SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો ના નો ૩ની સાથે થયેલ મોનો ઉચ્ચાર કરવો જ પડશે. જ્યારે માત્ર ના લુપ્ત થયેલ અ નો ઉચ્ચાર કરવામાં નહિ આવે. આવી ઉચ્ચારની શિષ્ટબદ્ધતા/નિયમબદ્ધતા અન્ય કોઈ ભાષામાં હોવાનું જાણવા મળ્યું નથી. હા, સંસ્કૃત ઉપરથી ઉતરી આવેલ ભાષાઓમાં આ ઉચ્ચારના સંસ્કાર, નિયમબદ્ધતા ઠીક ઠીક પ્રમાણમાં જળવાઈ રહી છે. એટલે ધ્વનિના રંગોનો વ્યવસ્થિત વૈજ્ઞાનિક પદ્ધતિએ અભ્યાસ કરવો હોય તો સંસ્કૃત ભાષા એક ઉત્તમ પ્રકારનું માધ્યમ અથવા સાધન છે. ગુજરાતી ભાષાનાં શ્રીમતી ઊર્મિબહેન દેસાઈએ આપેલાં ઉદાહરણો : (શેખ ચલ્લી = શેકચલ્લી, હાથ + કડી = હાત્કડી, શોધ + ત = શોત્તા, સુંઘ + તા= સૂક્તા, મગ + ખાધા = મકખાધા, કૂદ + કો = કૃત્યો, ડૂબ + ત = ડૂતો, નાગ + પુર= નાપુર) એમ બતાવે છે કે રંગીન શક્તિકણોમાં થતું પરિવર્તન, ભાષાનાં ઉચ્ચારણોને જ અનુસરે છે, લિપિને નહિ. શુદ્ધ સંસ્કૃતભાષાની એ વિશેષતા છે કે તેનાં ઉચ્ચારણો/ધ્વનિ સંપૂર્ણપણે લિપિને અનુસરે છે, માટે જ સંસ્કૃત ભાષાના ધ્વનિ સંબંધી રંગીન શક્તિકણોમાં સંસ્કૃત વ્યાકરણના સંધિ તથા સંધિવિચ્છેદના નિયમો લાગુ પડે છે, પાડી શકાય છે. સંસ્કૃત ભાષામાં પણ વર્ષોની/શબ્દોની વચ્ચે સંહિતા ન હોય તો અર્થાત્ વચ્ચે વિરામ હોય તો સંધિ થતી નથી, તે જ પ્રમાણે સંસ્કૃત બોલવામાં પણ વચ્ચે વિરામ આવી જાય તો તે રંગીનશક્તિકણોના રંગ કે ચમક વગેરેમાં પરિવર્તન આવતું નથી દા. ત., તત્ અને કૃતમ શબ્દો સાથે બોલીએ તો જ તસ્કૃતમ્ બોલાશે. અન્યથા (જો વચ્ચે વિરામ આવે તો) અર્થાત્ તત્ અને કૃતમ્ એ પ્રમાણે અલગ અલગ બોલતાં, તેઓની વચ્ચે લિપિગત સંધિ પણ થશે નહિ અને તે જ રીતે તું અને શુ અક્ષર સંબંધી રંગીન શક્તિકણોમાં પણ કોઈ પરિવર્તન થશે નહિ. મતલબ કે કોઈ પણ જાતના ધ્વનિના રંગો લિપિના બદલે ઉચ્ચારને જ અનુસરે છે એમ આપણે સ્વીકારવું જોઈએ. અંગ્રેજી ભાષા ધ્વનિ સંબંધી રંગોનો અભ્યાસ કરવા માટે બિલકુલ અયોગ્ય છે કારણ કે તેના A, B અને સિવાયના મૂળાક્ષરોના ઉચ્ચારમાં બે કે તેથી વધુ વર્ણ અક્ષર આવે છે. વળી શબ્દમાં આવેલ અક્ષરો પ્રમાણે શબ્દના બિલકુલ ઉચ્ચાર થતા નથી દા.ત., કોઈક સ્થાને A નો “અ” તરીકે ઉચ્ચાર થાય તો, કોઈક સ્થળે તેનો “આ તરીકે ઉચ્ચાર થાય છે. તો અન્ય સ્થળે A નો “એ” તરીકે ઉચ્ચાર થાય છે. આવું અંગ્રેજીના પ્રાયઃ દરેક મૂળાક્ષર માટે છે. તેથી શ્રી અશોકકુમાર દત્તે પોતાના અનુભવોના આધારે સંસ્કૃતભાષાનું જે મહત્ત્વ સમજાવ્યું છે, તે યથાર્થ છે. તેની નિયમબદ્ધતાના કારણે જ તેને કૉપ્યુટર માટેની શ્રેષ્ઠ/સર્વોત્તમ ભાષા તરીકે સ્વીકારવામાં આવી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy