SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ 290 જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો નપુંસક હોય છે. દેવતા (દેવયોનિ)માં કોઈ નપુંસક હોતું નથી અર્થાત્ દેવ (પુરુષ) અને દેવી (સ્ત્રી), બે જ પ્રકાર છે. જે ગર્ભજ મનુષ્ય અને ગર્ભજ તિર્યંચ પચેંદ્રિય હોય છે, તેમાં ત્રણે લિંગ હોય છે. આ તત્ત્વાર્થસૂત્ર માં જન્મના ત્રણ પ્રકાર બતાવ્યા છે: 1. સંપૂર્ઝન 2. ગર્ભજ 3. ઉપપાત. દેવો અને નારક ફક્ત ઉપપાત પદ્ધતિથી જ જન્મે છે. ગર્ભજ જન્મના ત્રણ પ્રકાર છેઃ (1) જરાયુજ, (2) અંડજ અને (3) પોતજ. મનુષ્ય, ગાય ભેંસ, ઘોડા, હરણ આદિ જરાયુજ છે. સાપ, કોયલ, માછલી, કાચબા વગેરે અંડજ છે. રૂંવાડાંવાળાં પક્ષીઓ હંસ, પોપટ, કબુતર, બાજ, કાગડા, મોર, વગેરે પણ અંડજ હોય છે. નોળિયા, સસલા, ઉંદર, વગેરે તથા, વડવાગોળ, ચામાચીડિયા, ભારંડ વગેરે ચર્મપક્ષી પોતજ છે. આ બધા જ પંચેન્દ્રિય છે. આ સિવાય એકીન્દ્રિયથી લઈને ચઉરિંદ્રિય સુધી બધાં સંકૂચ્છિમ છે. બીજી બાજુ શ્રુતકેવલી ચૌદપૂર્વધર શ્રીભદ્રબાહુ સ્વામી દ્વારા સંકલિત “કલ્પસૂત્ર'માં પાંચ પ્રકારના સૂક્ષ્મ ઈડાં બતાવ્યાં છે. “જિં મંડે સુખે ? ને પંવિદે પરે, तं जहा - उदंसंडे, उक्कलियंडे, पिपीली अंडे, हलिअंडे, हल्लोहलि अंडे । -પુસૂત્ર, સામાવાણી | તે સૂક્ષ્મ ઈડાં ક્યાં કયાં છે ? તે સૂક્ષ્મ ઈંડાં પાંચ પ્રકારનાં બતાવ્યાં છે. તે આ પ્રમાણે: 1. ઉદ્દેશાંડ: મધમાખી, માંકડ વગેરેનાં ઈડા, ઉત્કાલિકાંડ: કરોળિયા વગેરેનાં ઈડા, 2. પિપિલિકાંડ કીડી વગેરેનાં ઈંડાં, 4. હલિકાંડઃ ગરોળી વગેરેનાં ઈંડાં, 5. હલ્લોહલિકાંડઃ સરડા/કાચીંડા વગેરેનાં ઈંડાં. એક બાજુ વાચક ઉમાસ્વાતિજીનું વચન છે, તો બીજી બાજુ શ્રુતકેવલી આચાર્યશ્રી ભદ્રબાહુસ્વામીનું વચન છે. બંનેનાં વચન પરસ્પર વિરુદ્ધ જણાય છે. પરંતુ આપણે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે બંને વચન નય સાપેક્ષ છે. નિશ્ચયનયની અપેક્ષાએ વાચક ઉમાસ્વાતિજીનું વચન સાચું જણાય છે અને વ્યવહારનયની દૃષ્ટિએ આચાર્યશ્રી ભદ્રબાહુ સ્વામીનું કારણકે, કીડી, માખી, માંકડ, વગેરે સંમૂર્છાિમ જંતુઓ હોવાથી તેઓ નપુંસક હોવા છતાં, તે પોતાના શરીરમાંથી એવા પ્રકારના પદાર્થ કાઢે છે, જેને સામાન્ય લોકમાં ઈડાં કહેવામાં આવે છે. હવે પ્રશ્ન કેવલ એ જ બાકી રહે છે કે જો આ બધાં જ જંતુઓ નપુંસક છે, તો તેઓમાં પરસ્પર મૈથુન ક્રિયાઃ નર-માદાના સંયોગની પ્રક્રિયા કેમ થાય છે? પ્રત્યેક જીવમાં વ્યક્ત કે અવ્યક્ત રૂપે નીચેની ચાર સંજ્ઞાઓ હોય છે: 1. આહાર, 2. ભય, 3. મૈથુન, 4 પરિગ્રહ. શાસ્ત્રોમાં ક્યાંક ક્યાંક દસ સંજ્ઞા પણ બતાવવામાં આવી છે તેમાં પણ ઉપર્યુક્ત ચારેય સંજ્ઞાનો સમાવેશ થઈ જાય છે, માટે જીવ માત્રમાં, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy