SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ 27 જૈન ધર્મ અને વિજ્ઞાન ઃ શંકા તથા સમાધાન જ આજે વિજ્ઞાન મનુષ્યના જીવનનું આવશ્યક અંગ બની ગયું છે. એટલે પ્રત્યેક મનુષ્ય કોઈપણ પ્રશ્નનો વૈજ્ઞાનિક દૃષ્ટિએ વિચાર કરે છે અને વૈજ્ઞાનિક પદ્ધતિએ જ તેનો ઉત્તર મેળવવા પ્રયત્ન કરે છે. જો કે જૈન ધર્મનાં શાસ્ત્રો / ગ્રંથોમાં ઘણા ખરા વૈજ્ઞાનિક સિદ્ધાંત પ્રાપ્ત થાય છે, આમ છતાં અત્યારે ઘણાખરા પ્રશ્નો એવા છે કે જેમાં જૈન શાસ્ત્રો તથા આધુનિક વિજ્ઞાન સ્પષ્ટ રીતે જુદાં પડે છે. અહીં આપણે એવા જ કેટલાક પ્રશ્નોની ચર્ચા કરીશુંઃ અવગાહના જૈન પુરાણોમાં કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી(વિ.સં. 1145-1229)એ રચેલ ‘ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર'નું અદ્વિતીય સ્થાન છે. તેના ‘પરિશિષ્ટ પર્વ'માં ઘણા ઐતિહાસિક સંદર્ભો પ્રાપ્ત થાય છે. આ જ ગ્રંથમાં 63 મહાપુરુષોના જીવન અંગે વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. આ મહાપુરુષોના શરીરની ઊંચાઈ પણ જૈન ધર્મગ્રંથોમાં મળે છે. આ ગ્રંથ પ્રમાણે ભગવાન શ્રી ઋષભદેવની અવગાહના 500 ધનુષ્ય હતી. એક ધનુષ્યના ચાર હાથ અને એક હાથનો ઓછામાં ઓછો દોઢ ફૂટ ગણતાં ભગવાન આદિનાથની ઊંચાઈ 3000 ફૂટ થાય છે. આ રીતે ભગવાન શાંતિનાથની ઊંચાઈ 40 ધનુષ્ય અર્થાત 240 ફૂટ હતી. ભગવાન મહાવીરની અવગાહના 7 હાથ અર્થાત્ 10.5 ફૂટ હતી. આજે આપણે આ બધી વાતોને સત્ય માનતા નથી પરંતુ આપણે એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની કે વિજ્ઞાનનો કોઈ પણ સિદ્ધાન્ત અપરિવર્તનશીલ નથી. આજે જે સિદ્ધાન્ત સત્ય સાબિત થયો છે, તે ભવિષ્યમાં અસત્ય પણ સિદ્ધ થઈ શકે છે. હમણાં થોડાં વર્ષો પહેલાં અમેરિકન વિજ્ઞાની કાર્લ સેગને એક કૉસ્મિક કૅલેન્ડર તૈયાર કર્યું છે. તેમાં અને જૈન કાળ-ચક્રમાં ઘણું સામ્ય છે. વિજ્ઞાનીઓની માન્યતા પ્રમાણે પૃથ્વીની ઉત્પત્તિ સૂર્યમાંથી થઈ અને આ ઘટના લગભગ સાડાપાંચ અબજ વર્ષો પૂર્વે બની. તે ઘટનાથી લઈને પૃથ્વીના પ્રલય/નાશની ઘટના સુધી કાર્લ સેગને 12 મહિના અર્થાત્ 365 દિવસની કલ્પના કરી છે અને તે સમય દરમ્યાન કઈ કઈ ઘટનાઓ કૅલેન્ડરના કયા દિવસે બની, તેનો નિર્દેશ તેમાં કરવામાં આવ્યો છે. જૈન કાળ ચક્રની સાથે તેનો મેળ કઈ રીતે મળે છે. તેનું વિશ્લેષણ મેં ‘જૈન કાળચક્ર અને કૉસ્મિક કૅલેન્ડર’ નામના લેખમાં કર્યું છે. 'Discover' નામના અમેરિકન વિજ્ઞાન માસિકમાં કેટલાક વર્ષ પૂર્વે 11.5 ફૂટની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy