SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ 12 જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો સમય (samava) આ જૈનદાર્શનિક પરંપરાનો પારિભાષિક શબ્દ છે અને તે કાળ(ime)ના અત્યંત સૂક્ષ્મતમ માપ માટે વપરાય છે. એના કરતાં સૂક્ષ્મતમ કોઈ માપ નથી. આવલિકા શબ્દ પણ જૈન પારિભાષિક શબ્દ છે અને અસંખ્યાતા સમયની એક આવલિકા થાય છે. જૈનશાસ્ત્ર પ્રમાણે એક મુહૂર્ત એટલે કે 48 મિનિટમાં 1,67,77,216 આવલિકા હોય છે. એટલે કે એક સેકંડમાં 5825.422.. આવલિકા જેટલો સમય પસાર થઈ જાય છે, પરંતુ આ એક આવલિકા જેટલા કાળમાં કેટલા સમય (samaya) પસાર થાય છે, તેનું કોઈ ચોક્કસ માપ શાસ્ત્રમાં ઉપલબ્ધ નથી, છતાં એક આવલિકામાં અસંખ્યાતા સમય પસાર થઈ જાય છે તેમ શાસ્ત્રમાં કહેલ છે. આ અસંખ્યાતનો અર્થ “ન ગણી શકાય અથવા આંકડામાં ન લખી શકાય તેવી સંખ્યા કરવાનો છે. અત્યારે વિજ્ઞાનીઓ કાળના સૂક્ષ્મ એકમ તરીકે સેકંડ ગણે છે અને તેના 1,000 અબજમાં ભાગ (12) સુધીનું માપ લઈ શકે છે, તેને Pico સેકંડ કહે છે પરંતુ આ જૈન પારિભાષિક માપ-સમય, એના કરતાં પણ સૂક્ષ્મ છે. જોકે સમયનું માપ સેકંડમાં બતાવવું શક્ય નથી, છતાં શ્રી નંદલાલ જૈનની એક ગણતરી પ્રમાણે 1સમય બરાબર 10-30 થી 10-0સે. સુધીનું હોઈ શકે. આવા અત્યંત સૂક્ષ્મકાળમાં પરમાણુની ઉત્કૃષ્ટ ગતિ, એક સમયમાં, 14 રાજલોક પ્રમાણ ઊંચા આ બ્રહ્માંડના છેક નીચેના છેડાથી લઈને છેક ઉપરના છેડા સુધીની છે. 1 રજુ અથવા રાજલોકનું માપ કાઢવા માટે સી.ટી. કલબૂક તથા શ્રી જી. આર. જૈન પ્રયત્ન કર્યો છે પરંતુ તેઓએ બતાવેલ માપ, જૈનશાસ્ત્રોની માન્યતા સાથે બંધબેસતું આવતું નથી. છેલ્લે છેલ્લે મુનિ શ્રી મહેન્દ્રકુમાર “દ્વિતીયએ પણ તે માપ કાઢવા સારો એવો પરિશ્રમ કર્યો છે અને તેઓની ગણતરી પ્રમાણે 1 રાજલોકનું ઓછામાં ઓછું માપ નીચે પ્રમાણે છે : 1 ર જુ = 4.00 x 10 (1.810 + | miles. આવા 14 રજુ અથવા રાજલોક પ્રમાણ અંતર, પરમાણુ ફક્ત એક જ સમયમાં કાપે છે જોકે રજુની આ કિંમત, વાસ્તવિક નથી, છતાં સી.ટી. કોલબૂક અને જી. આર. જૈને શોધેલી કિંમત કરતાં વધુ વિશ્વાસપાત્ર તો છે જ. આ પરિસ્થિતિમાં કોઈ પણ પદાર્થનો વેગ, પ્રકાશ કરતાં વધુ ન હોઈ શકે, તેમ કહેવું ઉચિત જણાતું નથી. તથા પ્રકાશ કરતાં વધુ વેગવાળા પરમાણુઓ(પદાર્થો)નો વેગ, પ્રકાશના વેગ કરતાં ઓછો ક્યારેય થતો નથી એમ કહેવું પણ યોગ્ય નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy