SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ કથાપદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન - ૧૧૫ મનોરમ પરિહાસ કર્યો છે. તેમાં વાદીને પણ છોડ્યો નથી. એ વાદીનો પરિહાસ જાણવા યોગ્ય હોવાથી નીચે આપ્યો છે : न भेतव्यं न बोद्धव्यं न श्राव्यं वादिनो वचः । ज्ञटिति प्रतिवक्तव्यं सभासु विजिगीषुभिः ॥ १ ॥ વિજયેચ્છુએ ડરવું નહિ, સમજવું નહિ, વાદીનું વચન સાંભળવું નહિ, અને જલદી જ સભામાં ઉત્તર આપી દેવો. असंभ्रमा विलज्जत्वमवज्ञा प्रतिवादिनी ( !) हासो राज्ञः स्तवश्चेति पञ्चैते जयहेतवः ॥२॥ સ્વસ્થતા, લજ્જાનો ત્યાગ, પ્રતિવાદીની અવજ્ઞા, હાસ્ય અને રાજસ્તુતિ એ પાંચ જયપ્રાપ્તિનાં નિમિત્તો છે. उच्चैरुद्घोष्य जेतव्यं मध्यस्थश्चेदपण्डितः । पण्डितो यदि तत्रैव पक्षपातोऽधिरोप्यताम् ॥३॥ જો મધ્યસ્થ પંડિત ન હોય તો ઊંચે સ્વરે ઘોષણા કરીને અર્થાત્ બુમરાણ કરી મૂકીને જય મેળવવો; અને જો મધ્યસ્થ પંડિત હોય તો તેના ઉપર પક્ષપાતનો આરોપ મૂકવો. लाभो हेतुर्धनं साध्यं दृष्टान्तस्तु पुरोहितः । आत्मोत्कर्षो निगमनमनुमानेष्वयं विधिः ॥४॥ લાભ એ હેતુ, ધન એ સાધ્ય, પુરોહિત એ દૃષ્ટાંત; અને આત્મોત્કર્ષ એ નિગમન—(બસ) અનુમાનોમાં આ વિધિ છે. अलभ्यं' शास्यमानेन तत्त्वं जिज्ञासुना चिरम् । जिगीषुणां ह्रियं त्यक्त्वा कार्यः कोलाहलो महान् ॥५॥ જયની ઇચ્છાવાળા વાદીએ શરમ છોડી મોટો કોલાહલ કરવો. ૧. ‘અલાસ્યમાનેન' કૃત્તિ ‘અભયં તપ્નમાનેન' કૃતિ ૬ પા: Jain Education International For Private & Personal Use Only -પુરાતત્ત્વ, પુસ્તક ૩ www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy