SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય દર્શનોમાં ઈશ્વર ७७ ગીતાનિ તેનુ યુદ્ રિ ૩૬નમતે રૂ.૨.૨૫. જયંત ભટ્ટના નીચેના શબ્દો આ માન્યતાનું સ્પષ્ટ નિરૂપણ કરે છે. જે દિ યોક્રિસિદ્ધચ વિહિતનિવિનિનધધર્મ निर्माय तदुपभोगयोग्यानि तेषु तेषूपपत्तिस्थानेषु तानि तानि सर्वेन्द्रियाणि शरीराणि, खण्डान्तःकरणानि च मुक्तैरात्मभिरुपेक्षितानि गृहीत्वा सकलकर्मफलमनुभवति प्राप्तैश्वर्य इतीत्थमुपभोगेन कर्मणां क्षयः । न्यायमञ्जरी, काशी संस्कृत सिरिझ, भाग २, पृ. ८८. હવેચાયભાષ્યની પ્રસ્તુત કંડિકાની અમારી સમજૂતી આપીએ છીએ. તેનીચે પ્રમાણે છે : ઈશ્વરમાં એક વિશિષ્ટ ધર્મ સમવાયસંબંધથી રહેલો છે. આ ધર્મ તેણે પૂર્વે કરેલા સારા કાર્યનું પરિણામ છે. આ ધર્મ બે ફળો આપે છે-(૧) તે ધર્મ ઈશ્વરમાં સમવાયસંબંધથી રહેલા બધા સંચિત ધર્માધર્મને વિપાકોમુખ કરે છે. (૨) તે ધર્મ પૃથ્વી આદિ ભૂતોને યોગજ શરીરનું નિર્માણ કરવા પ્રવૃત્ત કરે છે. પરંતુ આ બે ફળો તે ધર્મ ક્યારે આપે છે? આ બે ફળો તે ધર્મ ત્યારે જ આપે છે જ્યારે ઈશ્વર પોતાનાં બધાં સંચિત કર્મોનાં સઘળાં ફળોને ભોગવી લેવાની ઈચ્છા કરે છે અને તે માટે યોગજ શરીરોનું નિર્માણ કરવાની ઇચ્છા કરે છે. આ કારણે કહ્યું છે કે તે ધર્મ ઈશ્વરની પોતાની ઇચ્છાને અનુસરે છે. આમ યોગજ શરીરોનું નિર્માણ કરવાની ઈશ્વરની ઇચ્છા વ્યાઘાત પામતી નથી, આવી વ્યાઘાત ન પામતી ઇચ્છા ઈિશ્વરે પૂર્વે કરેલા કોઈ ખાસ સારા કાર્યનું ફળ છે. આ અવ્યાહત ઇચ્છાને ઈશ્વરના પૂર્વકૃત કર્મનું ફળ ગણવી જોઈએ કારણ કે પૂર્વે કરેલ કર્મનું ફળ અવશ્ય મળે છે જ. (c) आप्तकल्पश्चायम् । यथा पिता अपत्यानां तथा पितृभूत ईश्वरो भूतानाम् । સમજૂતીઃ ઈશ્વર આસ છે-જેનામાં વિશ્વાસ, શ્રદ્ધા રાખી શકાય એવો છે, જેને પ્રમાણ તરીકે સ્વીકારી શકાય તેવો છે. જેમ પિતા પુત્રને માટે આ છે તેમ ઈશ્વર સર્વ પ્રાણીઓને માટે આપ્ત છે. પિતા પુત્રનો માર્ગદર્શક છે, ઈશ્વર સર્વ પ્રાણીઓનો માર્ગદર્શક છે. પિતા પુત્રના હિત-સુખને માટે તેને ઉપદેશ આપે છે, ઈશ્વર સર્વ જીવોને દુઃખમુક્તિ માટે ઉપદેશ આપે છે. વાત્સ્યાયન કેવળ આસતાની બાબતમાં જ પિતાપુત્ર અને ઈશ્વર-જીવ સંબંધો વચ્ચે સામ્ય દર્શાવવા માગે છે. આ દષ્ટાન્ત (analogy) એથી વિશેષ લંબાવવું વાત્સ્યાયનને ઈષ્ટ નથી. દાખલા તરીકે, જેમ પુત્રને પિતા પેદા કરે છે તેમ જીવને ઈશ્વર પેદા કરે છે, અથવા જેમ પુત્ર પિતાનો અંશ છે તેમ જીવ ઈશ્વરનો અંશ છે, વગેરે. આવું વાત્સ્યાયનને માન્ય નથી, અભિપ્રેત નથી. વાસ્યાયનને મતે ઈશ્વર એવી વ્યક્તિ છે જેના ઉપદેશમાં નિઃશંકપણે વિશ્વાસ મૂકી શકાય-ખાસ કરીને દુઃખમુક્તિના ઉપાયની બાબતના ઉપદેશમાં. ઈશ્વરે આપતા કેવી રીતે પ્રાપ્ત કરી? તેણે મિથ્યાજ્ઞાન, અધર્મ અને પ્રમાદનો નાશ કરી તે દ્વારા સમ્યક જ્ઞાન, ધર્મ અને સમાધિ પ્રાપ્ત કરીને આમતાને પ્રાપ્ત કરી છે. વળી, આ પુરવાર કરે છે કે ઈશ્વર એ જીવન્મુક્ત જ છે કારણ કે જીવન્મુક્ત જ પરમોત્કૃષ્ટ ઉપદેશ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001201
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherJagruti Dilip Sheth Dr
Publication Year1998
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy