SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ નિર્ચન્યસમ્પ્રદાય ગ્રન્ય નિર્ઝન્ય પરંપરાના એકરાટકનો જ નિર્દેશ કરે છે એમ માનવું જોઈએ. અહીં વિચારણીય પ્રશ્ન એ છે કે નિર્ઝન્ય પરંપરામાં અચેલત્વ અને સચેલ એ બન્ને મહાવીરના જીવનકાલમાં જ વિદ્યમાન હતાં કે તેનાથી પણ પહેલાંના સમયમાં પ્રચલિત પાર્શ્વપત્યિક પરંપરામાં પણ હતાં? મહાવીરે પાર્શ્વપત્યિક પરંપરામાં જ દીક્ષા લીધી હતી અને શરૂઆતમાં એક વસ્ત્ર ધારણર્યું હતું. તેથી એ તો જ્ઞાત થાય છે કે પાર્શ્વપત્યિક પરંપરામાં સચેતત્વ ચાલ્યું આવતું હતું. પરંતુ આપણે જાણવું તો એ છે કે અચેલત્વ ભગવાન મહાવીરે જ નિર્ઝન્ય પરંપરામાં પહેલવહેલા દાખલ કર્યું કે પૂર્વવર્તી પાર્શ્વપત્યિક પરંપરામાં પણ હતું જેને મહાવીરે ક્રમશઃ સ્વીકાર્યું. આચારાંગ, ઉત્તરાધ્યયન જેવા પ્રાચીન ગ્રન્થોમાં ભગવાન મહાવીરની કેટલીક એવી વિરોષતાઓ દર્શાવી છે જે પૂર્વવર્તી પાર્શ્વપત્યિક પરંપરામાંન હતી, જેમને ભગવાન મહાવીરે જ શરૂ કરી હતી. ભગવાન મહાવીરની જીવનક્કામાં તો એટલું જ કહેવામાં આવ્યું છે કે તેઓ સ્વીકૃત વસ્ત્રનો ત્યાગ કરીને સર્વથા અચેલ બની ગયા, પરંતુ ઉત્તરાધ્યયન સૂત્રમાં કેશિગૌતમસંવાદમાં પાર્શ્વપત્યિક પરંપરાના પ્રતિનિધિ કેશી દ્વારા મહાવીરના મુખ્ય શિષ્ય ગૌતમ આગળ એ પ્રશ્ન ઉપસ્થિત કરાવવામાં આવ્યો છે કે ભગવાન મહાવીરે તો અચેલક ધર્મ ઉપદેશ્યો છે અને પાર્શ્વનાથે સચેલ ધર્મ ઉપદેશ્યો છે, જો બન્નેનો ઉદ્દેશ એક જ છે તો પછી બને જિનોના ઉપદેશમાં અંતર કેમ? આ પ્રશ્ન ઉપરથી સ્પષ્ટ થાય છે કે પ્રશ્નકર્તા કેશી અને ઉત્તરદાતા ગૌતમ એ વાતમાં એકમત હતાકે નિર્ઝન્ય પરંપરામાં અચેલ ધર્મ ભગવાન મહાવીરે શરૂ કરી ચલાવ્યો. જો આવું જ છે તો ઇતિહાસ પણ એ જ કહે છે કે ભગવાન મહાવીર પહેલાં ઐતિહાસિક યુગમાં નિર્ઝન્ય પરંપરાનું કેવળ ચેલ સ્વરૂપ હતું. ભગવાન મહાવીરે અચલતા દાખલ કરી તો તેમના બાહ્યઆધ્યાત્મિક વ્યક્તિત્વથી આકર્ષાઈને અનેક પાર્શ્વપત્યિક અને નવા નિર્ઝન્ય પણ અચેલક બન્યા, તેમ છતાં પણ પાર્શ્વપત્યિક પરંપરામાં એક વર્ગ એવો પણ હતો જે મહાવીરના રાસનમાં આવવાતો માગતો હતો પણ તેને સર્વથા અચેતત્વ અપનાવવું પોતાની રાતિ બહાર લાગતું હતું. તે વર્ગની રાતિ, અશક્તિ અને પ્રામાણિકતાનો વિચાર કરીને ભગવાન મહાવીરે અચેલત્વનો આદર્શ રાખવા છતાં પણ સચેલત્વનું મર્યાદિત વિધાન ક્યું અને પોતાના સંઘને પાશ્ચંપત્યિક પરંપરા સાથે જોડવાનો રસ્તો ખુલ્લો કરી દીધો. આ મર્યાદામાં ભગવાન મહાવીરે ત્રણથી બે અને બેથી એક વસ્ત્ર રાખવાનું પણ કહ્યું છે. એક વસ્ત્ર રાખનારાઓ માટે આચારાંગમાં એકશાટક જ શબ્દ છે, જેમ બૌદ્ધ પિટકોમાં છે તેમ. આ રીતે બૌદ્ધ પિટકોના ઉલ્લેખો અને જૈન આગમોનાં વર્ણનોને મેળવીએ છીએ તો એ માનવું જ પડે છે કે પિટક અને આગમોનાં વર્ણનો ખરેખર ઐતિહાસિક છે. જો કે ભગવાન મહાવીર પછી ઉત્તરોત્તર સચેલતા તરફ નિર્ઝન્યોની પ્રવૃત્તિ વધતી ગઈ છે તેમ છતાં પણ તેમાં અચેલત્વ રહ્યું છે અને તેની પ્રતિષ્ઠા 6. ઉત્તરાધ્યયન, 23.13. 7. જુઓ આચારાંગનું વિમોહાધ્યયન " 8. આચારાંગ,7.4.209. 9. જુઓ અંગુત્તરનિકાય, Vol. 3, પૃ. 383 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001199
Book TitleNirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Nagin J Shah
PublisherJagruti Dilip Sheth Dr
Publication Year2006
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy