SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ સજીવ સૃષ્ટિનું આદિબિંદુ છે ? 161 અલગ અલગ અસ્તિત્વ આ દુનિયામાં ભૂતકાળમાં હતું, વર્તમાનકાળમાં છે અને ભવિષ્યમાં રહેશે. ફક્ત આબોહવા, પરિસ્થિતિ, જમીનના ક્ષારો વગેરેના ફેરફારો પ્રમાણે તેની ઉત્પત્તિ, નાશ અને નવી જાતોની ઉત્પત્તિ અને જૂની જાતોનો નાશ થયા કરે છે. પ્રાણી જગતના આદ્ય કોષોમાંથી વનસ્પતિ જગતના આદ્ય કોષોનો જન્મ થયો નથી. જૈનધર્મ પ્રમાણે કોઈ પણ જીવનો જન્મ ત્રણમાંથી એક પ્રકારે થાય છે સંમૂર્છાિમ જન્મઃ આમાં નર-માદાના સંબંધ વિના જ ઉત્પત્તિ-સ્થાનમાં જીવોની ઉત્પત્તિ થાય છે જે વિજ્ઞાનીઓએ છેક ઈ.સ.ની 18મી સદી અને 19મી સદીમાં શોધ્યું અને બતાવ્યું કે નર-માદાના સંબંધ વિના પણ જીવો ઉત્પન્ન થઈ શકે છે, વંશવૃદ્ધિ થઈ શકે છે અને તેને અજાતીય પ્રજનન asexual reproduction કહે છે. પરંતુ પ્રજનનનો અર્થ સજીવ પદાર્થમાંથી સજીવ પદાર્થનું ઉત્પન્ન થવું તે છે. જ્યારે જૈનધર્મ પ્રમાણે તો ફક્ત જીવોની કર્મ ફિલોસૉફીના આધારે ઉત્પત્તિ જ થાય છે અને પ્રજનન એ પછીનું પગથિયું છે. (2) ગર્ભજ જન્મ : આમાં સ્ત્રી-પુરુષ(નર-માદા)ના સંયોગ પછી ઉત્પત્તિસ્થાનમાં શુક્ર અને શોણિતના પુદ્ગલોમાં જીવ ઉત્પન્ન થાય છે. પછી જુદાંજુદાં માદા પ્રાણીઓનાં શરીરમાં જુદા જુદા સમય સુધી તેઓનો વિકાસ થાય છે અને તે વિકાસ થયા પછી યોનિ મારફતે જન્મ થાય છે. જેને વિજ્ઞાનીઓ જાતીય પ્રજનન કહે છે. (3) આ સિવાય ત્રીજી રીત ઉપપાત જન્મની છે. પરંતુ તે ઉપપાત જન્મ ફક્ત દેવો અને નારકોમાં જ થાય છે. એટલે અહીં એનું ખાસ વિશ્લેષણ કરવાની જરૂર નથી. છતાં, તે કેવી રીતે થાય છે તે જાણવું જરા રસપ્રદ છે, એટલે જણાવું છું ? દેવલોકમાં દેવોની શય્યાઓ તૈયાર હોય છે. તેના ઉપર ચાદર ઢાંકેલી હોય છે. જ્યારે કોઈ પણ દેવ તે શય્યામાં ઉત્પન્ન થાય છે ત્યારે તે શયામાં જાદુગરના જાદુની માફક ફક્ત 48 મિનિટમાં જ તે દેવનું સંપૂર્ણ શરીર, વસ્ત્ર, અલંકારો, માળા વગેરે સાથે તૈયાર થઈ જાય છે. પછી આળસ મરડીને તે દેવ બેઠો થાય છે. આ રીતે દેવોનો જન્મ થાય છે. જ્યારે નારકો માટે ગોખલાઓ હોય છે. એ ગોખલાઓમાં જ નારકોના જીવોના જન્મ થાય છે અને શરીર તૈયાર થાય છે. તેઓને ફક્ત શરીર જ મળે છે. વસ્ત્રાભૂષણ વગેરે બીજું કાંઈ જ મળતું નથી. આ માટે જુઓ તત્વાર્થસૂત્ર, મ. ૨, સૂત્ર ૩૨ સંમૂન गर्भोपपाता जन्म) આ તો ફક્ત જીવોના ઉત્પન્ન થવાની તથા જન્મ થવાની રીત કહી. આમાં સંમૂર્છાિમ જીવોની ઉત્પત્તિ અને જન્મ એક જ છે. જ્યારે ગર્ભજ જીવોમાં પ્રથમ જીવોની ગર્ભમાં ઉત્પત્તિ થાય છે, પછી યોગ્ય સમયે ત્યારબાદ જન્મ થાય છે. તે પણ ત્રણ પ્રકારના છેઃ જરાયુજ, અંડજ અને પોતજ. આમાં જે જરાયુથી પેદા થાય છે તે જરાયુજ. દા.ત., Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy