SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્વનિનો અલૌકિક ગુણધર્મ વર્ણરંગ.. 91 સરખાવી તેની ચકાસણી પણ કરી છે. તેઓએ વર્ણમાળાના પ્રત્યેક અક્ષર(સ્વર તથા વ્યંજનો)ના ભિન્ન ભિન્ન રંગ તથા તેની પ્રખરતા/ચમક અથવા તીવ્રતા ઓળખી, તેના આધારે સુંદર વ્યવસ્થિત કોષ્ટક તથા વિવિધ પવિત્ર મંત્રો તથા નામમાં રહેલી વિશિષ્ટ શક્તિ દર્શાવવાની આલેખ (graphic)પદ્ધતિ પણ બતાવી છે. તેઓના જણાવ્યા પ્રમાણે, ધ્વનિ દ્વારા ઉત્પન્ન થતા રંગીનકણ સમૂહમાં પરસ્પર સંયોજન થઈ, અન્ય રંગના રંગીનકણ સમૂહમાં તે પરિવર્તન પામતા હતા અને તે પ્રાયઃ સંસ્કૃત ભાષાના સંધિના નિયમોને અનુસરતા હતા. આ અંગેનાં ઉદાહરણો તેઓએ પોતાના લેખમાં આપ્યાં છે અને તેઓએ પોતાના અનુભવોના આધારે સંસ્કૃતભાષાને ખૂબ જ વૈજ્ઞાનિક પદ્ધતિવાળી જણાવી છે. વસ્તુતઃ મારી ધારણા તથા અનુમાન અનુસાર વિશ્વની, સંસ્કૃત સિવાયની અન્ય ભાષાઓમાં શબ્દ ભાષાની લિપિ અર્થાત્ અક્ષરો પ્રમાણે જ તેના ઉચ્ચાર થતા નથી. જ્યારે સંસ્કૃત ભાષામાં લખાયેલ શબ્દના લિપિ સ્વરૂપને વફાદાર રહીને જ શબ્દનું ઉચ્ચારણ કરવામાં આવે છે. દા.ત., અંગ્રેજી ભાષા now, now તથા no શબ્દો છે. તેમાં પ્રથમ know શબ્દનો ઉચ્ચાર તેમાં આવતા અક્ષરોથી તદન ભિન્ન છે, તેમાં અક્ષર અનુચ્ચરિત (silent)છે. તે જ રીતે જ અક્ષરનો પણ ઉચ્ચાર થતો નથી, તોnow શબ્દમાં ૦ (ઓ) નો 2 (આ) ઉચ્ચાર થાય છે. જે તેના મૂળ અક્ષર સ્વરૂપની ભિન્ન છે. જ્યારે no શબ્દમાં તેના અક્ષર પ્રમાણે ઉચ્ચાર થાય છે. આમ છતાં, જ્યારે no શબ્દના અક્ષરોને છૂટા બોલવામાં આવે ત્યારે એન, ઓ, એ પ્રમાણે બોલાય છે. આમ તેના અક્ષરોનું પોતાનું ધ્વનિસ્વરૂપ અલગ છે અને તેનું સંયોજિત ધ્વનિસ્વરૂપ પણ ભિન્ન છે. વળી અંગ્રેજી ભાષામાં ઉચ્ચારો વ્યક્તિએ વ્યક્તિએ બદલાતા રહે છે. દા.ત., ther શબ્દનો ઉચ્ચાર કોઈ “ધી” કરે છે, તો કોઈ ધ' ઉચ્ચાર કરે છે. તો વળી હિન્દી ભાષી વ્યક્તિ તેનો “દ” ઉચ્ચાર પણ કરે છે. જ્યારે ઉપર્યુક્ત ત્રણે ય ઉચ્ચારો the' શબ્દોમાંના THE. અક્ષરોને બિસ્કુલ અનુસરતા નથી. સંસ્કૃત ભાષામાં આવું નથી સંસ્કૃત ભાષામાં તો જે પ્રમાણે લખાય છે તે જ પ્રમાણે બોલાય છે. તેમાં કોઈ પણ વ્યંજન કે સ્વરનો ઉચ્ચાર કરતી વખતે લોપ થતો નથી. અલબત્ત, સ્વરોમાં તથા વ્યંજનોમાં પરસ્પર સંધિ થઈ તેઓના સ્વરૂપ બદલાય છે, લોપ થાય છે, પરંતુ તે જે પ્રમાણે લખાય છે, તે જ પ્રમાણે બોલાય છે. તેમાંથી એક પણ અક્ષર સ્વર કે વ્યંજન અનુચ્ચરિત રહેતા નથી દા. ત. રામ: સત્ર ૩પવિતિ | વાક્યનો ઉચ્ચાર કરતી વખતે લિપિ પ્રમાણે જ ઉચ્ચાર કરવામાં આવશે પરંતુ જ્યારે સંધિ થશે ત્યારે રામોડત્રોપવિતિ એ પ્રમાણે અને વિસર્ગના સ્થાને થયેલ મો તથા સત્રના ત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary:org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy