SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો - ઈ.સ. 1905માં આલ્બર્ટ આઇન્સ્ટાઇને વિશિષ્ટ સાપેક્ષતા સિદ્ધાંત રજૂ કર્યો. આઈન્સ્ટાઈનના આ સિદ્ધાંત પ્રમાણે, સમગ્ર વિશ્વના પદાર્થોની વધુમાં વધુ ઝડપ પ્રકાશના કણોની ઝડપ જેટલી હોઈ શકે છે, પરંતુ એથી વધુ વેગ ક્યારેય હોઈ શકે નહિ. વળી જ્યારે પદાર્થ ગતિમાન હોય ત્યારે એ પદાર્થની લંબાઈમાં ઘટાડો તથા દ્રવ્યમાન(mass)માં વધારો થાય છે. આ વેગ જ્યારે પ્રકાશના વેગ જેટલો થાય છે ત્યારે એ પદાર્થની લંબાઈ શૂન્ય જેટલી થાય છે અને દ્રવ્યમાન (mass) અનંત થાય છે અને પદાર્થનો વેગ જેમ વધે તેમ તેના માટે સમયની ઝડપ ઓછી થાય છે, એ વેગ જ્યારે પ્રકાશના વેગ જેટલો થાય છે, ત્યારે સમય તેના માટે સંપૂર્ણ રીતે સ્થિર થઈ જાય છે. આઇન્સ્ટાઇને પ્રકાશના વેગને અચળ (constant) બતાવ્યો છે અને તેની 'C' સંજ્ઞા આપવામાં આવી છે. આઈન્સ્ટાઈનના સિદ્ધાંતો, ભૌતિક જગતના બે છેડાના પદાર્થોને સ્પર્શે છે. એક બાજુ તે વિરાટ બ્રહ્માંડની રચના, આકાર તથા તેમાં કાર્ય કરતાં પરિબળોને સમજાવે છે, તો બીજી બાજુ પદાર્થના સૂક્ષ્માતિસૂક્ષ્મ કણો અને તેની લાક્ષણિક્તાઓને સમજાવે છે અને એટલે જ આ નિબંધમાં માઈકલ ફેરાડેનું પરમાણુ સંબંધી વિધાન ટાંક્યું છે. આઇન્સ્ટાઇને પદાર્થ અને પદાર્થમાં રહેલી શક્તિ વિશે એક સુંદર સમીકરણ આપ્યું છે. E = mc2. જ્યાં E એટલે શક્તિ (energy), m એટલે દ્રવ્યમાન (mass) અને cએટલે પ્રકાશનો વેગ, જે આઈન્સ્ટાઈનની માન્યતા પ્રમાણે અચળ છે, અને અત્યારના વિજ્ઞાનીઓ પણ તેને અચળ તરીકે સ્વીકારે છે. આ સમીકરણના આધારે આઈન્સ્ટાઇને ગતિમાન પદાર્થનું દ્રવ્યમાન (mass) કેટલું હોય છે, તે જણાવનાર સમીકરણ પણ આપ્યું છે. જો ગતિમાન પદાર્થનો વેગ જ હોય તો ૧, - , ત થાય છે. જ્યાં m, એ ગતિમાન પદાર્થનું ગતિ અવસ્થામાં દ્રવ્યમાન જણાવે છે. એ ગતિમાન પદાર્થનો વેગ જ્યારે શૂન્ય હતો, ત્યારનું દ્રવ્યમાન બતાવે છે, એટલે જ્યારે પદાર્થ o. પ્રકાશ અથવા ફોટૉન કણોની ઝડપે ગતિ કરશે, ત્યારે m - FT = થશે. તેથી m. = થશે અને ગણિતના સિદ્ધાંત પ્રમાણે કોઈ પણ સંખ્યાને શૂન્ય વડે ભાગવાથી, તેનો જવાબ અનંત infinite) આવે છે અને તેને ૮૦ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. તેથી જ્યારે કોઈ પણ પદાર્થનો વેગ પ્રકાશના વેગ જેટલો થશે, ત્યારે તેનું દ્રવ્યમાન અનંત થઈ જશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy