SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ તપ ૩૫ સ્વરૂપ પણ આવે છે જે અત્યારે જૈન ગ્રન્થો અને જૈન પરંપરા સિવાય બીજે ક્યાંય જોવા મળતું નથી. મહાવીર પહેલાં જે નિર્પ્રન્થતપસ્યાનું બુદ્ધે અનુષ્ઠાન કર્યું હતું તે તપસ્યા પાર્શ્વપશ્ચિક નિર્પ્રન્થ પરંપરા સિવાય અન્ય કોઈ નિર્પ્રન્થ પરંપરાની હોવાનો સંભવ નથી કેમ કે મહાવીર તો હજુ મોજૂદ જ ન હતા અને બુદ્ધના જન્મસ્થાન કપિલવસ્તુથી લઈને તેમના સાધનાસ્યલ રાજગૃહી, ગયા, કાશી આદિમાં પાર્શ્વપત્યિક નિર્પ્રન્થ પરંપરાનું નિર્વિવાદ અસ્તિત્વ અને પ્રાધાન્ય હતું. જ્યાં બુદ્ધે સૌપ્રથમ ધર્મચક્રપ્રવર્તન કર્યું તે સારનાથ પણ કાશીનો જ એક ભાગ છે, અને તે કાણી પાર્શ્વનાથની જન્મભૂમિ તથા તપસ્યાભૂમિ રહી છે. પોતાની સાધનાના સમયે બુદ્ધની સાથે જે પાંચ બીજા ભિક્ષુઓ હતા તે બુદ્ધને છોડીને સારનાથ-ઇસિપત્તનમાં જ આવીને પોતાનું તપ કરતા હતા. તે પાંચ ભિક્ષુઓ પાર્શ્વપત્યિક નિર્પ્રન્થ પરંપરાના જ અનુયાયીઓ હોય તો તેમાં કોઈ આશ્ચર્યની વાત નથી. ગમે તે હો, પરંતુ બુદ્ધે નિર્પ્રન્થ તપસ્યાનું, ભલે ને થોડા સમય માટે, આચરણ કર્યું હતું એમાં તો કોઈ સંદેહ નથી જ અને તે તપસ્યા પાર્શ્વપત્યિક નિર્પ્રન્થ પરંપરાની જ હોઈ શકે છે. આ ઉપરથી આપણે માની શકીએ છીએ કે જ્ઞાતપુત્ર મહાવીર પહેલાં પણ નિર્પ્રન્થ પરંપરાનું સ્વરૂપ તપસ્યાપ્રધાન જ હતું. ઉપરની ચર્ચાથી નિર્પ્રન્થ પરંપરાની તપસ્યા સંબંધી ઐતિહાસિક સ્થિતિ એ ફલિત થાય છે કે ઓછામાં ઓછું પાર્શ્વનાથથી લઈને નિર્ગન્ધ પરંપરા તપઃપ્રધાન રહી છે અને તેના તપના ઝુકાવને વળી પાછો વધુ વેગ મહાવીરે આપ્યો. અહીં આપણી સમક્ષ ઐતિહાસિક દષ્ટિએ બે પ્રશ્ન છે. એક તો એ કે બુદ્ધે વારંવાર નિગ્રન્થતપસ્યાઓનો જે પ્રતિવાદ યા ખંડન કર્યું છે તેકેટલે સુધી સાચું છે અને તેમના ખંડનનો આધાર શો છે ? બીજો પ્રશ્ન એ કે મહાવીરે પૂર્વપ્રચલિત નિર્પ્રન્થતપસ્યામાં કોઈ વિરોષતા લાવવાનો પ્રયત્ન કર્યો છે કે નહિ અને જો કર્યો છે તો ક્યો ? (1) નિગ્રન્થતપસ્યાનું ખંડન કરવા પાછળ બુદ્ધની મુખ્ય દષ્ટિ એ જ રહી છે કે તપ એ કાયક્લેશ છે, દેહદમન માત્ર છે. તેના દ્વારા દુઃ ખ સહન કરવાનો અભ્યાસ વધે છે પરંતુ તેનાથી કોઈ આધ્યાત્મિક સુખ યા ચિત્તશુદ્ધિ પ્રાપ્ત થતી નથી.॰ બુદ્ધની એ દષ્ટિની નિર્પ્રન્થ દષ્ટિ સાથે જો આપણે તુલના કરીએ તો આપણે કહેવું પડે કે નિગ્રન્થ પરંપરાની દૃષ્ટિ અને બુદ્ધની દૃષ્ટિ વચ્ચે તાત્ત્વિક કોઈ અન્તર નથી, કેમ કે ખુદ મહાવીર અને તેમના ઉપદેશને માનનારી પૂરી નિર્પ્રન્થ પરંપરાનું વાડ્મય બન્ને એક સ્વરે એ જ કહે છે? કે દેહદમન કે કાયક્લેરા ગમે તેટલો ઉગ્ર કેમ ન હોય પરંતુ જો તેનો ઉપયોગ આધ્યાત્મિક શુદ્ધિ યા ચિત્તક્લેશના નિવારણમાં ન થતો હોય તો તે દેહદમન યા કાયક્લેશ મિથ્યા છે. આનો અર્થ તો એ જ થયો કે નિર્પ્રન્થ પરંપરા પણ દેહદમન યા કાયક્લેશને ત્યાં સુધી જ સાર્થક ગણે છે જ્યાં સુધી તેનો સંબંધ આધ્યાત્મિક શુદ્ધિ સાથે હોય. તો પછી બુદ્ધે પ્રતિવાદ કેમ કર્યો? - આ પ્રશ્ન સહજ જ ઊભો થાય છે. આનોખુલાસો બુદ્ધના જીવનના ઝુકાવથી તથા તેમના ઉપદેશોથી મળી જાય છે. બુદ્ધની પ્રકૃતિ વિરોષ પરિવર્તનશીલ અને વિરોષ તર્કશીલ રહી છે. તેમની પ્રકૃતિને જ્યારે ઉગ્ર દે હદમનથી સંતોષ ન થયો ત્યારે તેમણે તેને એક અન્ત કહી છોડી દીધું અને ધ્યાનમાર્ગ, ન 6. જુઓ પૃ. 33 ટિ. 2 7. દશવૈકાલિક, 9.4-4; ભગવતી, 3-1. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001199
Book TitleNirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Nagin J Shah
PublisherJagruti Dilip Sheth Dr
Publication Year2006
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy