SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ સજીવ સૃષ્ટિનું આદિબિંદુ છે ? 163 થવું તે. તે સંમૂર્ચ્છમ જન્મ એકેન્દ્રિય (પાંચ સ્થાવર) જીવો તથા હાલતાં ચાલતાં એટલે કે બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોમાં પણ થાય છે. (જુઓ તત્ત્વાર્થ સૂત્ર, અધ્યાય ૨, સૂત્ર ૨૨, ૩૩, ૩૪, રૂ, રૂ૬) આ બધાંમાં સંમૂર્છિમ મનુષ્યો, ગર્ભજ મનુષ્યોની 14પ્રકારની અશુચિઓમાં ઉત્પન્ન થાય છે. તે અશુચિઓ આ પ્રમાણે છે : (1) વિષ્ટા-મળ (2) મૂત્ર (3) કફ (4) નાસિકાનો મેલ (લીંટ) (5) વમન કરેલ ખોરાક (6) પિત્ત (7) પરુ (8) લોહી-માંસ (છ) વીર્ય (શુક્રરસ) (10) વીર્યનાં સુકાઈ ગયેલાં પુદ્ગલો ભીનાં થાય તેમાં (11)જીવ રહિત કલેવર એટલે કે મૃતક (12) સ્ત્રી-પુરુષનો સંયોગ (13) નગરની ખાળ અને (14) સર્વ અશુચિ સ્થાનો. જ્યારે પાંચ સ્થાવર, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય તથા તિર્યંચ પંચેન્દ્રિય જીવોમાંના સંમૂર્છિમ પ્રકારના જીવો તો ગમે ત્યાં ગમે ત્યારે ઉત્પન્ન થઈ શકે છે, થાય છે. તેમાંના કેટલાંકને પોતાનાં મળ, મૂત્ર વગેરેની અપેક્ષા રહે છે એટલે cosmozoic theory(કૉસ્મિક રજકણોની થીઅરી) અને સ્વયંજનનવાદ(spontaneous generation)ની થીઅરીનું અહીં જ નિરસન અને ખંડન થઈ જાય છે. વિજ્ઞાનીઓને પણ તે બંને થીઅરીઓ માન્ય નથી. હવે આપણે ગ્રીક તત્ત્વચિંતકોની વાત લઈએ તો તેમની માન્યતા પ્રમાણે ગરમી, સૂર્ય અને હવાના આધારે પાણીમાં દરિયાઈ પદાર્થ(sea slime)માંથી જીવોની ઉત્પત્તિની શરૂઆત થઈ એમ જે કહેવાયું તેમાં દરિયાના પાણીમાં તેઓએ સંમૂર્ચ્છમ જીવોની ઉત્પત્તિ થયેલી જોઈ હશે ત્યારે તેમણે નક્કી કર્યું હશે કે દરિયાના પદાર્થ તથા પાણીમાંથી જીવસૃષ્ટિની ઉત્પત્તિ થઈ. પરંતુ તેઓ તેનાં કારણો આપી શક્તા ન હતા, કારણ કે તેઓએ તો ફક્ત અનુમાન જ કરેલું અને સત્ય ઘટનાથી તેઓ સાવ અજ્ઞાત જ હતા. ઇટાલીયન પદાર્થવિજ્ઞાની ફ્રાન્સિસ્કો રેડીએ એક પ્રયોગમાં કાચની બે બરણી લીધી. તે બંનેમાં માંસ-મચ્છી મૂક્યાં પછી તેમાંની એક બરણીને ઉપરથી હવાચુસ્ત બંધ કરી અને એક બરણીને ખુલ્લી રાખી. થોડા દિવસ પછી જે બરણી ખુલ્લી હતી. તેમાં Maggots(સજીવ-પદાર્થ)ની ઉત્પત્તિ થયેલી દેખાઈ. પરંતુ બંધ બરણીમાં Maggots ઉત્પન્ન થયા નહોતા, ખુલ્લી બરણીમાં ઉત્પન્ન થયેલ Maggots નું કારણ, તે માખી વગેરેએ મૂકેલાં ઇંડાંને માનતો હતો. તેમાં પણ તથ્ય હતું. ખુલ્લાં માંસ-મચ્છી અને ખાદ્ય પદાર્થો ઉપર માખીઓ વગેરે જંતુઓ વિષ્ટા (excretion) કરે છે. અને એ વિષ્ટાની સાથે ખાદ્ય પદાર્થો મળી રાસાયણિક પ્રક્રિયા થાય છે અને તેને અનુકૂળ વાતાવરણ, તાપમાન મળી રહેવાથી તેમાં સંમૂર્છિમ જીવોની ઉત્પત્તિ થાય છે અને તે જીવો માંસ વગેરેમાંથી પોષણ (nutrition) મેળવી વૃદ્ધિ પામે છે. કેટલીક વાર બંધ હવાચુસ્ત બરણીમાં મૂકેલા ખાદ્ય પદાર્થો ઉપર પણ ફૂગ નામની વનસ્પતિ ઉત્પન્ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy