SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૭. નિગોદ જાતિના જીવસમૂહ વિષયક પ્રશ્નોત્તરો ૧. પ્રશ્ન કર્મબંધના હેતુ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ છે; ' તેમાં પણ કષાય અને યોગનું પ્રાધાન્ય છે. કષાયની તીવ્રતા જીવોના માનસિક વિકાસ પર અવલંબે છે; અર્થાત્ જે શ્રેણીના જીવોનું મન સંપૂર્ણ વિકસિત છે, તેઓના અધ્યવસાય જો કષાયમય થઈ જાય તો તેઓને તીવ્રતમ કષાયની સંભાવના છે. સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાયના, અને ખાસ કરીને મનુષ્યના મનનો વિકાસ સંપૂર્ણ હોવાથી એકેન્દ્રિયાદિ જીવોની અપેક્ષાએ મનુષ્યમાં તીવ્રતમરૂપે કષાયનો સંભવ છે. આ કારણસર એકેન્દ્રિય જીવોમાં તીવ્રતમ કષાયની ઉત્પત્તિનો સંભવ નથી. ઉપર્યુક્ત વિચાર જો બરાબર હોય તો પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે જે અવ્યવહાર-રાશિના જીવ અનાદિકાળથી સૂક્ષ્મ નિગોદમાંથી નીકળ્યા નથી અને વ્યવહાર-રાશિમાં આવવા સમર્થ થયા નથી તેઓને, અનાદિ કાળથી મન ન હોવા છતાં પણ, એવા તીવ્ર કષાયનો બંધ કેવી રીતે થયો કે જેથી કરીને અનાદિકાળથી આજ સુધી પણ તેમને સૂક્ષ્મ નિગોદમાં જ જન્મમરણના ચક્રમાં ભમવું પડે છે. અને એ રીતે જીવશ્રેણીના હીનતમ પર્યાયમાં રોકાઈ રહેવું પડે છે ? તેઓને એ પ્રકારના તીવ્ર કષાયોની ઉત્પત્તિ અને ચીકણા બંધ કરવાનો અવસર કયારે પ્રાપ્ત થયો? ઉત્તર : જીવરાશિ, પુનર્જન્મ, બંધ અને મોક્ષ એ તત્ત્વો પ્રથમ તો આગમસિદ્ધ છે અને પછી સ્વસંવેદન(સ્વાનુભવ)સિદ્ધ પણ છે. જયારે બંધ, મોક્ષ અને જીવરાશિને માન્ય કરી ત્યારે અભવ્ય અને ભવ્યની કલ્પના તેમજ અવ્યવહાર અને વ્યવહારરાશિની કલ્પના પણ ઉત્પન્ન થઈ. આ જ કલ્પના સ્પષ્ટ રૂપે જૈન દર્શનમાં છે. જૈનેતર દર્શનોમાં પણ આ કલ્પનાનું બીજ જણાય છે; જેમ કે, અનેકાત્મવાદી સાંખ્ય, ન્યાય આદિ દર્શનોમાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy