SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રન્થકાર ૫૫ કાશી પછી તેમણે આગ્રામાં રહીને ચાર વર્ષ સુધીન્યાયશાસ્ત્રનો વિશેષ અભ્યાસ અને ચિત્તનછ્યું. ત્યાર બાદ તે અમદાવાદ પહોંચ્યા જ્યાં તેમણે ઔરંગઝેબના મહોબતખાં નામના ગુજરાતના સૂબાના અધ્યક્ષ સમક્ષ અઢાર અવધાન ક્ય. આ વિદ્વત્તા અને કુશળતાથી આકર્ષાઈને બધાએ પંડિત યશોવિજયજીને ‘ઉપાધ્યાય’ પદને લાયક સમજ્યા. શ્રી વિજયદેવસૂરિના શિષ્ય શ્રી વિજયપ્રભસૂરિએ તેમને વિ.સં. 1718માંવાચક - ઉપાધ્યાય પદ સમર્પિત કર્યું. વિ.સં. 1743માં ડભોઈ ગામ જે આજ પણ વડોદરા જિલ્લામાં મોજૂદ છે તેમાં ઉપાધ્યાયજીનો સ્વર્ગવાસ થયો જ્યાં તેમની પાદુકા વિ.સં. 1745માં પ્રતિષ્ઠિત કરવામાં આવેલી જે આજ પણ વિદ્યમાન છે. ઉપાધ્યાયજીના શિષ્ય પરિવારનો ઉલ્લેખ“સુજશવેલીમાં તો નથી પરંતુ તેમના તત્ત્વવિજય આદિ શિષ્ય-પ્રશિષ્યોની જાણ બીજાં સાધનોથી થાય છે, જેના માટે જુઓ “જેન ગુર્જર કવિઓ' ભાગ 2, પૃષ્ઠ 27. ઉપાધ્યાયજીના બાહ્ય જીવનની ધૂળ ઘટનાઓનું જે સંક્ષિપ્ત વર્ણન ઉપર આપ્યું છે તેમાંથી બે ઘટનાઓ ખાસ નોંધપાત્ર છે જેમના કારણે ઉપાધ્યાયજીના આન્તરિક જીવનનો સ્રોત એટલો બધો અન્તર્મુખ બનીને વિકસ્યો કે જેના બળે ઉપાધ્યાયજી ભારતીય સાહિત્યમાં અને ખાસ તો જૈન પરંપરામાં અમર થઈ ગયા. તે બે ઘટનાઓમાંની પહેલી ઘટના અભ્યાસ માટે કાશી જવાની છે અને બીજી ઘટનાન્યાય આદિ દનોનો મૌલિક અભ્યાસ કરવાની છે. ઉપાધ્યાયજી ગમે તેટલા બુદ્ધિયા પ્રતિભાસમ્પન્ન કેમ ન હોય, તેમના માટે ગુજરાત આદિમાં અધ્યયનની સામગ્રી ગમે તેટલી ભેગી કેમ નકરવામાં આવી હોત, પરંતુ એમાં કોઈ સંદેહ નથી કે જો તે કાશીનગયા હોત તો તેમનું શાસ્ત્રીય અને દાર્શનિક જ્ઞાન, જેવું તેમના ગ્રન્થોમાં મળે છે, શક્ય ન હોત. કાશીમાં જઈને પણ જો તેમણે તે સમય સુધીમાં વિકસિત ન્યાયશાસ્ત્રખાસ કરીને નવીનન્યાયશાસ્ત્રનું પૂરાબળથી અધ્યયનનર્યું હોત તો તેમણે જેન પરંપરાને અને તે દ્વારા ભારતીય સાહિત્યને જૈન વિદ્વાનની હેસિયતથી જે અપૂર્વ ભેટ ધરી છે, તે કદી શક્ય બની ન હોત. દસમી શતાબ્દીથી નવીન ન્યાયના વિકાસની સાથે જ સમગ્ર વૈદિક દર્શનોમાં જ નહિ પરંતુ સમગ્ર વૈદિક સાહિત્યમાં સૂક્ષ્મ વિશ્લેષણ અને તર્કની એક નવી જ દિશા શરૂ થઈ, અને ઉત્તરોત્તર વધુ ને વધુ વિકાસ થતો રહ્યો જે આજ સુધી થતો જ રહ્યો છે. આ નવીનન્યાયકૃત નવ્યયુગમાં ઉપાધ્યાયજીના પહેલાં પણ અનેક શ્વેતામ્બર-દિગમ્બર વિદ્વાનો થયાજે બુદ્ધિપ્રતિભાસંપન્ન હોવા ઉપરાંત જીવનભર શાસ્ત્રયોગી પણ રહ્યા છે. તેમ છતાં આપણે જોઈએ છીએ કે ઉપાધ્યાયજીના પૂર્વવર્તી કોઈ જેન વિદ્વાને જેન મન્તવ્યોનું એટલું સતર્ક દાર્શનિક વિશ્લેષણ અને પ્રતિપાદન કર્યું નથી જેટલું ઉપાધ્યાયજીએ કર્યું છે. આ અંતરનું કારણ ઉપાધ્યાયજીના કારીગમનમાં તેમ જ નવ્ય ન્યાયશાસ્ત્રના ગંભીર અધ્યયનમાં જ રહેલું છે. નવીનન્યાયશાસ્ત્રના અભ્યાસથી અને તમૂલક બધાં તત્કાલીન વૈદિક દર્શનોના અભ્યાસથી ઉપાધ્યાયજીના સહજ બુદ્ધિ-પ્રતિભાના સંસ્કાર એટલાતો વિકસિત અને સમૃદ્ધ થયાકે પછી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001199
Book TitleNirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Nagin J Shah
PublisherJagruti Dilip Sheth Dr
Publication Year2006
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy