SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ ૦ અનેકાન્ત ચિંતન नावैमि किं वदसि कस्य कृतान्त एष सिद्धान्तयुक्तमभिघत्स्व कुहैतदुक्तम् । ग्रन्थोऽयमर्थमवधारय नैष पन्थाः क्षेपोऽयमित्यविशदागमतुण्डबन्धः ॥८॥ “તું શું બોલે છે. હું નથી સમજતો. આ તે કોનો સિદ્ધાંત છે ? સિદ્ધાંતયુક્ત બોલ, આ કચાં કહ્યું છે ? આ ગ્રંથ રહ્યો, અર્થ નક્કી કર. આ માર્ગ (રીત) નથી. આ પ્રક્ષેપ છે.” એ રીતે અસ્પષ્ટ-આગમવાળા પ્રતિવાદીનું મુખ બંધ કરાય છે. ૮૫ आम्नायमार्गसुकुमारकृताभियोगा क्रूरोत्तरैरभिहतस्य विलीयते धीः । नीराजितस्य तु सभाभटसंकटेषु शुद्धप्रहारविभवा रिपवः स्वपन्ति ॥२१॥ કઠોર ઉત્તરો વડે જે પુરુષ આઘાત પામી જાય છે તેની બુદ્ધિ જો આમ્નાય માર્ગને અનુસરી સુકુમાર અભિયોગ કરનારી હોય છે તો તે વિલીન થઈ જાય છે. પણ જે પુરુષ એવા કઠોર ઉત્તરો વડે ઉત્તેજિત થઈ જાય છે, તેના શત્રુઓ સભાભટોથી ભરેલા રણાંગણમાં ચોખ્ખો માર ખાઈ સૂઈ જાય છે. II૨૧/ किं मर्म नाम रिपुषु स्थिरसाहसस्य मर्मस्वपि प्रहरति स्ववधाय मन्दः । आशीविषो हि दशनै: सहजोग्रवीर्यैः क्रीडन्नपि स्पृशति यत्र तदेव मर्म ॥ २६ ॥ જેનું સાહસ સ્થિર છે તેને માટે શત્રુના વિષયમાં મર્મસ્થાન શું જોવાનું હોય ? અને જે મંદ છે તેના માટે તો પોતે મર્મ ઉપર કરેલો પ્રહાર સ્વનાશનું કારણ થઈ જાય છે. કારણ કે સહજ અને પ્રચંડ વીર્યવાળા દાંતો વડે ક્રીડા કરતો આશીવિષ સર્પ જ્યાં સ્પર્શ કરે તે જ મર્મ થઈ જાય છે. I।૨૬।। मन्दोप्यहार्यवचनः प्रशमानुयातः स्फीतागमो ऽप्यनिभृतः स्मितवस्तु पुंसाम् । तस्मात् प्रवेष्टुमुदितेन सभाम यत्नः श्रुताच्छतगुणः सम एव कार्यः ॥ २७ ॥ મંદ, અલ્પાભ્યાસી જો શાંત ચિત્તવાળો હોય છે તો તેનું વચન અખંડનીય થાય છે. તેથી ઊલટું, બહુ અભ્યાસી પણ જો અશાંતચિત્ત હોય છે For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy