SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય તત્ત્વજ્ઞાન કર્મના મૂળભૂત આઠ પ્રકાર છે. તેમને કર્મની આઠ મૂળ પ્રકૃતિઓ કહેવામાં આવે છે. તે નીચે પ્રમાણે છે : - (૧) જ્ઞાનાવરણીય કર્મ – આત્માની જ્ઞાનશક્તિને ઢાંકનાર કર્મ જ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે. (૨) દર્શનાવરણીય કર્મ – અહીં દર્શનનો અર્થ નિરાકાર ઉપયોગ - બોધ છે. આત્માની નિરાકાર ઉપયોગરૂપ શક્તિને ઢાંકનાર કર્મો દર્શનાવરણીય કર્મ કહેવાય છે. (૩) વેદનીય કર્મ – જે કર્મો સુખદુ:ખનો અનુભવ કરાવે છે તે વેદનીય કર્મ કહેવાય છે. (૪) મોહનીય કર્મ – મોહનીય કર્મના બે ભેદ છે : દર્શનમોહનીય કર્મ અને ચારિત્રમોહનીય કર્મ. તત્ત્વપક્ષપાતને રૂંધનાર કર્મ દર્શનમોહનીય કર્મ કહેવાય છે અને ચારિત્રને રૂંધનાર કર્મ ચારિત્રમોહનીય કર્મ કહેવાય છે. " (૫) આયુષ્યકર્મ – જે કર્મ આયુષ્યની મર્યાદાનું નિયમન કરે છે તે આયુષ્યકર્મ કહેવાય છે. (૬) નામકર્મ – જેનાથી એકેન્દ્રિય આદિ ભિન્ન જાતિઓ અને મનુષ્ય આદિ ભિન્ન ભિન્ન ગતિઓ તેમ જ શરીર, રૂપ, સ્વર આદિ વ્યક્તિત્વને ઘડતી બાબતો નક્કી થાય છે તે નામકર્મ છે. (૭) ગોત્રકર્મ – જે કર્મ ઉચ્ચ-નીચ ગોત્ર અને સામાજિક મોભો, માનમરતબો નક્કી કરી આપે છે તે ગોત્રકર્મ કહેવાય છે. (૮) અન્તરાયકર્મ – દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્યમાં અન્તરાય ઊભો કરવાનું કાર્ય કરે છે તે કર્મ અન્તરાયકર્મ. (તત્ત્વાર્થસૂત્ર ૮.૪) જેનોએ કર્મની દશ અવસ્થાઓ માની છે. તે નીચે પ્રમાણે છે : (૧) બંધ – કર્મનીબંધાવસ્થામાં, કર્મયુગલોનો આત્માની સાથેનીરક્ષીરસંબંધ હોય છે. (૨) સત્તા – કર્મની સત્તાવસ્થામાં, કર્મપુદ્ગલો પોતાનું ફળ ન આપતાં કેવળ સત્તારૂપે રહે છે. (૩) ઉદય – કર્મની ઉઠયાવસ્થામાં, કર્મયુદ્દગલો પોતાનું ફળ આપવા તત્પર થાય છે અને પોતાનું ફળ આપે છે. (૪) ઉદીરણા – કર્મની ઉદીરણાવસ્થામાં, કર્મપુલોને ખાસ પ્રયત્નવિશેષથી આત્મા તેમના નિયત સમય પહેલાં ફળ આપવા ઉન્મુખ બનાવે છે. (૫) સંક્રમણ – કર્મની સંક્રમણાવસ્થામાં, આત્માના ખાસ પ્રયત્નવિશેષથી એક કર્મપ્રકૃતિનું અન્ય સજાતીય કર્મપ્રકૃતિમાં પરિવર્તન થાય છે. (૬)-(૭) ઉદ્દવર્તના-અપવર્તના – કર્મની તે અવસ્થા છે જેમાં તેની સ્થિતિ અને રસમાં વધારો થાય તે ઉદ્વર્તના અને જેમાં ઘટાડો થાય તે અપવર્તના. અહીં પણ આ વધારો કે ઘટાડો આત્માના પ્રયત્નવિશેષથી થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001201
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherJagruti Dilip Sheth Dr
Publication Year1998
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy