SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ 283 પાણી: સચિત્ત અને અચિત્તઃ સ્વરૂપ, સમસ્યા અને સમાધાન ક્યારેક ક્યારેક વરસાદના પાણીમાં માછલીઓ પણ હોય છે તેથી વરસાદના પાણીને અચિત્ત માનવું ન જોઈએ. સામાન્ય રીતે ગુજરાતમાં અને અન્યત્ર ગૃહસ્થ-શ્રાવકો દિવસમાં એક વાર સવારે પાણી ગાળી લે છે. જે સચિત્ત/કાચું હોય છે. પૂર્ણ ગરમ કરેલ અચિત્ત પાણીની મર્યાદા વિશે શ્વેતાંબર પરંપરામાં પ્રવચન સારોદ્ધાર, (દ્વાર-136, ગાથા-881-882) માં બતાવ્યું છે કે ત્રણ વખત ઊભરા આવેલ અચિત્ત પાણી ઉનાળામાં પાંચ પ્રહર (15 કલાક) વર્ષાઋતુમાં/ચોમાસામાં ત્રણ પ્રહર (9 કલાક) અને શિયાળામાં 4 પ્રહર (12 કલાક) સુધી અચિત્ત રહે છે, ત્યાર બાદ તે સચિત્ત થઈ જાય છે. ગાથા નીચે પ્રમાણે છે. जायइ सचित्तया से, गिम्हमि पहर पंचगस्सुवरि । વપરોવરિસિસિર, વાસાસુપુળો તિરુવર 882 II માટે જ રસોડામાં, વરાળમાંથી ટીપાંમાં પરિવર્તન પામેલ પાણી અચિત્ત જ હોય છે કારણ કે તેમાં ઉપર બતાવેલ સમયમર્યાદા કરતાં વધુ સમય પસાર થયો હોતો નથી. જ્યારે વરસાદનું પાણી, પાણીમાં પરિવર્તન પામ્યા પછી ઉપર બતાવેલ સમય કરતાં વધુ સમય પસાર થઈ ગયો હોય છે, માટે જ શાસ્ત્રકારોએ વરસાદના પાણીને સચિત્ત બતાવ્યું છે. આ જ રીતે પ્રયોગશાળામાં તૈયાર કરવામાં આવેલ શુદ્ધ પાણી (distilled water), જેનો ડોક્ટર ઈજેક્શન આપવામાં ઉપયોગ કરે છે, તે ખરેખર અત્યંત શુદ્ધ હોવા છતાં સચિત્ત જ હોય છે. રેફ્રિજરેટર દ્વારા ઠંડા કરવામાં આવેલ પદાર્થો તથા બરફના વાસણની બહારની સપાટી ઉપર જામેલ સૂક્ષ્મ જલબિંદુઓ, જે વાતાવરણમાંની વરાળમાંથી ઉત્પન્ન થાય છે. તે કદાચ અચિત્ત હોય તોપણ સચિત્ત દ્રવ્યનો ત્યાગ કરનાર સાધુ-સાધ્વી તથા શ્રાવકો માટે ત્યાજ્ય છે કારણ કે તેઓ માટે બરફ સચિત્ત અષ્કાય હોવાથી અને રેફ્રિજરેટર દ્વારા ઠંડા કરેલ પદાર્થો સચિત્ત અપ્લાય મિશ્રિત હોવાથી ત્યાજ્ય જ છે, તેથી એવા પદાર્થોના સંસર્ગથી ઉત્પન્ન થયેલ સૂક્ષ્મ જલકણનો પ્રશ્ન જ પેદા થતો નથી. ટૂંકમાં પ્રત્યેક સાધુ-સાધ્વી તથા શ્રાવક ગૃહસ્થો, તદુપરાંત આરોગ્યપ્રદ જીવન જીવવા ઇચ્છનાર પ્રત્યેક વ્યક્તિએ ત્રણ ઊભરા આવેલ ઉકાળેલું પાણી વાપરવું જરૂરી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy