SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો પરમાણુ પુદ્ગલ એક સમયમાં લોકના પૂર્વ ચરમાંતથી પશ્ચિમ ચરમતમાં વાવતું નીચેના ચરમાંતથી ઉપરના ચરમતમાં જાય છે. (શ્રીભગવતી સૂત્ર, શતક-16 ઉદ્દેશક-8) આઈન્સ્ટાઈને પ્રકાશના વેગને અચળ (constant) તરીકે સ્વીકારેલ છે, પરંતુ જૈનદર્શન અનુસાર પ્રકાશની ગતિનો અચળ તરીકે સ્વીકાર કરવો શક્ય નથી, કારણ કે એમ સ્વીકારવાથી પરમાણુની ગતિમાં 3,00,000 કિમી/સેકંડની મર્યાદા આવી જાય છે, પણ ઉપર જણાવ્યું તેમ પરમાણુને બ્રહ્માંડના એક છેડેથી બીજે છેડે પહોંચતા ફક્ત એક સમય જેટલો કાળ (time) લાગે છે, અને આ સમય (samaya) જૈનદર્શનમાં બતાવેલ કાળમાનમાં સૌથી સૂક્ષ્મતમ માપ છે. આ વિશેની સમજૂતી આગળ આપવામાં આવશે. પ્રકાશની ગતિને આઇન્સ્ટાઇને અચળ માની છે. કારણ કે ઈ.સ.1881માં માઈકલ્સન અને મોલ નામના વિજ્ઞાનીઓએ, પ્રકાશની ઝડપ માપવાના પ્રયોગો કર્યા. આ પ્રયોગોમાં તેઓને દરેક વખતે પ્રકાશનો એકસરખો વેગ પ્રાપ્ત થયો અને વિજ્ઞાનીઓની માન્યતા પ્રમાણે પૃથ્વી એક સેકંડના લગભગ 30 કિમીની ઝડપે ઈથર(Ether)માં ગતિ કરે છે. તે વેગની સાપેક્ષતામાં પ્રકાશનો વેગ માપ્યો. સામાન્ય રીતે તારા તરફની દિશામાં જ્યારે પૃથ્વી ગતિ કરતી હોય ત્યારે 2,99970 કિમી/સેકંડ વેગ આવવો જોઈએ અને જ્યારે પૃથ્વી તારાથી વિરુદ્ધ દિશામાં ગતિ કરતી હોય ત્યારે, 3,00,030 કિમી/સે. વેગ આવવો જોઈએ પરંતુ પ્રાયોગિક પરિણામો આ કલ્પના કરતાં વિરુદ્ધ ગયાં તેથી ઈથરના અસ્તિત્વ સંબંધી ફક્ત બે વિકલ્પ રહે છે. () જો ઈથર તત્ત્વ છે એમ માનીએ તો, પૃથ્વી સ્થિર છે તેમ માનવું પડે અને (2) જો પૃથ્વીને અવકાશમાં તરતી-ઘૂમતી માનીએ તો, ઈથર જેવું કોઈ તત્ત્વ છે જ નહિ એમ માનવું પડે. પ્રથમ વિકલ્પનો સ્વીકાર વિજ્ઞાનીઓ માટે અસંભવ હતો તેથી દ્વિતીય વિકલ્પનો સ્વીકાર થયો અને ઈથરના અસ્તિત્વની કલ્પના દૂર કરવી પડી અને આ પ્રયોગોના આધારે જ આઈન્સ્ટાઈનના સાપેક્ષતાવાદનું નિર્માણ થયેલ છે અને તેથી જ તેઓએ પ્રકાશના વેગને અચળ માન્યો છે. વસ્તુતઃ આઈન્સ્ટાઈને પ્રકાશની ગતિનો અચળ તરીકે સ્વીકાર કરીને એમ જણાવ્યું છે કે કોઈ પણ પ્રકાશિત પદાર્થના વેગની તેના પોતાના પ્રકાશના વેગ ઉપર અસર થતી નથી. દા.ત. જો પ્રકાશિત પદાર્થને વેગ 2,00,000 કિમી/સ. હોય તો પણ તેના પ્રકાશનો વેગ3,00,000 કિમી સે જ રહે છે. પરંતુ ગેલીલિયનવાદ પ્રમાણે છે +V, =V અથવા છે –V, V એટલે કે પ્રકાશિત પદાર્થની ગતિની દિશામાં 3,00,000 + Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy