SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ કથાપદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન ૦ ૯૭ સંબંધ વિનાનું, શાસ્ત્રવિરુદ્ધ, પરીક્ષા વિનાનું, અસાધક, બુદ્ધિને વ્યામોહમાં નાંખે તેવું અને કાંઈ પણ બોધન કરે તેવું વાચ વાદી ન જ બોલે. તે જે બોલે તે હેતુયુક્ત જ બોલે, કારણ કે હેતુયુક્ત વાદવિગ્રહો વિશદ હોઈ, બુદ્ધિને પ્રશસ્ત બનાવે છે અને એવી પ્રશસ્ત બુદ્ધિ જ દરેક કાર્યની સિદ્ધિ કરે છે. આ ઉપરાંત બીજાં કેટલાંક પ્રકરણો ચરકમાં વર્ણવ્યાં છે, જે અહીં વિસ્તારભયથી ન આપી શકાય, પણ એ બધું ચરકનું વર્ણન એટલું બધું સ્પષ્ટ, રોચક અને અનુભવસિદ્ધ છે કે તે વિશેષ જિજ્ઞાસુએ ખાસ જોવા જેવું છે. જુઓ ચરક, વિમાનસ્થાન અધ્યાય ૮, રોગભિષગ્નિતીયવિમાન. પરિશિષ્ટ ૪ વિભાગ ૧ સિદ્ધસેનદિવાકરકૃત દ્વાત્રિંશિકાઓ વાદોપનિષદ્ દ્વાત્રિંશિકા धर्मार्थकीर्त्यधिकृतान्यपि शासनानि । न ह्वानमात्रनियमात् प्रतिभान्ति लक्ष्म्या । संपादयेन्नृपसभासु विगृह्य तानि येनाध्वना तमभिधातुमविघ्नमस्तु ॥१॥ જે દ્વારા ધર્મ, અર્થ અગર કીર્તિ મેળવવી ઇષ્ટ હોય એવાં શાસનો (માનપત્ર, દાનપત્ર અને આજ્ઞાપત્ર આદિ ફરમાનો) કેવળ સ્પર્ધાને લીધે કાંઈ શોભતાં નથી; તેથી જે માર્ગે રાજસભાઓમાં વિગ્રહ કરીને તેવાં શાસનો સંપાદન કરવાં ઘટે તે માર્ગનું (વાદનું) કથન કરવામાં નિર્વિઘ્નતા 31. 11911 पूर्वं स्वपक्षरचना रभसः परस्य वक्तव्यमार्गमनियम्य विजृंभते यः । आपीड्यमानसमयः कृतपौरुषोऽपि नौच्चैः शिरः स वदति प्रतिभानवत्सु ॥७॥ પ્રથમ જ પોતાના પક્ષની સ્થાપનામાં તત્પર એવા પ્રતિવાદીના વક્તવ્યમાર્ગ ઉપર અંકુશ મૂક્યા સિવાય જે વાદી વાક્યેષ્ટા કરે છે, તે પૌરુષવાન્ છતાં પોતાનો અવસર ગુમાવેલો હોવાથી વિદ્વાનોની સભામાં ઊંચું મસ્તક કરી બોલી શકતો નથી. IIણા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy