SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ કથા પદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન • ૯૯ તો તે પુરુષોમાં ઉપહાસપાત્ર બને છે. એટલા માટે સભ્યોના મનમાં સ્થાન મેળવવા તત્પર થનારે શાસ્ત્ર કરતાં પ્રશમના વિષયમાં જ સોગણો પ્રયત્ન કરવો જોઈએ. રા. आक्षिप्य यः स्वसमयं परिनिष्ठुराक्षः पश्यत्यनाहतमनाश्च परप्रवादान् आक्रम्य पार्थिवसभाः स विरोचमानः शोकप्रजागरकृशान् द्विषतः करोति ॥२८॥ જો પોતાના સિદ્ધાંતનું સ્થાપન કરી નિર્ભય મન અને નિષ્ફર નેત્રવાળો થઈ પ્રતિવાદીઓ સામે જુએ છે તે રાજસભા ઉપર કાબૂ મેળવી તેજસ્વી બનેલો પોતાના શત્રુઓને શોક અને જાગરણના દુઃખથી દુર્બળ કરી મૂકે છે. |૨૮ किं गर्जितेन रिपुषु त्वभितोमुखेषु किं त्वेव निर्दयविरूपितपौरुषेषु । वाग्दीपितं तृणकृशानुबलं हि तेजः कल्पात्ययस्थिरविभूतिपराक्रमोत्थम् ॥२९॥ સંમુખ થઈ બેઠેલા શત્રુઓમાં ગર્જન કરવાથી શું થવાનું છે? તેમ જ નિર્દયભાવે જેઓ પૌરુષ નિહાળી રહ્યા હોય તેમની વચ્ચે પણ ગર્જન કરવાથી શું થવાનું છે ? કારણ કે વાણીથી પ્રકટાવેલું તેજ માત્ર ઘાસના અગ્નિ જેટલું બળ ધરાવે છે. કલ્પાંત સુધી સ્થિર રહે તેવું તેજ પરાક્રમથી જ પ્રકટી શકે છે. ૨૯ परिचितनयः स्फीतार्थोऽपि श्रियं परिसंगतां न नृपतिरलं भोक्तुं कृत्स्नां कृशोपनिषद्बलः । विदितसमयोऽप्येवं वाग्मी विनोपनिषक्रियां न तपति यथा विज्ञातारस्तथा कृतविग्रहाः ॥३२॥ જેમ સમૃદ્ધિશાળી અને નીતિજ્ઞ હોવા છતાં પણ જો રાજા રહસ્યબળથી દુર્બળ હોય છે તો તે પ્રાપ્ત થયેલી સંપૂર્ણ સંપત્તિને ભોગવી શકતો નથી, તેમ શાસ્ત્રોનો જ્ઞાતા હોવા છતાં, (વાદના) રહસ્યને ન જાણતો હોય તો તે (જનસમૂહમાં) દીપી ઊઠતો નથી. કારણ કે જે (વાદી અગર રાજા) જે રીતે જ્ઞાતા હોય તે રીતે તે વિગ્રહ કરી શકે. ૩૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy