SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો કરુણાવંત વ્યક્તિના સત્કાર્યમાં સ્વાર્થનાં દર્શન કરે છે અને પોતે પોતાના દુર્ગુણોને દૂર કરવાને બદલે સજ્જન મનુષ્યની નિંદા કરે છે. આવા સમયે તે કરુણાવંત માનવીમાં માધ્યસ્થ્યભાવના ન હોય તો તે દ્વેષદશાનો ક્ષય કરવાને બદલે, દ્વેષદશામાં વધારે ને વધારે ખૂંપતો જાય છે. અને તેનો પોતાનો સંસાર7 ઓછો થવાને બદલે વધતો જાય છે અને માનવી જ્યારે સુખી હોય છે ત્યારે તે બીજાના દુઃખને દૂર ક૨વા સમર્થ હોય છે. આ પરિસ્થિતિમાં અન્ય જીવોના દુઃખને સમજવા માટે તેની પૂરેપૂરી તૈયારી હોવી જોઈએ. આ બીજા પ્રકારનો વિચારપ્રવાહ માનવીને અન્ય માનવીઓ, પ્રાણીઓ અને જીવસૃષ્ટિના સમગ્ર જીવો સાથે આત્મૌપમ્ય કેળવવામાં અગત્યનો ભાગ ભજવે છે. આ ભાવ કેળવાય પછી તે માનવી પોતાના જેવા જ અન્ય જીવોને સમજે છે, અને પોતાને જે જે વસ્તુ દુઃખી કરનારી લાગે છે, એ વસ્તુઓથી પોતે તો દૂર રહે જ છે અને અન્ય જીવોને પણ દૂર રાખે છે અને સુખી બનાવવા પ્રયત્નો કરે છે. જો આ વિચારપ્રવાહ ન હોય તો આ વિશ્વમાં દયા, ધર્મ કે અહિંસા જેવી કોઈ વસ્તુ ટકી શકે જ નહિ. આ વિચારધારા જેની રગેરગમાં વ્યાપ્ત હોય, એવો જ જીવ તીર્થંકર નામકર્મ બાંધી શકે છે, નિકાચિત કરી શકે છે. સામાન્ય માનવીમાં આ વિચારધારાનો ઘણો સૂક્ષ્મ અંશ હોય છે. એટલે સામાન્ય માનવી સામાન્ય સંજોગોમાં પોતાનાં જ સુખદુઃખનો વિચાર કરી શકે છે, બીજાંના કે અન્ય પ્રાણીસૃષ્ટિનાં સુખ-દુઃખનો વિચાર કરી શકતો નથી. એટલે જ કોઈક કવિએ કહ્યું છે કે જ 298 દુઃખીના દુઃખની વાતો, સુખી ના સમજી શકે, સુખી જો સમજે પૂરું, તો દુઃખ ના વિશ્વમાં ટકે. પરંતુ દયાનું આ સૂક્ષ્મ બીજ જ તેને યોગ્ય સંયોગો, વાતાવરણ પ્રેરકબળ મળી રહેતા અંકુરિત થાય છે અને સમય જતાં વટવૃક્ષની જેમ ફૂલેફાલે છે અને સકળ જીવનસૃષ્ટિનું કલ્યાણ કરવાની શક્તિ મેળવે છે. 1. બ્રહ્મ સત્યં નામિથ્યા (વેદાંત) 2. આત્મવત્સર્વભૂતેષુ ય: પતિ સ પતિ (ગીતા અધ્યાય 2) 3. દશવૈકાલિક સૂત્ર સંથારાપોરિસી સૂત્ર 4. 5-6. ગુરુ ગૌતમસ્વામી લે. રતિલાલ દીપચંદ દેસાઈ પૃ. 46, પં. 13 તથા એની પાદનોંધ 7. સંસાર એટલે જન્મ-મરણની પરંપરા Jain Education International For Private & Personal Use Only [નવનીત-સમર્પણ, મે, 87] www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy