SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ 162 જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો મનુષ્ય, ગાય, ભેંસ, બકરી આદિ જીવો જરાયું, એક પ્રકારની જાળ આવરણ સાથે જન્મે છે, જે માંસ અને લોહીથી ભરેલું હોય છે. તેમાં બચ્ચું લપેટાઈને રહેલું હોય છે. જેઓના જન્મ વખતે તેના શરીર ઉપર કોઈપણ પ્રકારનું આવરણ હોતું નથી. એમને એમ જ આવરણ વિના ઉત્પન્ન થાય છે, તેને પોતજ ગર્ભજ જન્મ કહે છે દા.ત., હાથી, સસલું, નોળિયો, ઉંદર આદિ જીવો પોતજ ગર્ભજ છે. જ્યારે કેટલાક સાપ, કબૂતર, પોપટ, મરઘી, ચકલી વગેરે ઈડાને જન્મ આપે છે. ત્યાર બાદ અમુક ચોક્કસ દિવસ પછી ચોક્કસ પ્રકારના સેવન પછી તેમાંથી બચ્ચું પેદા થાય છે. આને અંડજ ગર્ભજ જન્મ કહે છે. હવે આપણે સંમૂર્છાિમ જીવોની ઉત્પત્તિની વાત કરતાં પહેલાં તે સર્વેનાં ઉત્પત્તિસ્થાનો(યોનિઓ)ની વાત કરીએ. જીવોને ઉત્પન્ન થવાનાં સ્થાનો તો અસંખ્યાતા છે, પરંતુ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શને આશ્રીને તેના 84 લાખ પ્રકાર છે. એક યોનિ (પ્રકાર) એટલે એક સરખા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળાં જેટલાં સ્થાનો હોય તેટલાં બધાં સ્થાનોનો સમાવેશ યોનિના એક પ્રકારમાં થાય છે. આ યોનિના પ્રકારની સંખ્યા પૃથ્વીકાયના જીવો માટે સાત લાખ છે, એટલે કે પૃથ્વીકાયના જીવો સાત લાખ પ્રકારનાં સ્થાનોમાં ઉત્પન્ન થાય છે. તેવી રીતે અપ્લાય એટલે કે પાણીના જીવો પણ સાત લાખ પ્રકારનાં સ્થાનોમાં ઉત્પન્ન થાય છે. તેઉકાય એટલે કે અગ્નિના જીવો પણ સાત લાખ પ્રકારનાં સ્થાનોમાં ઉત્પન્ન થાય છે. વાયુકાય એટલે કે વાયુ(પવન)ના જીવો પણ સાત લાખ પ્રકારનાં સ્થાનોમાં ઉત્પન્ન થાય છે. પ્રત્યેક જાતિની વનસ્પતિના જીવો માટે દશ લાખ પ્રકારનાં ઉત્પત્તિસ્થાનો છે. પ્રત્યેક વનસ્પતિ એટલે એક શરીરમાં એક જ જીવ હોય તેવી વનસ્પતિ. આ વનસ્પતિનાં મૂળ, બી, પાન, ફૂલ, ફળ, થડ, છાલ દરેકમાં અલગ અલગ જીવ હોય છે અને આખા વૃક્ષનો પણ એક જીવ હોય છે. સાધારણ વનસ્પતિ એટલે એક શરીરમાં અનંત જીવો એક સાથે જન્મ, મરે અને જીવે, તેઓ દરેકનો શ્વાસ પણ સામાન્ય હોય છે. એટલે કે શ્વાસોચ્છવાસ પણ એકસાથે જ કરે છે. સાધારણ વનસ્પતિના જીવો માટે 14 લાખ પ્રકારનાં ઉત્પત્તિ સ્થાનો છે. બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય તથા ચઉરિન્દ્રિય જીવોને ઉત્પન્ન થવાનાં સ્થાનોની સંખ્યાના પ્રકાર બબ્બે લાખ છે. દેવતા, નારકી તથા તિર્યંચ પંચેન્દ્રિય જીવોને ઉત્પન્ન થવાનાં સ્થાનોના પ્રકાર ચાર ચાર લાખ છે; અને મનુષ્યોને ઉત્પન્ન થવાના સ્થાનોના 14 લાખ પ્રકાર છે. આમ, આખી સજીવસૃષ્ટિમાં દરેક પ્રકારના જીવોને ઉત્પન્ન થવાના કુલ 4 લાખ પ્રકારનાં સ્થાનો છે. આ ઉત્પત્તિસ્થાનનાં પ્રકારની સંખ્યા જોયા પછી હવે આપણે સંમૂર્છાિમ જન્મ અને સંમૂર્છાિમ જીવોના પ્રકાર જોઈશું: સંમૂર્છાિમ જન્મ એટલે માતા-પિતા(નર-માદા)ના સંયોગ વગર જીવોનું ઉત્પન્ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy