SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનવિષયક સમસ્યાઓનો સામાન્ય પરિચય સને, વસ્તુને (Realityને) આપણે કેવી રીતે જાણી શકીએ છીએ એ પ્રશ્ન અત્યન્ત મહત્ત્વનો છે. જેના વડે આપણે વસ્તુને જાણી શકીએ એવાં કોઈ સાધનો છે? જો હોય તો કેટલાં છે અને શા આધારે આપણે તેમને યથાર્થ જ્ઞાનનાં પ્રમાનાં) સાધનો ગણી શકીએ? જ્ઞાનના યથાર્થની (પ્રામાણ્યની) કસોટી શી છે? જ્ઞાનને અને જ્ઞાનના યથાર્મેને આપણે કેવી રીતે જાણીએ છીએ? જ્ઞાન અંગેની આ કેટલીક સમસ્યાઓ છે. આ સમસ્યાઓનો ઉત્તર ભારતીય દર્શનોએ શો આપ્યો છે તે આપણે સંક્ષેપમાં અહીં નિરૂપીશું. પ્રમા(પ્રમાણ યથાર્થ જ્ઞાન)નું લક્ષણ કણાદને મતે જે જ્ઞાન દોષરહિત છે તે જ્ઞાન જ યથાર્થ છે, પ્રમાણ* છે, વિદ્યા છે.' તેમનો કહેવાનો આશય એ છે કે જે જ્ઞાનનું કારણ દોષરહિત છે તે જ્ઞાન જ યથાર્થ છે. વાત્સ્યાયન સર્વ ઉપલબ્ધિને યથાર્થ જ્ઞાન કહે છે. પરંતુ એ હકીક્ત એમના ધ્યાન બહાર નથી કે બધાં જ્ઞાનો યથાર્થ (પ્રમા=પ્રમાણ) નથી પરંતુ તે ફાનો જ યથાર્થ છે જે વસ્તુને જેવી છે તેવી રજૂ કરે છે (અર્થવત્ પ્રમાણમ). વાચસ્પતિ ‘અર્થવતુ’ શબ્દનો અર્થ કરે છે અર્થવ્યભિચારિ. ‘અર્થાવ્યભિચારિ થી પોતે શું કહેવા માગે છે તે વાચસ્પતિ વિશદ રીતે સમજાવે છે. આ ધર્મને પ્રમાલક્ષણમાં તે અક્ષરશઃ મૂકે છે.“આમ જ્ઞાનનો અર્થ સ્વભાવ સાથે અવિસંવાદ જ જ્ઞાનનું ભાથાર્થ કે પ્રામાણ્ય છે. ઉત્તરકાલીન તૈયાયિકો વાચસ્પતિનું અનુસરણ કરે છે અને કહે છે કે અર્થમાં જે ધર્મ ખરેખર હોય તે ધર્મસહિત અર્થને રજૂ કરનારું જ્ઞાન પ્રમાણ (યથાર્થ) છે. તેથી તર્કસંગ્રહમાં યથાર્થ અનુભવનું લક્ષણ આ. પ્રમાણે છે- તતિ તારોડનુમવો યથાર્થ વળી, જ્ઞાનના તજજન્ય પ્રવૃત્તિ સાથેના સંવાદને પ્રમાણના એક લક્ષણ તરીકે રજૂ કરતાં પણ તૈયાયિકો ખચકાતા નથી. જે જ્ઞાન અર્થક્રિયાકારી છે, અર્થાત્ જે જ્ઞાન પ્રવૃત્તિને સફળ બનાવે છે તે જ્ઞાન યથાર્થ (અર્થવતુ = પ્રમાણ) છે. આ છે જ્ઞાનનો સ્વજન્ય પ્રવૃત્તિ સાથેનો અવિસંવાદ." પ્રભાકરે અનુભૂતિને જ પ્રમાણના લક્ષણરૂપે પ્રસ્તુત કરી છે. બૌદ્ધ પ્રભાવ હેઠળ ભાદ મીમાંસકોએ અગૃહીતગ્રાહિત્યને પ્રમાણના એક અનિવાર્ય ધર્મ તરીકે સ્વીકાર્યું છે. તેઓ એવા મતના છે કે તે જ જ્ઞાનને પ્રમાણ ગણી શકાય જે યથાર્થ હોવા ઉપરાંત અગૃહીતગ્રાહી હોય. જે જ્ઞાન કંઈ નવું જ્ઞાન ન કરાવે અને પિષ્ટપેષણરૂપ હોય તે જ્ઞાન યથાર્થ હોવા છતાં વ્યર્થ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001201
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherJagruti Dilip Sheth Dr
Publication Year1998
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy