SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મ અને વિજ્ઞાનઃ શંકા તથા સમાધાન લંબાઈ 23 ફૂટના વિસ્તારવાળી પાંખોવાળા પક્ષીના અશ્મિભૂત અવશેષ(fossils)ની છબી આપવામાં આવી છે. વિજ્ઞાન પ્રાચીન કાળની મહાકાય જીવસૃષ્ટિની શોધ કરી રહ્યું છે અને ડાયનોસોર જેવા મહાકાય પ્રાણીના અશ્મિભૂત અવશેષો પણ મળી આવ્યા છે. આ અવશેષોના આધારે વિજ્ઞાનીઓ તેની અવગાહના/શરીરની લંબાઈ ઓછામાં ઓછી 150 ફૂટ માને છે અને તેના અસ્તિત્વનો સમય લગભગ 7 કરોડ વર્ષ પૂર્વેનો માનવામાં આવે છે. 285 આ ડાયનોસૌર જૈન જીવવિજ્ઞાન પ્રમાણે ભુજઃપરિસર્પના વિભાગમાં મૂકી શકાય છે. અત્યારના નોળિયા વગેરેનો સમાવેશ આ વિભાગમાં થાય છે. જીવાભિગમ, પન્નવણા વગેરે જૈન ગ્રંથો પ્રમાણે આ જીવોની ઉત્કૃષ્ટ અવગાહના જો 2 ગાઉ માનવામાં આવે તો, તે સમયે મનુષ્યની અવગાહના3 ગાઉ હોય છે. આ ગણના પ્રમાણે મનુષ્યની અવગાહના કરતાં 2/3 અવગાહના ડાયનોસોરની હોઈ શકે. 1 ધનુષ્ય બરાબર 6 ફૂટ લેતાં ડાયનોસોરના અવશેષો દ્વારા પ્રાપ્ત, તેની અવગાહના 25 ધનુષ્ય થાય છે અને સમકાલીન મનુષ્યની અવગાહના 37.5 ધનુષ્ય હોઈ શકે. આટલી અવગાહનાવાળા મનુષ્યો સોળમા તીર્થંકર શ્રી શાંતિનાથના યુગમાં હતા અને કાળચક્રની ગણતરી પ્રમાણે, આ સમય ત્રણ સાગરોપમ પૂર્વેનો આવે છે. જો કે ત્રણ સાગરોપમ વર્ષ અને સાત કરોડ વર્ષમાં, ઘણું અંતર છે, છતાં આપણે નિઃસંદેહ કહી શકીએ કે 7 કરોડ વર્ષ પૂર્વેનું અનુમાન ખોટું છે કારણકે જે પદ્ધતિ દ્વારા પ્રાચીન અવશેષોની પ્રાચીનતાનો નિશ્ચય કરવામાં આવે છે, તે પદ્ધતિ ખોટી હોવાનું જણાયું છે. આ પદ્ધતિમાં ‘Carbon-14’ ના સમસ્થાનિકો (Isotops)નો ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિ માટે ‘The Pyramid Power' નામના પુસ્તકમાં, પૃષ્ઠ નં. 20 ઉપર જણાવ્યું છે કે “આ પદ્ધતિ પ્રમાણે પ્રાચીન પદાર્થોનો કાળ-નિશ્ચય કરવામાં સેંકડો નહિ બલકે હજારો અને લાખો વર્ષોની ભૂલ આવે છે.’” માટે આ પદ્ધતિ દ્વારા જે પદાર્થને 3-4 લાખ વર્ષ પ્રાચીન માનવામાં આવે છે, તે પદાર્થ ઓછામાં ઓછા 3-4 અબજ વર્ષ પ્રાચીન હોઈ શકે છે. એટલે જ ડાયનોસોરના અસ્તિત્વનો સમય 7 કરોડ વર્ષ પૂર્વ નહિ, પરંતુ ત્રણ સાગરોપમ વર્ષ પૂર્વ હોવાની સંભાવનાને અસત્ય નહિ માનવી જોઈએ. બસ, આ જ રીતે મહાપુરુષોની અવગાહનાના વિષયમાં કોઈ શંકા કરવી ન જોઈએ, પરંતુ તેને વૈજ્ઞાનિક પદ્ધતિએ સિદ્ધ કરવાની આવશ્યક્તા છે. કંદમૂળ આજ કાલ ઘણા લોકો કંદમૂળ અંગે જાત જાતના પ્રશ્ન પૂછે છે. કેટલાક કહે છે કે કંદમૂળમાં અનંત જીવ હોય તો સૂક્ષ્મદર્શક યંત્રથી અવશ્ય દેખાવા જોઈએ. દા. ત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy