SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ નદર્શન અને બે ભિન્ન વિચારો 297 અતિશય પુણ્યશાળી હતા, તેમને પણ જોઈને એ ખેડૂત ભાગી ગયો, શું કારણ હતું? એ ખેડૂત બીજો કોઈ નહિ પણ, ભગવાન મહાવીરે ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં નિશાપણે જે સિંહને ચીરી નાખ્યો હતો, તે જ સિંહ, આ ખેડૂત થયો હતો. આવા તો અનેક પ્રસંગો છે. એટલે જ કોઈક મહાપુરુષે કહ્યું છેઃ “ વર્ષ નેહ, શોષણ રહીત્તે ! स विज्ञेयो मनुष्येण ह्येष मे पूर्वबांधवः ॥ આમ, તાત્ત્વિક દૃષ્ટિએ જોઈએ તો આ સંસારના સંબંધો અનિત્ય જ છે કેમ કે જ્યાં સુધી મોક્ષપ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી જ આવા સંબંધો રહે છે. એ સંબંધો તો કર્મબંધનું માત્ર નિમિત્તકારણ જ છે. પણ ઉપાદાનકારણ તો આત્માના અધ્યવસાય-પરિણામ જ છે. આ અધ્યવસાય (ભાવચિત્ત) જ કર્મબંધનું મૂળ કારણ છે પણ આ ભાવચિત્તનું નિર્માણ કરવામાં નિમિત્તકારણો પણ અગત્યનો ભાગ ભજવે છે. એટલે એ નિમિત્તકારણો રૂપે સાંસારિક સંબંધો મળવા છતાંય કર્મબંધથી જો આત્મા નિર્લેપ રહી શક્યો હોય તો એ શ્રેષ્ઠ છે અને નિર્લેપ રહેવાની શક્તિ જો કોઈ પૂરી પાડતા હોય તો, આવા સંસારની અનિત્યતા જણાવનારા વિચાઅવાહો જ છે. એટલે આ વિચાઅવાહ મોહનીયકર્મનો ક્ષય કરવામાં પણ સમર્થ બની શકે છે. રાગદશાનો નાશ આ વિચારધારા કરી શકે છે. હવે બીજા વિચાઅવાહને જોઈએ તો એ કહે છે, તે બધાંનો છે અને બધાં જ તારાં છે. વસુધવ કુટુંબકમની ભાવના આ વિચાઅવાહમાં ભરપૂર છે. જેમ વીતરાગ દશા પામવા માટે પ્રશસ્ત, અપ્રશસ્ત રાગનો અને મોહનો સર્વથા ક્ષય અનિવાર્ય છે તેમ દ્રષદશાનો ભય પણ અનિવાર્ય જ છે. પછી આ દ્રષદશા પ્રશસ્ત હોય કે અપ્રશસ્ત એ બંનેનો ક્ષય થાય તો જ કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય. પ્રશસ્તષદશા એટલે જિનશાસનનું અહિત કરનાર, વીતરાગનું અપમાન કરનાર પ્રત્યેનો જે દ્વેષ તે પ્રશસ્ત છે. સર્વ પ્રકારની દ્રષદશાનો ક્ષય કરવા માટે આ વિચારધારા એમ કહે છે કે જગતના પ્રાણીમાત્ર તારા મિત્ર છે, તારે કોઈની સાથે વેર નથી અને કોઈનેય તારી સાથે વેર નથી. એટલે સર્વજીવોનું સુખ અને ભલું એ તારું પોતાનું જ સુખ અને ભલું છે. એટલે સર્વજીવોને સુખી કરવા તું તારાથી બનતો પ્રયત્ન કરજે. આ ભાવના મૈત્રીની ભાવના છે. આ મૈત્રીભાવના જીવમાં ત્યારે જ પ્રગટે કે જ્યારે તેનામાંથી ઈર્ષ્યાનો દુર્ગુણ સદંતર નાશ પામ્યો હોય અને બીજાંનાં સદ્ગુણો, સુખ અને સમૃદ્ધિ જોઈને આનંદ પામવાની પ્રમોદભાવના પૂર્ણ સ્વરૂપે વિકાસ પામી હોય અને જગતના જીવમાત્રનું ભલું ત્યારે જ થઈ શકે કે જ્યારે હદયમાં કરુણાનો મહાસાગર ઘૂઘવતો હોય. આ કરુણાની સાથે સાથે માધ્યચ્યભાવના પણ હોવી જરૂરી છે. કારણ કે જ્યારે કોઈ પણ વ્યક્તિ કરૂણાથી પ્રેરાઈને બીજાંના દુર્ગણો દૂર કરવા પ્રયત્ન કરે છે ત્યારે કેટલીક વાર સામી વ્યક્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy