SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ તપ મુખ્ય રહી છે. આટલી ઐતિહાસિક ચર્ચાથી આપણે નિમ્નલિખિત નિષ્કર્ષ ઉપર નિર્વિવાદપણે પહોંચીએ છીએ? (1) ભગવાન મહાવીર પહેલાં ઇતિહાસયુગમાં નિર્ઝન્ય પરંપરા સચેલ જ હતી. (2) ભગવાન મહાવીરે પોતાના જીવન દ્વારા જ નિર્ચન્ય પરંપરામાં અચેલત્વ દાખલ કર્યું અને તે અચેલત્વ જ નિર્ઝન્યોના આદર્શરૂપ મનાવા લાગ્યું તો પણ પાર્શ્વપત્યિક પરંપરાના નિર્ઝન્યોને પોતાની નવી પરંપરામાં મેળવી-ભેળવી દેવાની દષ્ટિએ નિર્ગુન્થોના મર્યાદિત સચેલત્વને પણ સ્થાન આપવામાં આવ્યું જેના પરિણામે ભગવાન મહાવીરના સમયમાં નિર્ગસ્થ પરંપરાના સચેલ અને અચેલ બને રૂપો સ્થિર થયાં અને સચેલમાં પણ એકશાટક જ ઉત્કૃષ્ટ આચાર મનાયો. (3) ભગવાન મહાવીરના સમયમાં યાકેટલોક સમય ગયા પછી સચેતત્વ અને અચેલત્વના પક્ષપાતીઓમાં કંઈક ખેંચતાણ યા પ્રાચીનતા-અર્વાચીનતાને લઈને વાદવિવાદ થવા લાગ્યો, ત્યારે ભગવાન મહાવીરે યા તેમના સમકાલીન શિષ્યોએ સમાધાન ક્યું કે અધિકારભેદે બન્ને આચાર યોગ્ય છે, જો કે પ્રાચીનતાની દષ્ટિએ તો સચેલતા જ મુખ્ય છે, પરંતુ અચલતા નવીન હોવા છતાં ગુણદષ્ટિએ મુખ્ય છે. સએલતા અને અચેલતા વચ્ચે જે સામંજસ્ય થયું હતું તે પણ મહાવીર પછી લગભગ બસો-અઢીસો સાલ સુધી બરાબર ચાલુ રહ્યું. પછી આગળ બન્ને પક્ષોના અભિનિવેશ અને ખેચતાણના કારણે નિર્ઝન્ય પરંપરામાં એવી વિકૃતિઓ પ્રવેશીકે જેમના કારણે ઉત્તરકાલીન નિર્ઝન્થ વાલ્મય પણ તે મુદ્દા ઉપર વિકૃત જેવું બની ગયું. (3) તપ બૌદ્ધ પિટકોમાં અનેક સ્થાને નિગઠ સાથે તપસ્સી’, ‘દીઘતપસ્સી એવાં વિશેષણો આવે છે, આ રીતે કેટલાંય બૌદ્ધ સુત્તોમાં રાજગૃહી આદિ જેવાં સ્થાનોમાં તપસ્યા કરતા નિર્ઝન્થોનું વર્ણન છે, અને ખુદ તથાગત બુદ્ધ નિર્ચન્થોની તપસ્યાની કરેલી સમાલોચના પણ આવે છે. આ જ પ્રમાણે જ્યાં બુદ્ધે પોતાના પૂર્વજીવનની કથા શિષ્યોને કહી છે ત્યાં પણ તેમણે પોતાના સાધનાકાળમાં કરેલી કેટલીક એવી તપસ્યાઓનું વર્ણન કર્યું છે જે તપસ્યાઓ એક માત્ર નિર્ચ પરંપરાની જ કહી શકાય છે અને જે આ વર્તમાન સમયમાં ઉપલબ્ધ જૈન આગમોમાં વર્ણવાયેલી નિર્ચન્થતપસ્યાઓ સાથે અક્ષરશઃ મળતી આવે છે. હવે આપણે જોવું એ છે કે બૌદ્ધ પિટકોમાં આવતું નિર્ઝન્થતપસ્યાનું વર્ણન ક્યાં સુધી ઐતિહાસિક છે. ખુદ જ્ઞાતપુત્ર મહાવીરનું જીવન જ કેવળ એક ઉગ્ર તપસ્યાનું મૂર્ત સ્વરૂપ છે, જે આચારાંગના પ્રથમ શ્રુતસ્કલ્પમાં મળે છે. તે સિવાય આગમોના બધા પ્રાચીન સ્તરોમાં જ્યાં ક્યાંય પણ કોઈની પ્રવ્રજ્યાનું વર્ણન આવે છે ત્યાં શરૂઆતમાં જ આપણને જોવા મળે છે કે તે 1. મઝિમનિકાય, સુત્ત56 અને 14. 2. એજન, સુત્ત 26. કોસાંબીકૃત બુદ્ધચરિત (ગુજરાતી) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001199
Book TitleNirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Nagin J Shah
PublisherJagruti Dilip Sheth Dr
Publication Year2006
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy