવા છતાં પણ તે એકરૂપે સમાન છે. પ્રાથમિક સ્થિતિ અવ્યવહાર-રાશિના જીવોની અને અંતિમ સ્થિતિ મુક્ત જીવોની. બન્ને સ્થિતિ વચ્ચે અંતર માત્ર આત્મિક શક્તિઓની આવૃતતા(અપ્રકટતા)નું છે, છતાં બન્ને વચ્ચે સમાનતા પણ છે. તે સમાનતા એ છે કે મુક્ત જીવો વિસદશ (વભાવિક અર્થાત્ કર્મજન્ય) પરિણામ પ્રાપ્ત કરતા નથી; તે જ પ્રકારે અવ્યવહાર-રાશિના જીવો અર્થાત્ અનાદિ અનંત અભવ્ય જીવો અથવા તો તેમાંથી કદી બહાર ન નીકળી શકનાર એવા જાતિભવ્ય જીવો પણ વિસદશ પરિણામ પ્રાપ્ત કરી શકતા નથી; એટલે કે જેમ મુક્ત જીવો મુક્તિરૂપ સદશ (સ્વાભાવિક) પરિણામનો નિરંતર અનુભવ કરે છે તેમ અવ્યવહાર-રાશિના પેલા જીવો પણ નિગોદઅવસ્થાયોગ્ય ગાઢ અજ્ઞાન આદિ સદશ પર્યાય-પરંપરાનો જ અનુભવ કરે છે. મુક્ત જીવો મોહપૂર્વક સુખદુઃખનો અનુભવ કરતા નથી; અને અવ્યવહાર-રાશિના જીવો પણ સુખદુઃખને વ્યક્ત(પ્રકટ)પણે અનુભવી શકતા નથી. મુક્ત જીવોની તે અવસ્થા બદલાતી નથી, અને અવ્યવહારરાશિના કાયમી જીવોની પણ તે અવસ્થા ધ્રુવ (કાયમની) છે. આ પ્રકારે બન્ને પ્રકારના જીવોમાં સમાનતા હોવા છતાં કોઈ નૈગોદિક અવસ્થાની ઉપાસના કરતું નથી, પરંતુ સર્વ કોઈ મુક્તિની ઉપાસના કરે છે. જગતમાં ગમે તેવી આસમાની સુલતાની થઈ જાય, તો પણ મુક્ત જીવોને શું ? તે જ પ્રકારે નિગોદના જીવોને પણ શું? મુક્ત જીવોને આર્ત, રૌદ્ર ધ્યાનના પ્રસંગો નથી, તેમ નૈગોદિક જીવોને પણ નથી. તો પછી નૈગોદિક અવસ્થાની ઉપાસના કરવામાં હરકત શી છે? એકમાં જ્ઞાનપૂર્વક દુઃખનો અભાવ છે તો બીજીમાં અજ્ઞાનપૂર્વક દુઃખનો અભાવ છે, પરંતુ દુઃખનો અભાવ તો બન્ને સ્થિતિમાં સમાન છે; છતાં પણ એક સ્થિતિ ઉપાદેય અને બીજી હેય છે, તેનાં કારણો શો ? તેનો વિચાર કરવો જોઈએ. આ પ્રશ્નનો ઉત્તર ગર્ભિત રીતે તો મળી જ ગયો હશે, તો પણ તેને વધારે સ્પષ્ટ કરીએ. અવ્યવહાર-રાશિમાંથી નીકળવાની અવસ્થા અને અગિયારમાં ગુણસ્થાનક સુધીની અવસ્થા વચ્ચે વિવિધ પરિવર્તન (ઉત્પાત–નિપાત યા વિકાસ અને હ્રાસ અર્થાત ચઢાવ-ઉતાર) થયા કરે છે; દુઃખસુખની અનેક અથડામણી તેમાં હોય છે. વિકાસ અને બ્રાસ, જેને જૈન પરિભાષામાં અનુક્રમે વૃદ્ધિ અને હાનિ કહી છે તે, આ સ્થિતિમાં સ્પષ્ટ જણાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy