SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ 308 જેનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો વિવેકમંડન, શ્રી વિનયમંડનના શિષ્ય હતા. તેમના અર્થાત્ શ્રી વિનયમંડનના બીજા શિષ્ય શ્રી સૌભાગ્યમંડન ગણિએ શત્રુંજયતીર્થોદ્ધાર પ્રબંધીની પ્રથમદર્શ પ્રતિ, સં. 1587ના વૈશાખ વદિ-10ને ગુરુવારના રોજ લખી છે. આ બધી તિથિ અને વાર તથા કુંડળી, નક્ષત્ર વગેરે ઉપરથી નિશ્ચિત થાય છે કે શ્રી શત્રુંજયતીર્થાધિપતિ શ્રી આદિનાથ પ્રભુની પ્રતિષ્ઠા વિ.સં. 1587ના ગુજરાતી વૈશાખ વદ-6 અર્થાત્ મારવાડી જેઠ વદિ6ના રવિવારે શ્રી વિદ્યામંડનસૂરિજી મહારાજના શુભ હસ્તે થઈ છે. મતલબ કે પ્રબન્ધના અંતે આપેલચત્રવદ ૮,પ્રબન્ધ લેખક અથવા તેની પ્રતિલિપિ | નકલ કરનારની સરતચૂક છે. આધુનિક ગણકયંત્રના આધારે પ્રતિષ્ઠા સમયની સંપૂર્ણ ગ્રહ પરિસ્થિતિ નીચે પ્રમાણે આપી શકાય. આ માહિતી જ્યોતિષ તથા મુહુર્તશાસ્ત્રના નિષ્ણાત આચાર્ય ભગવંતોને ઉપયોગી બનશે તેવી આશા રાખું છું. શાકે 1453, વિ. સં. 150, વૈશાખ વદ 6, રવિવાર તા. 17-5-1531 સવારે ક. 949 મિનિટે કર્ક લગ્નની શરૂઆત થાય છે. પાલીતાણાનો સૂર્યોદય સવારે 6-07, સૂર્યાસ્ત 19-10, અયનાંશ 1718-49', યોગ - શુક્લ, કરણ-ગરલ, શ્રવણ નક્ષત્ર, સાંપાતિક કાળ 00-57-32 સૂર્ય-વૃષભ રાશિ, 72-44-7",મીનાંશ ચંદ્ર-મકર રાશિ,11.57 -14",મેષાંશ મંગળ-કુંભ રાશિ, 159.14-25", મકરાંશ બુધ-મેષ રાશિi%31'-23”, સિંહાંશ ગુરુ-તુલા રાશિ, 00_on'-25", તુલાશ શુક્ર-મીન રાશિ79-45-21",મકરાંશ શનિ-વૃષભ રાશિ, 26-10-15", સિંહાંશ રાહુ-કન્યા રાશિ,21-28-59",કકીશ કેતુ-મીન રાશિ, 210.28'-9”, મકરાંશ | મુહૂર્તશાસ્ત્ર પ્રમાણે ક્રૂર ગ્રહો, 3-611મા સ્થાનમાં શ્રેષ્ઠ ગણાય અને સૌમ્ય ગ્રહો કેન્દ્ર તથા ત્રિકોણમાં શ્રેષ્ઠ ગણાય છે. તે અનુસાર આ પ્રતિષ્ઠા કુંડળીમાં રાહુ ત્રીજા સ્થાનમાં અને સૂર્ય-શનિ અગિયારમા સ્થાનમાં શ્રેષ્ઠ છે. એ સાથે સૌમ્ય ગ્રહો ગુરુ, ચંદ્ર, શુક્ર અનુક્રમે ચોથે કેન્દ્રમાં), સાતમે (કેન્દ્રમાં) અને નવમે (ત્રિકોણમાં) શ્રેષ્ઠ છે. ફક્ત મંગળ આઠમા સ્થાનમાં સારો ન ગણાય, પરંતુ તેના ઉપર ચોથે રહેલ ગુરુની સંપૂર્ણ દૃષ્ટિ હોવાથી અશુભ ફળ આપતો નથી, વળી તે નવમાંશ કુંડળીમાં કુંભરાશિના મકર નવમાંશમાં આવતો હોવાથી શુભ બની જાય છે. પ્રતિષ્ઠા સમયની લગ્નકુંડળી જે રીતે પ્રાચીન હસ્તપ્રતોમાં પ્રાપ્ત થાય છે, તે રીતે પ્રતિષ્ઠાનો ચોક્કસ સમય અથવા લગ્નના નવમાંશનો ઉલ્લેખ પ્રાપ્ત થતો નથી. આમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy