SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ 10 જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો ઓછો હોય તો અથવા સરખો હોય તો ધ્વનિ ઉત્પન્ન કરનાર પદાર્થના વેગની, ધ્વનિના વેગ ઉપર કોઈ અસર થતી નથી, પણ જો ધ્વનિ-ઉત્પાદક પદાર્થનો વેગ ધ્વનિ કરતાં વધુ હોય તો ધ્વનિનો વેગ વધે છે. તેવી જ રીતે પ્રકાશ ઉત્પન્ન કરનાર પદાર્થ(source of light)નો વેગ પ્રકાશ કરતાં વધુ હોય તો પ્રકાશનો વેગ પણ પ્રકાશ ઉત્પન્ન કરનાર પદાર્થના વેગ જેટલો જ ગણાય છે. પ્રકાશના વેગ કરતાં પ્રકાશ ઉત્પન્ન કરનાર પદાર્થનો વેગ જો ઓછો હોય તો પ્રકાશના વેગમાં કોઈ જ તફાવત પડતો નથી. કારણ કે આ પરિસ્થિતિમાં સૌથી આગળ પ્રથમ સેકંડે ઉત્પન્ન થયેલ પ્રકાશનું કિરણ હોય છે, તેની પાછળ બીજી સેકડે ઉત્પન્ન થયેલ પ્રકાશનું કિરણ હોય છે, તેની પાછળ પ્રકાશ ઉત્પન્ન કરનાર પદાર્થ પોતે હોય છે. તેથી સ્વાભાવિક રીતે જ પ્રકાશ ઉત્પન્ન કરનાર પદાર્થના વેગની, પ્રકાશના વેગ ઉપર કોઈ અસર થતી નથી. પરંતુ જ્યારે પ્રકાશના વેગ જેટલો જ વેગ પ્રકાશિત પદાર્થનો થઈ જાય છે, ત્યારે પ્રકાશ અને પ્રકાશિત પદાર્થ બંને સાથે ગતિ કરે છે, મતલબ કે પ્રકાશ, પ્રકાશિત પદાર્થમાંથી બહાર નીકળી શક્તો નથી અને તેની આગળ પ્રકાશનાં મોજાંનું અભેદ્ય પ્રકાશપટલ રચાઈ જાય છે. જોકે પ્રકાશના વેગથી ગતિ કરતા તથા પ્રકાશ કરતાં વધુ ઝડપી પદાર્થો આપણે જોઈ શક્તા નથી, તેથી તેના અસ્તિત્વનો અસ્વીકાર કરવો વાજબી જણાતો નથી. જો પ્રકાશની ઝડપે ગતિ કરતો પદાર્થ બંને દિશામાં પ્રકાશ ફેંકતો હોય તો પ્રકાશિત પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં પ્રકાશ સ્થિર દેખાય છે, અને તે દિશામાં તેની ઝડપ શૂન્ય ગણાય છે. હવે આપણે માની લઈએ કે આપણી પાસે પ્રકાશ કરતાં પણ વધુ વેગવાળા સુપરલાઈનિક (superlighnic) યાન છે. આ સુપરલાઈનિક (S.L.) યાનની પ્રકાશ કરતાં વધુ ગતિ હશે તો પ્રકાશ પાછળ રહેશે અને સુપરલાઇનિક યાન આગળ રહેશે. (અવાજના વેગ કરતાં વધુ વેગવાળા પદાર્થ માટે supersonic શબ્દ વપરાય છે તે જ પ્રમાણે, અહીં મેં પ્રકાશના વેગ કરતાં વધુ વેગવાળા પદાર્થ માટે, superlighnic શબ્દ વાપર્યો છે.) આ પરિસ્થિતિમાં સૌથી આગળ s.L.યાન, તેની પાછળ અંતિમ ક્ષણે ઉત્પન્ન થયેલ પ્રકાશનું કિરણ, તેની પાછળ તેની પૂર્વેની ક્ષણે ઉત્પન્ન થયેલ કિરણ હશે. એટલે પ્રકાશનો વેગ પણ પ્રકાશિત પદાર્થના વેગ જેટલો જ ગણવામાં આવશે. પરંતુ આજનું વિજ્ઞાન વાસ્તવવાદી છે અને કોઈ પણ સિદ્ધાંતને પ્રાયોગિક પરીક્ષામાંથી પસાર કર્યા પછી જ, તેનો સિદ્ધાંત તરીકે સ્વીકાર કરે છે, તેથી પ્રકાશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy