SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ ૦ અનેકાન્ત ચિંતન હેતુ, દૃષ્ટાંત ઉપનય અને નિગમનની વ્યાખ્યા ન્યાયસૂત્રના જેવી જ છે. ન્યાયશાસ્ત્રની ‘જાતિ’ એ જ ચરકનું (૧૫) ‘ઉત્તર’ તત્ત્વ છે. ફેર એટલો છે કે ચરકમાં ન્યાયદર્શન જેવા ચોવીસ ભેદો નથી અને ઉદાહરણો દાર્શનિક ન આપતાં ચિકિત્સાશાસ્ત્રનાં આપેલાં છે. (૧૬) સિદ્ધાંતની વ્યાખ્યા અને સર્વતંત્ર આદિ ચાર ભેદો એ બધું ચ૨કમાં ન્યાય જેવું જ છે. (૧૭) થી (૨૩) સુધીના બધા પદાર્થો ન્યાય પ્રમાણે જ છે. ચરકનું (૨૪) સવ્યભિચાર તત્ત્વ ન્યાયના અનૈકાંતિક હેત્વાભાસને સ્થાને છે. ચરકમાં (૨૫) જિજ્ઞાસા અને (૨૬) વ્યવસાયને અનુક્રમે પરીક્ષા અને નિર્ણય કહે છે. દાર્શનિકોની અર્થા૫ત્તિ એ જ ચરકનીં (૨૭) અર્થપ્રાપ્તિ છે. ચરકનું (૨૮) સંભવતત્ત્વ એટલે કારણ; તેમાં દાર્શનિકોના સંભવ પ્રમાણનો પણ સમાવેશ થઈ જાય છે. ચરક જે વાક્યમાં વાક્યના દોષો હોય તે વાક્યને (૨૯) અનુયોજ્ય જેમાં ન હોય તેને (૩૦) અનનુયોજન કહે છે. ચરક પ્રશ્ન અને પ્રતિપ્રશ્નને અનુક્રમે (૩૧) અનુયોગ અને (૩૨) પ્રત્યનુયોગ કહે છે. ચરકમાં ન્યૂન, અધિક, અનર્થક, અપાર્થક અને વિરુદ્ધ એ પાંચ (૩૩) વાક્યદોષો બતાવ્યા છે, જેમાંના પ્રથમ ચાર તો બાવીસ નિગ્રહસ્થાનો પૈકી (૧૧) (૧૨) (૭) અને (૯) નિગ્રહસ્થાનો જ છે. અને વિરુદ્ધ એ અક્ષપાદનો બીજો હેત્વાભાસ છે. ન્યૂનાદિ ઉક્ત પાંચ દોષો ન હોય એવા વાક્યને ચરક વાકયપ્રશંસા કહે છે. ચરકમાં વાછળ અને સામાન્ય છળ એ બે જ (૩૫) છળ છે. તેમાં ન્યાયનું ઉપચાર છળ નથી. ચરકમાં (૩૬) અહેતુ(હેત્વાભાસ)ના પ્રક૨ણસમ, સંશયસમ, અને વર્ણસમ એ ત્રણ ભેદો છે, જે અનુક્રમે ન્યાયસૂત્રના પાંચ હેત્વાભાસ પૈકી પ્રક૨ણસમ, સવ્યભિચાર અને સાધ્યસમને સ્થાને છે. ચરકના (૩૭) અતીતકાલ અને ન્યાયના કાલાતીત (કાલાત્યયાપદિષ્ટ) વચ્ચે ખાસ સામ્ય નથી. હેત્વાભાસોનું ઉદ્ભાવન કરવું તે (૩૮) ઉપાલંભ અને એનું સમાધાન કરવું તે (૩૯) પરિહાર. (૮૦) થી (૪૩) સુધીનાં બધાં ચરકકથિત તત્ત્વો ન્યાયનાં નિગ્રહસ્થાનો જ છે. ફેર એટલો છે કે ન્યાયની મતાનુજ્ઞાને ચરક અભ્યનુજ્ઞા કહે છે. (૪૪) નિગ્રહસ્થાન એ ન્યાયનું નિગ્રહસ્થાન છે. એના ન્યાયદર્શનવર્ણિત બાવીસે ભેદો ચરકમાં નથી પણ ઉપર બતાવેલા ન્યૂન, અધિક આદિ અને પ્રતિજ્ઞાહાનિ આદિ થોડાક જ ભેદો ચરકમાં દેખાય છે. ઉપર પ્રમાણે ૪૪ તત્ત્વો કહ્યા બાદ ચરકકાર વાદનો ઉપસંહાર કરતાં જે ભલામણ કરે છે તે કોઈ પણ શાસ્ત્રના વાદીને કામની છે. તે કહે છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy