SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ 288 જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો અનંતકાય જ હોય છે. ત્યારબાદ તે સુકાઈ જાય ત્યારે સ્વયં તેની જાતે જ નિર્જીવ થઈ જાય છે. તેને સૂકવવા માટે શસ્ત્ર, છરી વગેરેથી સમારવાની કોઈ જરૂર પડતી નથી. જ્યારે બટાકામાં સ્વયં શુષ્કીકરણ થતું નથી. બટાકાને સમાર્યા વિના જો સૂર્યના પ્રકાશમાં લાંબા સમય સુધી રાખવામાં આવે તો તેમાં સડો થઈ જાય છે. જો તેનું શુષ્કીકરણ કરવું હોય તો છરીથી સમારી તેની નાની નાની, પાતળી ચીપ્સ બનાવવી પડે છે. ત્યારપછી તે નિર્જીવ થઈ જાય છે, આમ છતાં બટાકા ખોરાક હોવાથી વધુ પડતો ઉપયોગ થઈ શકે છે, માટે આપણા માટે અનંત-અનંત જીવોનો વધ કરવો યોગ્ય નથી, એટલે જ તે આપણા માટે અનાચીર્ણ છે. જ્યારે સૂંઠ, હળદર ખોરાક નથી, તેનો કેવલ ખોરાકમાં ઔષધિના રૂપમાં, બહુ જ ઓછા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. આ રીતે બટાકા સર્વથા અભક્ષ્ય છે અને સૂંઠ તથા હળદર સુકાઈ ગયા પછી ભક્ષ્ય છે. બીજો એક પ્રશ્ન એ છે કે મગફળી કંદમૂળ ગણાય ખરી ? વસ્તુતઃ મગફળી જમીનની અંદર થતી હોવા છતાં કંદમૂળમાં ગણાતી નથી કારણ કે મગફળીના ઉપરની છાલ/ફોતરાં તાતણાવાળાં હોય છે. બીજા કંદમૂળની માફક મગફળીનું પ્રત્યેક અંગ નવો છોડ પેદા કરી શક્તો નથી. જ્યારે બટાકા વગેરેનો કોઈ પણ ટૂકડો નવો છોડ પેદા કરી શકે છે. આ રીતે સાધારણ વનસ્પતિકાય (અનંતકાય)નાં કોઈપણ લક્ષણ મગફળીમાં છે નહિ, માટે મગફળી ભક્ષ્ય છે. બહુબીજ રીંગણ વગેરે બહુબીજ વનસ્પતિ અંગે પણ અનેક પ્રશ્નો પેદા કરવામાં આવે છે. કેટલાક કહે છે રીંગણ, અંજીર વગેરે બહુબીજ હોવાથી અભક્ષ્ય છે, તો કાકડી, ભીંડા વગેરે બહુબીજ નથી? તેઓનો આ પ્રશ્ન વિચારણીય અવશ્ય છે. પણ બહુબીજ અંગે વિચાર કરતાં એવું લાગે છે, બહુબીજ હોવા માત્રથી તે અભક્ષ્ય બની જતી નથી. પરંતુ બહુબીજ વનસ્પતિના બીજના પ્રકાર ઉપર તેનો આધાર છે. બીજા બે પ્રકારના હોય છે. કેટલાક બીજ રસોઈ બનાવતી વખતે નિર્જીવ થઈ જાય છે. જ્યારે કેટલાક બીજ રસોઈ બનાવતી વખતે નિર્જીવ થતાં નથી દા.ત., જમરૂખ, વગેરે. અંજીર તો કાચાં જ ખાવામાં આવે છે. આથી તે અભક્ષ્ય છે. જ્યારે કાકડી, ભીંડાં વગેરેનાં બીજ રસોઈ કરતી વખતે નિર્જીવ થઈ જવાથી તે ભક્ષ્ય છે. ધર્મસંગ્રહ' નામના ગ્રંથમાં જણાવ્યા પ્રમાણે બલ્બીજ વનસ્પતિના બીજ ઉપર સૂક્ષ્મપારદર્શક કવચપિડ હોતું નથી. જ્યારે કાકડી, ભીંડા વગેરેનાં બીજ ઉપર સૂક્ષ્મ પારદર્શક પડ/કવચ છે, માટે તે બહુબીજ કહેવાતાં નથી. આધુનિક આહાર વિજ્ઞાન પ્રમાણે રીંગણમાં અન્ય શાકભાજી કરતાં વિષમય દ્રવ્ય (toxic substance) વધુ પ્રમાણમાં છે, માટે પણ રીંગણ ખાવાં ન જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy