SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ શત્રુંજય-મંડન શ્રી આદિનાથ પ્રભુની પ્રતિષ્ઠા.. 307 વદ 6ના ઊજવવામાં આવે છે, તેને એક માસ વહેલી ઊજવવી પડે પરંતુ આ વાત યોગ્ય જણાતી નથી કારણ કે ગુજરાતમાં ગુજરાતી તિથિ પ્રમાણે જ સૈકાઓથી ધાર્મિક કાર્યો થતાં આવ્યાં છે અને હજુ એ પ્રમાણે જ ધાર્મિક પ્રતિષ્ઠા આદિના લેખોમાં ઉલ્લેખ થાય છે અને મારવાડમાં હજુ પણ મારવાડી તિથિ પ્રમાણે જ ધાર્મિક કાર્યોનો પ્રતિષ્ઠા આદિમાં ઉલ્લેખ થાય છે માટે અહીં આપેલ વૈશાખવદિ 6ના ગુજરાતી તિથિ હોવાનો પૂરેપૂરો સંભવ છે. પ્રબન્ધના અત્તે શ્રી આદિનાથ પ્રભુની પ્રતિષ્ઠા સમયની લગ્ન કુંડળી પણ આપવામાં આવી છે. તે ઉપર બતાવી છે.) પ્રસ્તુત કુંડળીમાં સૂર્યને વૃષભ રાશિમાં બતાવવામાં આવ્યો છે. તેના આધારે પ્રતિષ્ઠા માસ નક્કી કરી શકાય છે. અલબત્ત, ઉપર આપેલ કુંડળીમાં ચંદ્ર તથા કેતુ બતાવેલ નથી. આમ છતાં બંનેના સ્થાન નક્કી કરી શકાય એમ છે. પ્રબંધકર્તાએ વૈશાખ વદ 6, રવિવાર અને શ્રવણ નક્ષત્ર બતાવ્યું છે અને આ રીતે બતાવેલ નક્ષત્ર હંમેશાં ચંદ્રનું જ હોય છે. તે ઉપરથી ચંદ્ર મકર રાશિનો સાતમા સ્થાનમાં આવે છે અને કેતુ હંમેશાં રાહુની સામે જ હોય છે, તેથી તે મીન રાશિમાં શુક્રની સાથે નવમા સ્થાનમાં આવે છે. આ રીતે બંને ગ્રહો મૂકતાં નવગ્રહથી યુક્ત સંપૂર્ણ કુંડળી બને છે. આ કુંડળીના આધારે પ્રતિષ્ઠાની તિથિ, તારીખ અને સમય નક્કી કરવામાં ઘણી સુગમતા છે. આધુનિક ગણનયંત્ર દ્વારા ગણતરી કરતાં પ્રતિષ્ઠાનો સમય શાકે 1453, વિસં.1987 (ગુજરાતી) વૈશાખ વદિ6, રવિવાર તા. 17-5-1531, સવારના લગભગ ક. 9-49 મિ. થી ક. 10-30 મિ. સુધીનો આવી શકે છે. સામાન્ય રીતે અંગ્રેજી મહિનાની તારીખ અનુસાર સૂર્યના અંશો લગભગ દર વર્ષે તેના તે જ આવે છે, એવી આપણી માન્યતા છે. પરંતુ પૃથ્વીની અયન ગતિના કારણે ઘણાં લાંબા સમયના ગાળે તેમાં ફેરફાર થાય છે. અત્યારે તા. 17-4-1994ના સૂર્ય વૃષભ રાશિના 20-15–33” છે. જ્યારે તા. 17-5-1531ના પ્રતિષ્ઠાના દિવસે સૂર્ય વૃષભ રાશિના 70-44-07” નો હતો. હવે જો પ્રબંધમાં જણાવેલ વૈશાખ વદ-6ને મારવાડી તિથિ માનીએ તો, ગુજરાતી ચૈત્ર વદિ-6, વિ. સં. 1587ના સૂર્ય મેષ રાશિમાં અને ગુરુ કન્યા રાશિમાં આવે અને ચંદ્ર પણ મકર રાશિના બદલે ધન રાશિમાં આવે છે. જેનો પ્રતિષ્ઠાની કુંડળી તથા વાર સાથે મેળ બેસતો નથી. વળી બીજી અગત્યની વાત એ કે “શત્રુંજયતીર્થોદ્ધાર પ્રબન્ધની રચના ઉપાધ્યાય શ્રી વિવેકાંડનના શિષ્ય શ્રી વિવેકધીર ગણિએ પ્રતિષ્ઠાના બીજે જ દિવસે અર્થાત્ વિ. સં. 1587ના વૈશાખ વદ-7ને સોમવારે કરી છે અને તેઓ તેમના ગુરુ ઉપાધ્યાય શ્રી વિવેકમંડનની માફક શિલ્પશાસ્ત્ર-વાસ્તુશાસ્ત્રના નિષ્ણાત હતા તથા ઉપાધ્યાય શ્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy