SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ નિર્ઝન્યસમ્પ્રદાય દીક્ષિત નિર્ચન્થતપ:કર્મનું આચરણ કરે છે. એક રીતે તો મહાવીરના સાધુસંઘની પૂરી ચર્ચા જ તપોમય મળે છે. અનુત્તરોવવાઈ આદિ આગમોમાં એવા અનેક મુનિઓનું વર્ણન છે કે જેમણે ઉત્કટતપથી પોતાના દેહને કેવળ હાડપિંજર બનાવી દીધો છે. એ સિવાય આજ સુધીની જેમ પરંપરાનાં શાસ્ત્રો તથા સાધુ-ગૃહસ્થોના આચારો જોવાથી પણ આપણે એ જ કહી શકીએ છીએ કે મહાવીરના શાસનમાં તપનો મહિમા અધિક રહ્યો છે અને મહાવીરના ઉત્કટ તપની અસર સંઘ ઉપર એવી પડી છે કે જેનત્વ તપનો બીજો પર્યાય જ બની ગયું છે. મહાવીરના વિહારનાં સ્થાનોમાં અંગ-મગધ, કાશી-કોશલ સ્થાન મુખ્ય છે. જે રાજગૃહી વગેરે સ્થાનોમાં તપસ્યા કરનારા નિર્ચન્થોનો નિર્દેશ બૌદ્ધ ગ્રન્થોમાં આવે છે તે રાજગૃહી વગેરે સ્થાન તો મહાવીરનાં સાધના તેમજ ઉપદેશના સમયનાં મુખ્ય ધામો રહ્યાં છે અને તે સ્થાનોમાં મહાવીરનો નિર્ઝન્યસંઘ પ્રધાનપણે રહ્યો છે. આમ આપણે બૌદ્ધ પિટક અને જૈન આગમોને મેળવવાથી નીચે જણાવેલાં પરિણામો ઉપર પહોંચીએ છીએ(1) ખુદ મહાવીર અને તેમનો નિર્ગન્ધસંઘતપોમયજીવન ઉપર અધિક ભાર આપતા હતા. (2) અંગ-મગધના રાજગૃહી આદિ અને કાશી-કોશલના શ્રાવસ્તી આદિ શહેરોમાં તપસ્યા કરનારા નિર્ઝન્યો બહુ મોટી સંખ્યામાં વિચરતા હતા અને મળતા હતા. ઉપરનાકથનથી મહાવીરની સમકાલીન તથા ઉત્તરકાલીન નિર્ઝન્યપરંપરાની તપસ્યાપ્રધાન વૃત્તિ બાબતે તો કોઈ સંદેહ રહેતો જ નથી, પરંતુ વિચારવું તો એ છે કે મહાવીરની પહેલાં પણ નિર્ઝન્ય પરંપરા તપસ્યાપ્રધાન હતી કે નહિ? આ પ્રશ્નનો ઉત્તર આપણને ‘હા’માં જ મળે છે કેમ કે ભગવાન મહાવીરે પાર્શ્વનાથની નિર્ઝન્ય પરંપરામાં જ દીક્ષા લીધી હતી અને દીક્ષાના પ્રારંભથી જ તે તપની તરફ ઝૂક્યા હતા. તે ઉપરથી પાર્શ્વપત્યિક પરંપરાનો તપની તરફ કેવો ઝુકાવ હતો એની જાણકારી આપણને મળી જાય છે. ભગવાન પાર્શ્વનાથના જીવનનું જે વર્ણન જૈન ગ્રન્થોમાં આવે છે તેને જોવાથી પણ આપણે એ જ કહી શકીએ છીએ કે પાર્શ્વનાથની નિર્ચન્ય પરંપરા તપશ્ચર્યાપ્રધાન રહી હતી. તે પરંપરામાં ભગવાન મહાવીરે શુદ્ધિ યા વિકાસનું તત્ત્વ પોતાના જીવન દ્વારા ભલે ને દાખલ કર્યું હોય પરંતુ તેમણે પહેલેથી ચાલી આવતી પાર્શ્વપત્યિક નિર્ચન્ય પરંપરામાં તપોમાર્ગને નવો દાખલ તો નથી જ કર્યો. આની સાબિતી આપણને બીજી રીતે પણ મળી જાય છે. જ્યાં બુદ્ધ પોતાના પૂર્વજીવનનું વર્ણન કરતાં અનેકવિધ તપસ્યાઓની નિઃસારતા પોતાના શિષ્યો આગળ રજૂ કરી છે ત્યાં નિર્ગસ્થતપસ્યાનો પણ નિર્દેશ છે. બુદ્ધ જ્ઞાતપુત્ર મહાવીર પહેલાં જન્મ લીધો હતો અને ગૃહત્યાગ કરીને તપસ્વીમાર્ગનો સ્વીકાર કર્યો હતો. તે સમયે પ્રચલિત અચાન્ય પંથોની જેમ બુદ્ધ નિર્ઝન્ય પંથને પણ થોડાક સમય માટે સ્વીકાર્યો હતો અને પોતાના સમયમાં પ્રચલિત નિર્ચન્થતપસ્યાનું આચરણ પણ ક્યું હતું. તેથી જ્યારે બુદ્ધ પોતાની પૂર્વાચરિત તપસ્યાઓનું વર્ણન કરે છે ત્યારે તેમાં હૂબહૂ નિર્ગસ્થતપસ્યાઓનું 3. ભગવતી, 9.33, 2.1, 9.6. 4. ભગવતી, 2.1. 5. જુઓ પૃ. 33 ટિ. 2. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001199
Book TitleNirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Nagin J Shah
PublisherJagruti Dilip Sheth Dr
Publication Year2006
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy