SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ 289 જૈન ધર્મ અને વિજ્ઞાનઃ શંકા તથા સમાધાન જૈન પરંપરામાં ‘યતના જ મુખ્ય ધર્મ (નયUIIC ધો) છે. “દશવૈકાલિક સૂત્રમાં જ્યારે શિષ્યને કહેવામાં આવ્યું કે ચાલવાથી હિંસા થાય છે. ઊભા રહેવાથી, બેસવાથી, સૂઈ રહેવાથી, બોલવાથી, અરે! આહાર કરવાથી પણ હિંસા થાય છે. તો શિષ્ય પ્રશ્ન પૂછે છે કે જો ચાલવાથી, બેસવાથી, ઊભા રહેવાથી, સૂવાથી, બોલવાથી અને આહાર કરવાથી પણ હિંસા થતી હોય તો, અમારે જીવન કઈ રીતે પસાર કરવું? कहं चरे ? कहं चिट्ठे ? कहमासे ? कहं सए ? कहं भुंजंतो ? भासंतो? पावं कम्मं न बंधइ ? - શર્વાતિ સૂત્ર, અધ્યયન – 4નાથા - 7 આ પ્રશ્નના ઉત્તરમાં ગુરુ કહે છે - जयं चरे, जयं चिट्टे, जयमासे, जयं सए । जयं भुंजतो, भासंतो, पावं कम्मं न बंधइ ।। -વૈવાતિ સૂત્ર, અધ્યયન-4 થી - 8 જયણાપૂર્વક ચાલવું, જયણાપૂર્વક ઊભા રહેવું, જયણાપૂર્વક બેસવું, સૂવું, બોલવું, અને આહાર કરવો, જેથી પાપકર્મનો બંધ ન થાય. આ રીતે જૈનધર્મમાં “જયણા' જ મુખ્ય છે, માટે ઓછામાં ઓછા સાવદ્ય વ્યાપાર દ્વારા જીવન-નિર્વાહ કરવાની સૂચના શાસ્ત્રકારોએ આપી છે. જે “જયણા'ના વધુમાં વધુ પાલન દ્વારા જ સફળ થઈ શકે છે. જીવોમાં લિંગ જૈન શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે એકીન્દ્રિય, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, અને ચઉરિંદ્રિય જીવો નપુંસક લિંગ હોય છે અને તેમનો જન્મ સમૂઠ્ઠન પદ્ધતિએ થાય છે, પરંતુ આધુનિક વિજ્ઞાન તેને અસત્ય બતાવે છે. આધુનિક વિજ્ઞાન પ્રમાણે કીડી, માખી, મધમાખી વગેરેમાં રતિક્રિયા થાય છે અને તેમાં લિંગી પ્રજનન થાય છે, તેમાં નર-માદા હોય છે. આધુનિક વિજ્ઞાને વનસ્પતિમાં પણ નર-માદાના ભેદ બતાવ્યા છે. તો વસ્તુસ્થિતિ ખરેખર શું છે ? આ પ્રશ્નોનો ઉત્તર મેળવવા માટે આપણે વ્યવસ્થિત રીતે જૈન શાસ્ત્રોનું પરિશીલન તથા ચિંતન-મનન કરવું જોઈએ. સૌપ્રથમ તો જૈન શાસ્ત્રો/ગ્રંથોમાં આવેલ પરસ્પર વિરોધી જણાતાં વચનોનો નય સાપેક્ષ દૃષ્ટિએ સમન્વય કરવો જોઈએ. દશપૂર્વધર તત્ત્વાર્થસૂત્રકાર વાચક ઉમાસ્વાતિજી, સમગ્ર બ્રહ્માંડના બધા જ જીવોના લિંગ બતાવતાં, તત્ત્વાર્થસૂત્રના બીજા અધ્યાયમાં કહે છે કે નાપસંમૂર્થિની નસોનિ Siાર રેવા: 52 અર્થાત્ નારક યોનિમાં ઉત્પન્ન થનાર જીવો અને બધા જ સંમૂચ્છિમ જીવો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy