SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શનની દષ્ટિએ આઈન્સ્ટાઈનના વિશિષ્ટ.. ઝડપી કણોનો વેગ જેમ જેમ ઓછો થતો જાય અને પ્રકાશના વેગ નજીક આવે તેમ તેમ એનું દ્રવ્યમાન વધતું જાય છે અને જ્યારે પ્રકાશના વેગ જેટલો જ તેનો વેગ થઈ જાય ત્યારે તેનું દ્રવ્યમાન અનંત થઈ જાય છે. તેથી અત્યારના વિજ્ઞાનીઓને એમ માની લેવાની ફરજ પડી કે કદાચ પ્રકાશ કરતાં વધુ ઝડપી ગતિવાળા કણો/પદાર્થો અસ્તિત્વ ધરાવતા હોય તોપણ તેઓનો વેગ પ્રકાશના વેગ જેટલો અથવા તેથી ઓછો ક્યારેય થતો નથી અને પ્રકાશની ગતિને એક એવું બિંદુ કલ્પી લીધું અને તેનાથી થતા બે વિભાગમાં બંને બાજુ આવેલ કણો, એ બિંદુને ઓળંગી અન્ય વિભાગમાં ક્યારેય પ્રવેશ કરી શક્તા નથી. મતલબ કે પ્રકાશ કરતાં ઓછા વેગવાળા કણોનો વેગ, ક્યારેય પ્રકાશના વેગ કરતાં વધુ થઈ શક્તો નથી અને પ્રકાશ કરતાં વધુ વેગવાળા કણોનો વેગ ક્યારેય પ્રકાશના વેગ કરતાં ઓછો થતો નથી. પરંતુ જૈનદર્શનનાં શાસ્ત્રો આ માન્યતા સ્વીકારતા નથી. જૈનશાસ્ત્રોમાં જણાવ્યાં પ્રમાણે, કોઈ પણ પદાર્થ, જેનો વેગ પ્રકાશ કરતાં વધુ હોય છે, તે પોતાનો વેગ ઓછો કરતાં કરતાં શૂન્ય પણ કરી શકે છે અને એ પદાર્થ જ્યારે ફરીવાર ગતિમાન થાય ત્યારે તેનો વેગ વધતો વધતો પ્રકાશના વેગ કરતાં હજારો ગણો વધુ થઈ શકે છે. આ સંબંધમાં જૈનધર્મશાસ્ત્રોમાંના પાંચમા અંગ સ્વરૂપ શ્રી ભગવતી સૂરા અથવા વ્યાખ્યાપ્રજ્ઞપ્તિસૂત્રમાં નીચે પ્રમાણે ઉલ્લેખ મળે છે. આ ઉલ્લેખ સર્વજ્ઞ શ્રી મહાવીરસ્વામીને તેઓના પ્રથમ શિષ્ય ગણધર શ્રી ઇન્દ્રભૂતિ ગૌતમે પૂછેલા પ્રશ્નોત્તર રૂપે છે. ७. (प्रश्न) परमाणुपोग्गलेणं भंते ! लोगस्स पुरच्छिमिल्लाओ चरिमंताओ पच्चच्छिमिल्लं चरिमंतं एगसमएणं गच्छति, पच्चच्छिमिल्लाओ चरिमंताओ पुरच्छिमिल्लं चरिमंतं एगसमएणं गच्छति, दाहिणिल्लाओ चरिमंताओ उत्तरिल्लं जाव गच्छइ, उत्तरिल्लाओ दाहिणिल्लं जाव गच्छति, उवरिल्लाओ चरिमंताओ हेडिल्लं चरिमंतं एवं जाव गच्छति, हेछिल्लाओ चरिमंताओ उवरिल्लं चरिमंतं एगसमणं गच्छति ? (उत्तर) हंता, गोयमा ! परमाणु पोग्गले णं लोगस्स पुरच्छिमिल्लं तं चेव जाव उवरिल्लं चरिमंतं गच्छति । (છીપાવસૂત્ર સંત-૧૬, -૮) 7. (પ્રશ) હે ભગવન્! પરમાણુ-પુદ્ગલ એક સમયમાં લોકના પૂર્વ ચરમાંતથી (છેડાથી) પશ્ચિમ ચરમતમાં, પશ્ચિમ ચરમાંતથી પૂર્વ ચરમાંતમાં, દક્ષિણ ચરમાંતથી ઉત્તર ચરમાંતમાં, ઉત્તર ચરમાંતથી દક્ષિણ ચરમાંતમાં, ઉપરના ચરમાંતથી નીચેના ચરમાંતમાં, નીચેના ચરમાંતથી ઉપરના ચરમાંતમાં જાય ? (ઉત્તર) હે ગૌતમ ! હા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy