SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શનની દષ્ટિએ આઈન્સ્ટાઈનના વિશિષ્ટ 11 જેટલા વેગવાળા અને પ્રકાશ કરતાં વધુ વેગવાળા પદાર્થોને કોઈ પણ વ્યક્તિ જોઈ શક્તી નથી તથા તેની ફિલ્મ પણ ઉતારી શકાતી નથી અને એટલે જ આઈન્સ્ટાઈને કહ્યું કે કોઈ પણ પદાર્થનો વેગ પ્રકાશના વેગ કરતાં વધુ હોતો નથી. અને અપેક્ષાએ આઇન્સ્ટાઇનની આ વાત સત્ય પણ છે કારણ કે પ્રકાશ કરતાં વધુ વેગ પ્રાપ્ત કરનાર પદાર્થ એકદમ સૂક્ષ્મ અને વિશિષ્ટ પ્રકારના અણુઓમાંથી બનેલો હોવો જોઈએ કે જે પ્રકાશના ફોટૉન કણો કરતાં પણ સૂક્ષ્મ હોવા જોઈએ તથા કોઈ પણ પ્રકારના ઘર્ષણ વગેરે અવરોધને પહોંચી વળે તેવા હોવા જોઈએ. જ્યારે અત્યારના બધા જ પદાર્થના અણુઓ જૈનશાસ્ત્રની દૃષ્ટિએ ખૂબ સ્કૂલ છે. તેથી તે પ્રકાશ કરતાં વધુ વેગ મેળવી શકે નહિ, પરંતુ એ સિવાયના અન્ય દૈવી પદાર્થો પણ છે, જે પ્રકાશ કરતાં વધુ વેગ મેળવી શકે છે. જૈનશાસ્ત્રોમાં આવતા પરમાણ-સમૂહ-એકમ(unit)ના વર્ણન આ વાતની સાક્ષી પૂરે છે. જૈન પરંપરા પ્રમાણે પરમાણુઓના સમૂહરૂપ એકમના પ્રકારોને વર્ગણા કહેવામાં આવે છે. આ સમગ્ર બ્રહ્માંડમાં આવા પરમાણુ-સમૂહના અનંતાનંત પ્રકાર છે, પરંતુ જીવોના ઉપયોગમાં આવતા મુખ્ય આઠ પ્રકાર છે. દરેક પ્રકારને વર્ગણા કહેવાય છે. તે આ પ્રમાણે છે : (1) ઔદારિક વણા (2) વૈક્રિય વર્ગણા (3) આહારક વર્ગણા (4) તેજસ્ વર્ગણા (5) ભાષા વર્ગણા (6) શ્વાસોચ્છવાસ વર્ગણા (7) મનોવર્ગણા (8) કાર્પણ વર્ગણા. આ વર્ગણાઓના એકમમાં જેમ જેમ પરમાણુઓની સંખ્યા વધતી જાય, તેમ તેમ, તેમાં રહેલ પરમાણુઓનો પરિણામ વધુ ને વધુ સૂક્ષ્મ થતો જાય છે. હવે આ વર્તમાન સજીવસૃષ્ટિ અથવા દેવો અને નારકી સિવાયના જીવોના શરીર વગેરે, ઔદારિક વર્ગણાના પરમાણુ-એકમો વડે નિષ્પન્ન થયેલ છે. આ એકમમાં રહેલ પરમાણુઓ ખૂબ સ્થૂલ છે. જ્યારે વૈક્રિય વર્ગણાના પરમાણુ-એકમોમાં, આ ઔદારિક વર્ગણાના પરમાણુ એકમોના પરમાણુઓ કરતાં ઘણા વધુ પરમાણુઓ રહેલા હોય છે. એટલે સ્વાભાવિક રીતે જ તેનો પરિણામ વધુ સૂક્ષ્મ બને છે. આ જ રીતે આ પછીની વર્ગણાઓમાં રહેલ પરમાણુ-એકમના પરમાણુઓની સંખ્યા વધતી જાય છે અને સાથે સાથે તે પરમાણુઓની સૂક્ષ્મતા પણ વધતી જાય છે. વિજ્ઞાનીઓએ અણુઓ, પરમાણુઓ તથા ઇલેક્ટ્રૉન, પ્રોટૉન, ન્યૂટ્રોન, પોઝિટ્રૉન, ક્લાર્ક વગેરે સંખ્યાબંધ જે મૂળભૂત કણો શોધ્યા છે તે બધા જ આ વર્ગણાઓના પ્રથમ પ્રકાર ઔદારિક વર્ગણામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy