SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ ૭ અનેકાન્ત ચિંતન નિરાકરણ કરી બાકીના બીજા ઇષ્ટ અંશનું સ્થાપન કરવા માટે વાદી અને પ્રતિવાદી જે પોતપોતાના પક્ષનું સાધન અને સામેના પક્ષનું નિરસન કરે છે તે વાદ. આ લક્ષણમાં અક્ષપાદના વાદ અને જલ્પનો સમાવેશ થાય છે, વિતંડાનો નહિ. હેમચંદ્ર કહે છે કે પ્રાશ્વિક (સભ્ય), સભાપતિ અને પ્રતિવાદીની સમક્ષ તત્ત્વનિશ્ચયની રક્ષા માટે પોતાના પક્ષનું સાધન અને પરપક્ષનું દૂષણ કહેવું તે વાદ૧. હેમચંદ્ર પણ પોતાના એ વાદના લક્ષણમાં અક્ષપાદકથિત વાદ અને જલ્પ એ બંને કથાનો સમાવેશ કરે છે અને લાંબી ચર્ચા પછી કહે છે કે વાદથી જલ્પની કાંઈ ભિન્નતા નથી. વિતંડા માટે તો તે કહે છે કે પ્રતિપક્ષસ્થાપના વિનાની વિતંડા એ તો કથા જ નથી; કારણ કે વૈતંડિક પોતાનો પક્ષ લઈ તેને સ્થાપન ન કરતાં જો કાંઈ પણ બોલી પરપક્ષને જ દૂષિત કરે તો તેનું કથન કોણ સાંભળે ? તેથી વૈતંડિકે પોતાના પક્ષનું સ્થાપન તો કરવું જ રહ્યું; અને એમ કરે એટલે તેની કથામાં વિતંડાપણું રહેતું જ નથી, કાં તો તે કથા વાદ અને કાં તો જલ્પ બની જાય છે. માટે જ વિતંડા એ કથાકોટિમાં આવી શકતી નથી. વાદી (પ્રારંભક) પ્રતિવાદી (પ્રત્યારંભક)વાદી બે પ્રકારના હોય છે. એક વિજયેચ્છુ અને બીજો તત્ત્વનિર્ણયચ્છુ. તત્ત્વનિર્ણયચ્છુના વળી બે પ્રકારો છે. કોઈ પોતે જ તત્ત્વનિર્ણય મેળવવા ઇચ્છે છે. તે સ્વાત્મનિ તત્ત્વનિર્ણયેચ્છુ કહેવાય; જ્યારે બીજો સ્વયં નિર્ણયવાન્ હોઈ બીજાને તત્ત્વનિર્ણય કરાવી આપવા ઇચ્છે છે તે પરન્ત્રતત્ત્વનિર્ણયેચ્છુ કહેવાય. આ બેમાંથી પરતત્ત્વનિર્ણયેચ્છુના પણ બે પ્રકાર સંભવે છે. એક અસર્વજ્ઞ અને બીજો સર્વજ્ઞ. આ રીતે (૧) વિજયેચ્છુ (૨) સ્વાત્મનિતત્ત્વનિર્ણયેચ્છુ (૩) અસર્વજ્ઞપરત્રતત્ત્વનિર્ણયેચ્છુ (૪) સર્વજ્ઞપ૨ત્રતત્ત્વનિર્ણયેચ્છુ, એમ ચાર પ્રકારના વાદી થયા. પ્રતિવાદી પણ ઉપરની રીતે જ ચાર સંભવી શકે. તેમાંથી કઈ કઈ १. तत्त्वसंरक्षणार्थं प्राश्निकादिसमक्षं साधनदूषणवदनं वादः । प्रमाणमीमांसा ॥ २-१૩૦ ॥ ૨. તત્ર વાવાત્ ખન્વસ્ય બ્રિદ્વિશેષોઽસ્તિ ! પ્રમાળમીમાંસા. 3. प्रतिपक्षस्थापनाहीनाया वितण्डाया कथात्वायोगात् । वैतण्डिको हि स्वपक्षमभ्युपगम्यास्थापयन्यत्किञ्चिद्वादेन परपक्षमेव दूषयन् कथमवधेयवचनः । प्रमाणमीमांसा. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy